ઉમાશંકર જોશી

વિકિપીડિયામાંથી
(ઉમાશંકર જોષી થી અહીં વાળેલું)
ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી, મુંબઈ, ૧૯૬૦
ઉમાશંકર જોશી, મુંબઈ, ૧૯૬૦
જન્મ(1911-07-21)21 July 1911
બામણા, ગુજરાત
મૃત્યુ19 December 1988(1988-12-19) (ઉંમર 77)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
ઉપનામવાસુકિ, શ્રવણ
વ્યવસાયકવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થા
  • ગુજરાત કોલેજ
  • એલફિન્સ્ટન કોલેજ[૧]
સમયગાળોગાંધી યુગ
નોંધપાત્ર પુરસ્કારો
સહી
ઉમાશંકર જોશી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓરમણલાલ જોશી

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

અંગત જીવન[ફેરફાર કરો]

તેઓ ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.

શિક્ષણ[ફેરફાર કરો]

ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં ઉમાશંકર જોશીએ અભ્યાસ કર્યો હતો

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.[૨]

સર્જન[ફેરફાર કરો]

ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જુલાઈ ૨૦૧૮
  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
  • પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
  • એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
  • વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
  • પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
  • બાળગીત - સો વરસનો થા
  • સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
  • તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ[૨]

પુરસ્કારો[ફેરફાર કરો]

કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ, હિંમતનગર

સભ્યપદ/હોદ્દાઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Modern Gujarati Poetry: A Selection by Rita Kothari. ૧૯૯૮. પૃષ્ઠ ૮૨, ૮૫.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૧૯૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]