રામનારાયણ પાઠક
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૧૬)
|
રામનારાયણ વિ. પાઠક | |
|---|---|
| જન્મનું નામ | રામનારાયણ વિશ્વનાથ પાઠક |
| જન્મ | રામનારાયણ વિશ્વનાથ પાઠક ૯ એપ્રિલ ૧૮૮૭ ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો |
| મૃત્યુ | ૨૧ ઓગસ્ટ ૧૯૫૫ (ઉંમર 68) મુંબઈ |
| ઉપનામ | દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી |
| વ્યવસાય | કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, પિંગળશાસ્ત્રી |
| ભાષા | ગુજરાતી |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| શિક્ષણ |
|
| માતૃ શિક્ષણ સંસ્થા | વિલ્સન કોલેજ, મુંબઈ |
| સમયગાળો | ગાંધી યુગ |
| નોંધપાત્ર સર્જનો |
|
| નોંધપાત્ર પુરસ્કારો |
|
| જીવનસાથી | હીરા પાઠક |
| સહી | |
| શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
| શૈક્ષણિક કાર્ય | |
| શોધનિબંધ વિદ્યાર્થીઓ | ધીરુભાઈ ઠાકર |
રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.
જીવન
[ફેરફાર કરો]
તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
અંગત જીવન
[ફેરફાર કરો]તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.[૧][૨]
સર્જન
[ફેરફાર કરો]વિવેચન ગ્રંથો
[ફેરફાર કરો]- અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય (૧૯૩૩)
- અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો (૧૯૩૮)
- કાવ્યની શક્તિ (૧૯૩૯)
- સાહિત્યવિમર્શ (૧૯૩૯)
- નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા (૧૯૪૫)
- સાહિત્યાલોક (૧૯૫૪)
- નભોવિહાર (૧૯૬૧)
- આકલન (૧૯૬૪)
- કાવ્યપરિશીલન (૧૯૬૫), નગિનદાસ પારેખ સાથે
- શરદસમીક્ષા (૧૯૮૦)
વાર્તાસંગ્રહો
[ફેરફાર કરો]- દ્વિરેફની વાતો – ૧ (૧૯૨૮)
- દ્વિરેફની વાતો – ૨ (૧૯૩૫)
- દ્વિરેફની વાતો – ૩ (૧૯૪૨)
- ચુંબન અને બીજી વાતો (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪) આ એક યુરોપિયન વાર્તાનો અનુવાદ છે.
વાર્તાઓ
[ફેરફાર કરો]- મુકુન્દરાય
- રજ્નું ગજ
- ખેમી
- બુદ્વીવિજય
- સૌભાગ્યવતી
- જમનાનું પૂર
- કમાલ જમાલની વાર્તા
નાટ્યસંગ્રહ
[ફેરફાર કરો]- ફુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯)
કાવ્યસંગ્રહ
[ફેરફાર કરો]- શેષનાં કાવ્યો (૧૯૩૮)
- વિશેષ કાવ્યો (૧૯૫૯) રા. વિ. પાઠક નો મર્ણોપરાંત કાવ્યસંગ્રહ
પિંગળગ્રંથો
[ફેરફાર કરો]- પ્રાચીન ગુજરાતી છંદો
- બૃહદપિંગળ (૧૯૫૫)
- મધ્યમ પિંગળ (આ ગ્રંથ મૃત્યુના કારણે અધુરો રહ્યો હતો)
નિબંધસંગ્રહ
[ફેરફાર કરો]તેમણે નીચેના હળવા નિબંધો લખ્યાં છે.
- સ્વૈરવિહાર – ૧ (૧૯૩૧)
- સ્વૈરવિહાર – ૨ (૧૯૩૭)
મનોવિહાર (૧૯૫૬) માં ગંભીર નિબંધો આપેલા છે.
સન્માન
[ફેરફાર કરો]ઉમાશંકર જોશી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.[૩] તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ (૧૯૪૦) માટે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૩][૪]
અવસાન
[ફેરફાર કરો]૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
પૂરક વાચન
[ફેરફાર કરો]- પાઠક, જયંત (૨૦૦૭). રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક). સાહિત્ય-સર્જક શ્રેણી (2nd આવૃત્તિ). અમદાવાદ: આદર્શ પ્રકાશન. ISBN 978-81-904605-5-2.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. p. ૧૨૪. ISBN 978-0-313-28778-7. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૭.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Beyond The Beaten Track - Ramnarayan Pathak". Gujaratilexicon.com. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 Borisagar, Bhavesh (૨૦૧૬). "Chapter 1". Translation Of Selected Short Stories Of Ramnarayan Pathak From Gujarati Into English With A Critical Introduction (PDF) (Ph.D). Saurashtra University. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૭.
{{cite thesis}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "સવિશેષ પરિચય: રામનારાયણ વિ. પાઠક". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)