રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિકગુજરાત, ભારતનો સાહિત્ય પુરસ્કાર છે. તેનું નામ ગુજરાતી લેખક રમણભાઈ નીલકંઠ પરથી રખાયું છે. આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર તરફથી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૬માં થઇ હતી અને તેમાં પુરસ્કાર, શાલ અને રૂપિયા ૧,૦૦,૦૦૦ની રોકડ રકમનો સમાવેશ થાય છે.[૧][૨]