| ભાવનગર-ધોળા જંકશન વિભાગ |
|
|
૦ |
ભાવનગર ટર્મીનસ |
|
|
૧ |
ગઢેચીનું નાળું |
|
|
૩ |
ભાવનગર પરા (ભાવનગર શહેર) |
|
|
૭ |
ચિત્રાનું નાળું |
|
|
૮ |
નારી રોડ |
|
|
|
ઘોલેરા રોડ - ઓવરબ્રિજ |
|
|
૧૦ |
વરતેજ |
|
|
|
માલેશ્રી નદી |
|
|
|
વલ્લભીપુર રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
૧૬ |
ખોડીયાર મંદિર |
|
|
|
ખારી નદી |
|
|
|
ખાખરીયા રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
|
નેસડા રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
|
ઘાંધળી રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
૨૧ |
સિહોર જંકશન |
|
|
|
ગૌતમી નદી |
|
|
|
પાલીતાણા બાજુ |
|
|
|
મોટા સૂરકા રેલ્વે સ્ટેશન |
|
|
|
કરકોલીયાનું નાળુ |
|
|
|
સોનપરી નદી |
|
|
૨૮ |
સોનગઢ |
|
|
૩૪ |
બજુડ |
|
|
|
આંબલા - બજુડ રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
૩૯ |
સણોસરા |
|
|
|
સણોસરી નદી |
|
|
|
રંઘોળી નદી |
|
|
|
ધોળા - વલ્લભીપુર રોડ - લેવલ ક્રોસીંગ |
|
|
૪૯ |
ધોળા |
|
|
|
|
|
ભાવનગર-ધોળા રેલ્વે લાઇન એ ભાવનગર રાજ્યની ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે.
આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વેક્ષણ અને બાંધકામના આદેશો અનુક્રમે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા.[૧] આ રેલ્વે-લાઇનના બાંધકામ માટે ભાવનગર અને ગોંડલ રાજ્યો દ્વારા બ્રિટીશ સરકારને ઠેકો આપવામાં આવ્યો હતો અને કામની દેખરેખનું કામ એક સમિતિ કરતી હતી.[૧] ઉત્તર દિશાના ભાવનગરથી વઢવાણ વાયા ધોળા વિભાગ અને પશ્ચિમ દિશાના ધોળાથી ઢસા વિભાગના બાંધકામનો ખર્ચ ભાવનગર રાજ્ય દ્વારા અને ઢસાથી ધોરાજી સુધીના બાંધકામનો ખર્ચ ગોંડલ રાજ્ય દ્વારા ભોગવવામાં આવ્યો હતો.[૧] જ્યારે બાંધકામ થયું ત્યારે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં સમાવેશ કરવામાં હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરિવર્તન થઇ ચુક્યું હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ભાવનગર-ધોળા રેલ્વે લાઇન ભાવનગર ટર્મીનસથી શરૂ થઇ ૪૯ કિલોમીટરનું અંતર કાપીને ધોળા જંકશન પર પુરી થાય છે. જેમાં વચ્ચે સિહોર પાસેથી પાલીતાણા જતો ફાંટો અલગ પડે છે.
- ભાવનગર શહેરના ગઢેચી વિસ્તારમાં રેલ્વેને લગતા શિક્ષણ માટે એક અનુદાન સહાય મેળવતી શાળા પણ સ્થાપવામાં આવી.[૨]. આ શાળાને ૧૮૮૫-૮૬ના વરસ માટે ૧૧૫ ઇમ્પેરીયલ રૂપીયાની આર્થિક મદદ ફાળવવામાં આવી હતી[૨] ઉપરાંત વરસ દરમ્યાન શાળા-કર્મચારીઓના આવાસો બનાવવા માટે ૫૫૪૬ ઇમ્પેરીયલ રૂપિયાના ખર્ચને સમિતિએ માન્ય રાખ્યો હતો.[૨].
- કાર્યરત થયાના દિવસથી ૩૧ ડીસેમ્બર ૧૮૮૫ના દિવસ સુધી શરુઆતના સસપેન્સ બેલેન્સ સહિત કુલ ભંડોળ ૯૬,૨૫,૦૩૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩] જેમાંથી ૬૭,૪૧,૦૨૪ રૂપિયા ભાવનગર રાજ્યનો ભાગ હતો અને ૨૮,૮૪,૦૦૭ રૂપિયા ગોંડલ રાજ્યનો ભાગ હતો.[૩].
- લાઇનની કુલ લંબાઇ ૧૯૨.૩૧ માઇલ થતી હતી. એથી દરેક માઇલ દીઠ ભંડોળ ૪૮,૫૫૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩]
- કુલ વાર્ષિક ખર્ચ ૩,૩૨,૯૯૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલો. જેમાં પુલને ખુલ્લો મુકવાનો, પ્લેટ-પાથરવાવાળા માટેના ઘર બનાવવાનો, કાયમી કાર્યાલયના બાંધકામનો, કર્મચારીઓના ઘરના બાંધકામનો, ગઢેચી અને ઘોળા એ બંને જગ્યાએ પાણીની ટાંકી અને પરબના બાંધકામનો, ૪ નવા બીજા દરજ્જાના કેરેજ અને ૪૦ બોગી બનાવવાનો ખર્ચ સામેલ છે.[૩]