ભાલચંદ્ર નેમાડે
ભાલચંદ્ર નેમાડે | |
---|---|
![]() | |
જન્મ | ૧૯૩૮ |
વ્યવસાય | મરાઠી લેખક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
મુખ્ય પુરસ્કારો | જ્ઞાનપીઠ એવોર્ડ પદ્મશ્રી – ૨૦૧૧, મહારાષ્ટ્ર ફાઉન્ડેશન |
ભાલચંદ્ર વનાજી નેમાડે (भालचंद्र वनाजी नेमाडे) (જન્મ ૧૯૩૮) એક મરાઠી લેખક છે. તેઓ તેમના "હિંદુ" અને "કોસલ" નામના પુસ્તકો માટે જાણીતા છે. આ સિવાય તેમની નવલથા "હિંદુ જગાચી સમૃદ્ધિ અડગળ" પણ જાણીતી છે. આ નવલથા માટે તેમને ૨૦૧૪નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. [૧]
અનુક્રમણિકા
જીવન[ફેરફાર કરો]
તેમનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશમાં આવેલા સનગાવી ગામમાં થયો હતો. તેમણે પુણેમાં આવેલી ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ડેક્કન કોલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અને મુંબઈ વિદ્યાપીઠમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે ઉત્તર મરાઠવાડામાંથી પી. એચ.ડી. તથા ડી.લીટ.ની પદવી મેળવી.
લંડનની સ્કુલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ સ્ટડીઝ સહિત અન્ય અનેક સંસ્થાઓમાં શ્રી નેમાડેએ અંગ્રેજી, મરાઠી અને સાહિત્ય સમાલોચના જેવા વિષાયો શીખવાડ્યા છે.[સંદર્ભ આપો
] મુંબઈ વિદ્યાપીઠની સાહિત્ય સમાલોચન વિભાગની ગુરુદેવ ટાગોર ચેર પરથી તેઓ રિટાયર થયા. નેમાડે ૧૯૬૦ના મરાઠી સામયિક "વાચા"ના તંત્રી રહી ચૂક્યા છે. ૧૯૯૦માં તેમની રચના "ટીકા સ્વયંવર માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[સંદર્ભ આપો
] .૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો.[૨]
સંદર્ભ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- Civil Services Junction, Civil Services Junction, 7 February 2015.
- Reviving the true Hindu ethos, The Hindu, 3 July 2010.
- Brahmins, Hindutva have ruined Hindu religion: Bhalchandra Nemade, DNA Mumbai, 26 July 2010.
- ‘हिंदू’ ही भूसांस्कृतिक संकल्पना – भालचंद्र नेमाडे, लोकसत्ता, 18 July 2010.