રંભા ગાંધી

વિકિપીડિયામાંથી
રંભા ગાંધી
જન્મ(1911-04-27)27 April 1911
સરવાળ (તા. ધંધુકા), ગુજરાત
મૃત્યુ29 March 1986(1986-03-29) (ઉંમર 74)
વ્યવસાય
  • નાટ્યલેખક
  • નવલિકા લેખક
  • નિબંધકાર
  • કવયિત્રી
ભાષાગુજરાતી
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • સંસારસાગરના તીરેથી (1969)
નોંધપાત્ર પુરસ્કારો
  • ભગિની નિવેદીતા પુરસ્કાર

રંભા મનમોહન ગાંધી (૨૭ એપ્રિલ ૧૯૧૧ - ૨૯ માર્ચ ૧૯૮૬) ગુજરાતી લેખિકા હતા જેમણે નાટકો, ટૂંકી વાર્તાઓ, ગીતો અને નિબંધો સહિત કારકિર્દીમાં ૪૪ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.

જીવન[ફેરફાર કરો]

રંભા ગાંધીનો જન્મ ૨૭ એપ્રિલ ૧૯૧૧ના રોજ ગુજરાત રાજ્યના ધંધુકા શહેર નજીક સરવાળ ગામે થયો હતો. તેમણે ૧૯૩૭માં કર્વે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને હ્યુમીનીટી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૨૬માં, તેમણે મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યા. તેમની કારકિર્દી દરમિયાન, તે ૧૯૪૯થી ૧૯૫૩ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય હતા. અન્ય સામાજિક સંસ્થાઓમાં તેમની સહભાગિતા ઉપરાંત ૧૯૫૦થી ૧૯૫૪ દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ સમિતિના કાઉન્સિલર સભ્યપદે રહ્યા હતા. ૧૯૭૦ થી ૧૯૭૭ સુધી, તેમણે જૈન સમાજના સામયિકનું સંપાદન કર્યું. [૧] ૨૯ માર્ચ ૧૯૮૬ના રોજ તેમનું અવસાન થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી અને મરાઠી સહિત ઘણી ભાષાઓ જાણતા હતા. તેઓ એક પ્રખર નાટ્ય લેખિકા હતા, જેમણે મુંબઈના ઓલ ઈન્ડિયા રેડિયો માટે ૪૦૦થી વધુ રેડિયો નાટકોના લેખન ઉપરાંત તેમાં ભાગ લીધો હતો. તેમના નાટકો પ્રાયશ્ચિત અને મંથન ને અન્ય ભાષાઓમાં અનુદિત કરવામાં આવ્યાં હતાં. [૧] આરતી અને ઇન્સાફ જેવા તેમના એકપાત્રિય અભિનયના ઘણાં નાટકોમાં સમકાલીન મધ્યમવર્ગીય જીવનને હળવી રમૂજ અને વ્યંગ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.[૨]

૧૯૫૧ થી ૧૯૯૮૩ દરમિયાન, તેમણે ૪૪ થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. [૧]તેના નાટક સંગ્રહમાં કોઈને કહશો નહીં (૧૯૫૧), પ્રણયના રંગ (૧૯૫૨), રોજની રામાયણ (૧૯૫૩), ચકમક (૧૯૫૫), પરણું તો તને જ (૧૯૫૭), દેવ તેવી પૂજા (૧૯૫૮), પ્રેક્ષકો માફ કરે (૧૯૬૧), પ્રીત ના કરિયો કોઈ (૧૯૬૩), રાજાને ગમી તે રાણી (૧૯૬૫), આંધી (૧૯૭૭), જીવન નાટક (૧૯૮૨), અને રોંગ નંબર (૧૯૮૫) નો સમાવેશ થાય છે.

ગાંધીની સંખ્યાબંધ પ્રકાશિત કૃતિઓ મૂળ ટૂંકી વાર્તા સંગ્રહો હતા, જેમાં પીપળ પાન ખરંતા (૧૯૬૬) અને મઝધાર (૧૯૭૩) નો સમાવેશ થાય છે, તેમજ તિમિરે ટમટમતા તારલા (૧૯૬૬), પ્રીતની ન્યારી રીત (૧૯૭૮), અને જય-પરજય (૧૯૮૩) જેવા ટૂંકી વાર્તા સંગ્રહોના અનુવાદ કર્યા હતા. તેમણે ઝાંઝવાના જળ (1979) નામની એક નવલકથાનો પણ અનુવાદ કર્યો હતો. [૧]

તીર અને તુક્કા (૧૯૫૯) એ તેમનો વ્યંગ નિબંધોનો સંગ્રહ છે, જ્યારે સંસારસાગર તીરેથી (૧૯૬૯) એ પત્રસંગ્રહ છે. સબરસ (૧૯૬૯), નવયુગની નવી કથા (૧૯૭૫), હરીને હસતા દીઠા (૧૯૭૮), અને તમને કેટલા થયા ? ૬૦, ૭૦, ૮૦ ? (૧૯૮૫) એ તેમના નિબંધ સંગ્રહો છે. [૧]

ગાંધીએ આનંદ ગુલાલ (૧૯૬૪) અને આનંદ મંગલ (૧૯૭૩) નામના ટુચકાઓ અને અવતરણોના સંગ્રહો પણ બહાર પાડેલા. તેના અન્ય સર્જનમાં કહેવત સંગ્રહ, બિંદુમા સિંધુ (૧૯૭૨) ; ગીત સંગ્રહ, મારે ગીત મધુરા ગાવા છે (૧૯૭૫); અને પ્રેરણાત્મક રેખાચિત્રો, સત્સંગે સદ્‌વિચાર (૧૯૭૭) અને સેન્તોનો સંગ કરીને (૧૯૮૩) નો સમાવેશ થાય છે [૧] તેમણે ૧૯૫૧માં લગ્નગીતો અને લગ્નગીતોની ગુંથણીનું સંપાદન કર્યું હતું.

સંસારસાગરને તીરેથી અને ભરતી અને ઓટને ભગિની નિવેદિતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ટોપીવાળા, ચંદ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપાદકો (1990). ગુજરાતી સાહિત્ય કોશ : અર્વાચીનકાળ. II. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 98. OCLC 26636333.
  2. Natarajan, Nalini; Nelson, Emmanuel Sampath (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 127. ISBN 978-0-313-28778-7.