નારગોલ

વિકિપીડિયામાંથી
નારગોલ
—  ગામ  —
નારગોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ઉમરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય માછીમારી, વહાણવટું

નારગોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું અને અરબી સમુદ્રને કિનારે આવેલું ગામ છે. નારગોલ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

નારગોલ ખાતે રમણીય સાગરકિનારો આવેલો છે જે સહેલાણીઓને આકર્ષે છે. આ ઉપરાંત નારગોલ બંદર તરીકે પણ જાણીતું છે. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી તેમ જ વહાણવટાંનો છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]