તિલકવાડા તાલુકો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
તિલકવાડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
તિલકવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. તિલકવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાની કુલ વસ્તી ૫૬,૦૬૧ જેટલી છે, જે પૈકી પુરુષોની સંખ્યા ૨૬,૨૯૫ અને સ્ત્રીઓની સંખ્યા ૨૬,૭૭૨ જેટલી છે. આ તાલુકામાં અક્ષરજ્ઞાન ધરાવતા પુરુષોની સંખ્યા ૨૩,૨૮૯ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૪૨ જેટલી છે. આ તાલુકામાં વજીરીયા, ભાદરવા દેવ વગેરે પર્વતો આવેલા છે. અહીંના મુખ્ય પાકો મગફળી, મકાઈ, જુવાર, કપાસ, ઘઉં, ચણા, લસણ તથા કઠોળ છે. આ તાલુકામાં જરખ, રોઝ, નાર, કાળીયાર, સાહુડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ તાલુકાની મુખ્ય નદીઓ નર્મદા, મેણ, અશ્વિન, હેરણ છે. જે પૈકી નર્મદા નદી વડે આ તાલુકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ બનેલી છે.
તિલકવાડા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]
તિલકવાડા તાલુકામાં ૯૭ જેટલાં ગામડાંઓ આવેલાં છે.
તિલકવાડા
|
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |