ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
દેખાવ
| ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૧૯૬૩ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૬૩ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૩ | |
| કુલ પુરસ્કાર | ૧૦ | |
| પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ | |
| વર્ણન | ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે દર બે વર્ષે અપાતો પુરસ્કાર | |
| પ્રથમ વિજેતા | ઉમાશંકર જોશી | |
| અંતિમ વિજેતા | હર્ષ બ્રહ્મભટ્ટ | |
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. આ પુરસ્કારની સ્થાપના સ્નેહરશ્મિ દ્વારા તેમની દિવંગત પુત્રી ઉમાની યાદમાં કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો આ પુરસ્કાર ગુજરાતી ભાષામાં પ્રકાશિત ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને દર બે વર્ષે આપવામાં આવે છે. [૧]
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વિજેતાઓ
[ફેરફાર કરો]૧૯૬૩થી અપાતું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક નીચે મુજબના લેખકોને પ્રદાન કરવામાં આવેલ છે :[૨]
| વર્ષ | પારિતોષિક વિજેતા | પુસ્તક |
|---|---|---|
| ૧૯૬૩-૬૪-૬૫ | ઉમાશંકર જોશી | મહાપ્રસ્થાન |
| ૧૯૬૬-૬૭ | રાવજી પટેલ | ઝંઝા |
| ૧૯૬૮-૬૯ | જયંત ખત્રી | ખરા બપોર |
| ૧૯૭૦-૭૧ | હીરા પાઠક | પરલોકે પત્ર |
| ૧૯૭૨-૭૩ | પ્રિયકાંત મણિયાર | સમીપ |
| ૧૯૭૪-૭૫ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ નવલત્રયી |
| ૧૯૭૬-૭૭ | જગદીશ જોષી | વમળનાં વન |
| ૧૯૭૮=૭૯ | રમેશ પારેખ | ખડિંગ |
| ૧૯૮૦-૮૧ | રાજેન્દ્ર શુક્લ | અંતર ગંધર |
| ૧૯૮૨=૮૩ | જયન્ત પાઠક | મૃગયા |
| ૧૯૮૪-૮૫ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ |
| ૧૯૮૬-૮૭ | નગીનદાસ પારેખ | ગાંધીજી : કેટલાક સ્વાધ્યાયલેખો |
| ૧૯૮૮-૮૯ | દિનકર જોષી | પ્રકાશનો પડછાયો |
| ૧૯૯૦-૯૧ | ત્રિભુવનદાસ લુહાર | વર્ધા |
| ૧૯૯૨-૯૩ | બકુલ ત્રિપાઠી | હિંડોળો ઝાકમઝોળ |
| ૧૯૯૪-૯૫ | મણિલાલ હ. પટેલ | રાતવાસો |
| ૧૯૯૬-૯૭ | ગુણવંત શાહ | બિલ્લો ટિલ્લો ટચ |
| ૧૯૯૮-૯૯ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ |
| ૨૦૦૦-૦૧ | મોહન પરમાર | પોઠ |
| ૨૦૦૨-૦૩ | નારાયણ દેસાઈ | મારું જીવન એ જ મારી વાણી (ભાગ ૧-૪) |
| ૨૦૦૪-૦૫ | મધુસૂદન ઢાંકી | શનિમેખલા |
| ૨૦૦૬-૦૭ | હરીશ નાગ્રેચા | એક ક્ષણનો ઉન્માદ |
| ૨૦૦૮-૦૯ | પ્રવીણ પંડ્યા | બરડાના ડુંગર |
| ૨૦૧૦-૧૧ | પ્રવીણ દરજી | અણસરખી રેખાઓ |
| ૨૦૧૩ | હર્ષ બ્રહ્મભટ્ટ | ઝાકળને તડકાની વચ્ચે |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક". ગુજરાતી સાહિત્ય કોશ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૬. p. ૬૩. OCLC 26636333.
- ↑ દેસાઈ, પારુલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૩૦.