લખાણ પર જાઓ

યદુવંશી રાજપૂત

વિકિપીડિયામાંથી

યદુવંશી રાજપૂત શબ્દ યાદવ વંશી રાજપૂત કુળો માટે વપરાય છે.

ચુડાસમા રાજપૂત એ સૌરાષ્ટ્રનો એક યદુવંશી રાજપૂત વંશ છે. જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ ૧૮૨૫માં ફારસી ભાષામાં તારિખ-એ-સોરઠ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા ચંદ્રવંશી રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે.[] ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા વંશ ને મહાન યાદવ કુળ સાથે જોડે છે જેમકે "માંડલિક નૃપ ચરિત" તેમને ભગવાન શ્રી કૃષ્ણ નાં યાદવ પરિવાર સાથે જોડે છે.[] ઉપરાંત, ગિરનારના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત યાદવ કુળના છે.[]

જાડેજાએ ભારતની એક રાજપૂત જ્ઞાતિ છે. જેઓ યદુવંશી રાજપૂત કુળ[] અને ચંદ્રવંશી છે.[] જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં . યાદવાસ્થળીમાંથી બચેલા યાદવોના સંતાન હોવાનો તેઓ દાવો કરેછે[]. સાહિત્યકાર હરિલાલ ઉપાધ્યાય પોતાની ઐતિહાસિક લાખો ફુલાણી માં કચ્છ ના જાડેજા વંશ ના રાજા લાખા ફુલાણી નો ઉલ્લેખ યદુવંશી રાજપૂત તરીકે કરે છે.[]

ભાટ્ટી રાજપૂત પણ યદુવંશી રાજપૂત વંશ છે[], જેસલમેરમાં ભાટી કુળ પોતાને "યાદવપતિ" તરીકે પણ ઓળખાવે છે, જે તેનો કૃષ્ણ અને યદુ કે યાદવ કુળ સાથેનો પૌરાણિક સંબંધ દર્શાવે છે.[] સ્વામી સચ્ચિદાનંદ પોતાના પુસ્તક ‎સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન માં જણાવે છે કે ભાટી રાવલ જેસલ ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ યદુવંશી મનાય છે.[]

સંદર્ભ

  1. Ranchodji Amarji, Divan of Junagadh; Burgess, James (1882). Târikh-i-Soraṭh, a history of the provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd. Harvard University. Bombay, Educ. Soc. Press, & Thacker. p. 101.
  2. Kapadia, Aparna (2018-05-16). Gujarat: The Long Fifteenth Century and the Making of a Region (અંગ્રેજીમાં). Cambridge University Press. pp. 80–81. ISBN 978-1-107-15331-8. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  3. Diskalkar D.b. (1941). Inscriptions Of Kathiawad. pp. 116–117.
  4. 1 2 Mcleod, John (૯ જુલાઇ ૨૦૦૪). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. p. . મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨. {{cite conference}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. Paṇḍyā, Rāmacandra N. (1966). Gujarātano sāṃskr̥tika vāraso. Anaḍā Buka Ḍīpo. p. 385.
  6. Upādhyāya, Harilāla (1965). Lākho Phulāṇī. Pradīpa Prakāśana.
  7. Haryana District Gazetteers: Delhi district gazetteer, 1883-84 (અંગ્રેજીમાં). Gazetteers Organisation, Revenue Department, Haryana. 1999.
  8. Bose, Melia Belli (૨૦૧૫). Royal Umbrellas of Stone: Memory, Politics, and Public Identity in Rajput Funerary Art. BRILL. p. ૮. ISBN 978-9-00430-056-9.
  9. Sachchidanand, Swami (2007-02-20). Sthaptya ane shauryani Bhoomi-Rajasthan (અંગ્રેજીમાં). Gurjar Prakashan. ISBN 978-81-8461-839-6. {{cite book}}: Check date values in: |date= (મદદ)