રવિન્દ્રનાથ ટાગોર

વિકિપીડિયામાંથી
રવિન્દ્રનાથ ટાગોર
রবীন্দ্রনাথ Edit this on Wikidata
જન્મ૭ મે ૧૮૬૧ Edit this on Wikidata
કોલકાતા Edit this on Wikidata
મૃત્યુ૭ ઓગસ્ટ ૧૯૪૧ Edit this on Wikidata
કોલકાતા (બ્રિટીશ ભારત) Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • યૂનિવર્સિટી કોલેજ લંડન
  • St. Xavier's Collegiate School Edit this on Wikidata
વ્યવસાયચિત્રકાર, કવિ, સંગીત રચયિતા, નાટ્યકાર, નિબંધકાર, તત્વજ્ઞાની, કળાકાર, લેખક, ગીતકાર, ગીત લેખક, ગાયક Edit this on Wikidata
કાર્યોBhanusimha Thakurer Padabali, Ghare-Bhaire, Valmikipratibha, ગીતાંજલિ Edit this on Wikidata
શૈલીessay, ટૂંકી વાર્તા, નવલકથા Edit this on Wikidata
જીવન સાથીMrinalini Devi Edit this on Wikidata
માતા-પિતા
  • Debendranath Tagore Edit this on Wikidata
કુટુંબSwarnakumari Devi, Hemendranath Tagore, Jyotirindranath Tagore, Dwijendranath Tagore, Satyendranath Tagore, Soudamini Debi Edit this on Wikidata
પુરસ્કારો
  • Nobel Prize in Literature (Song Offerings, ૧,૪૩,૦૧૦, because of his profoundly sensitive, fresh and beautiful verse, by which, with consummate skill, he has made his poetic thought, expressed in his own English words, a part of the literature of the West, ૧૯૧૩)
  • Knight Bachelor (૧૯૧૫–૧૯૧૯) Edit this on Wikidata
સહી

રવિન્દ્રનાથ ટાગોર (બંગાળી: রবীন্দ্রনাথ ঠাকুর,[β] audio speaker iconઉચ્ચારણ ; audio speaker icon(Hindi) [α], ૭ મે ૧૮૬૧ - ૭ ઓગસ્ટ ૧૯૪૧) ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે.

વિગત[ફેરફાર કરો]

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક[૧] મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ[૨][૩][૪] પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.૧૬ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો ૧૮૭૭માં લખ્યા. પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

શરૂઆતનું જીવન (૧૮૬૧–૧૯૦૧)[ફેરફાર કરો]

1879માં ટાગોર, જ્યારે તેઓ ઇંગ્લેંડમાં અભ્યાસ કરતા હતા.

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું.[૫][૬] ૧૮૭૭મા ,તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી.[૭] તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા) [૮][૯] અને સાંધ્ય સંગીત લખી. (૧૮૮૨) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.

1883માં ટાગોર અને તેમના પત્ની મૃણાલીની દેવી.

વકીલ, બનવા માટે તેમણે ૧૮૭૮માં ઈંગ્લેનડનાં બ્રાઈટનની પબ્લિક સ્કૂલમાં પ્રવેશ લીધો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦માં બંગાળ પરત ફર્યા. ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી (જન્મ ભબતારીની, ૧૮૭૩-૧૯૦૦) સાથે થયા જેમનાથી તેમને પાંચ સંતાનો થયા. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલા જ મૃત્યુ પામ્યા.[૧૦] 1890માં તેમની પરિવારની મિલકત એવા શિલાએદહ પહોંચ્યા, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમના પત્નિ અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયા હતા. "જમીનદારબાબુ"તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડૂં ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા [૧૧] આ વર્ષો ટાગોરની સાધના નો વર્ષો છે. (1891–1895; ટાગોરના એક મેગેઝીનનું નામ).આ સમય દરમિયાન તેમની ત્રણ ભાગમાં લખાયેલી વાર્તાની અડધી વાર્તાઓ અંહી લખાઈ તેમજ 84 જેટલી ગાલપાગુચ્ચા વાર્તાઓ અહીં લખાઈ [૮]આ વાર્તાઓમાં બંગાળની જીવનશૈલી અને તેમાં પણ ગ્રામ્ય જીવનનું સુંદર નિરુપણ હતું.[૧૨]

ટાગોર, જોહ્ન રોથેનસ્ટેઇન દ્વારા ઇંગ્લેડમાં લેવાયેલ ફોટો.

1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન આવી પહોંચ્યા (પશ્ચિમ બંગાળ) જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ (" મંદિર"), એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..[૧૩] અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. આ બાદ તેઓ વારસા મુજબ માસિક નાણા મળવાનું શરૂ થઈ ગયું હતું. તેમને ત્રિપૂરાના મહારાજા તરફથી વધારાની આવક થતી રહેતી હતી. ઉપરાંત પરિવારના ઘરેણાં, તેમનો પૂરી ખાતે દરિયાકિનારે આવેલો બંગલો, અને રોયલ્ટી(2,૦૦૦ રૂ)ની પણ આવક હતી. [૧૪] આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને 1913નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું. [૧૫] 1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.

1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે. ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.[૧૬] તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.[૧૭][૧૮] 1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી. [૧૯][૨૦]

જીવનના અંતિમ વર્ષો (1932–1941)[ફેરફાર કરો]

તેમની જીંદગીના અંતિમ તબક્કામાં તેઓ જાહેર જીવનમાં પ્રવૃત રહ્યા હતા. 15 જાન્યુઆરી 1934ના રોજ બિહાર જિલ્લામાં આવેલા ભૂકંપને ગાંધીજીએ દલિત પ્રત્યે થયેલા ખરાબ વ્યવહારનો દિવ્ય પ્રતિશોધ ગણાવ્યો હતો. જેની ટાગોરે ટીકા કરી હતી.[૨૧] બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેમણે 100 પંક્તિઓનીએક કવિતા પણ લખી હતી. આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસાર માં વણી લીધી હતી.[૨૨][૨૩] ટાગોરે પોતાની કવિતાઓ, નિબંધોનું કામ 15 ખંડમાં ભેગૂં કર્યું હતું. જેમાં પુનાશાચા (1932), શિશ સપ્તક (1935), અને પાત્રાપૂટ નો સમાવેશ થાય છે.(1936). તેમણે ગધ ગીતની શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા. જેમાં ચિંત્રાંગદા (1914),[૨૪] શ્યામા (1939),અને ચાંડલિકા (1938),નો સમાવેશ થતો હતો. તેમણે દુઈ બોન (1933), મલાંચા (1934), અને ચાર અધ્યાય નામની નવલકથાઓ પણ લખી. (1934). છેલ્લા વર્ષોમાં ટાગોરે વિજ્ઞાનમાં પણ રસ લીધો અને 1937 વિશ્વ પરિચય નામનું પૂસ્તક લખ્યું. તેમણે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્રને પોતાની કવિતાઓમાં સમાવી લીધું. આ કવિતાઓમાં પ્રકૃતિની અસીમ તાકાતનું નિરુપણ રહેતું હતું. તેમણે વિજ્ઞાનની પ્રક્રિયા પણ પોતાની કેટલીક વાર્તાઓ સી (1937), ટીન સાંગાઈ (1940), અને ગાલપોસાલ્પા જેવા ગ્રંથોમાં સમાવી હતી(1941).[૨૫]

ટાગોરના છેલ્લા ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યા હતા. છેલ્લા બે વર્ષ તો તેઓ સખ્ત બિમાર હતા. 1937માં પહેલો બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. 1940 બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધીની બિમારી જોર કરી ગઈ. આ બિમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.[૨૬][૨૭] ગંભીર બિમારી બાદ ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ (22 શ્રવણ 1348) જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા.[૨૮][૨૯] બંગાળી જગતમાં તેમની મૃત્યુ તીથી ના દિવસે લાખો લોકો મૌન રાખે છે.

પ્રવાસ[ફેરફાર કરો]

ટાગોર (મધ્યમાં, જમણી બાજુ)1924માં ચાઇનીઝ શિક્ષણવિંદોની સિંઘુઆ યુનિવર્સિટી ખાતે મૂલાકાત લીધી હતી.

1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી;[૩૦] તેમના ઘણા પ્રવાસ બિનભારતીયોને તેમના સાહિત્યથી પરિચત કરાવવા અને તેમના રાજકીય વિચારો પ્રસરાવવા માટે હતા. 1912માં તેઓ પોતાના ભાષાંતર થયેલા પૂસ્તકો ઈંગ્લેન્ડ લઈ ગયા, જ્યાં તેઓ ગાંધીજીના અંતેવાસી ચાર્લ્સ એફ. એન્ડ્રૂઝથી પ્રભાવિત થયા, એન્ગલો-આઈરીસ કવિ વિલિયમ બટલર યેટ્સ, એઝરા પાઉન્ડ, રોબર્ટ બ્રિજિસ, અર્નેસ્ટ રીહમ્સ, થોમસ સ્ટર્જ મુરે , અને અન્યોને મળ્યા.[૩૧] યાટ્સે તેમના પૂસ્તક ગીતાંજલીના અંગ્રેજી અનુવાદ માટે પ્રસ્તાવના લખી આપી હતી. આ બાદ ટાગોરની સાથે એન્ડુઝ શાંતિનિકેતનમાં રહેવા આવ્યા હતા. 10 નવેમ્બર 1912માં ટાગોરે યુનાઈટેડ સ્ટેટ્સ[૩૨] અને યુનાઈટેડ કિંગ્ડમની યાત્રા કરી બટરટોન, સ્ટેનફોર્ડશાયરમાં એન્ડ્રુઝના મિત્રો સાથે રહ્યા[૩૩] 3 મે 1916 થી એપ્રિલ 1917 સુધી ટાગોર જાપાન અને અમેરિકામાં પ્રવચન આપવા ગયા.[૩૪] જે દરમિયાન તેમણે જાપાન અને અમેરિકાના રાષ્ટ્રવાદની ટીકા કરી.તેમણે "ભારતમાં રાષ્ટ્રવાદ"નામનો નિંબધ પણ લખ્યો. જેની કેટલાકે ટીકા કરી તો કેટલાકે પ્રશંસા કરી. ( જેમા રોમાઈન રોલાન્ડનો સમાવેશ થતો હતો.).[૩૫]

ભારતમાં પરત આવ્યા બાદ 63 વર્ષીય ટાગોરે પેરુવિયન સરકારના આમંત્રણથી પેરૂની મુલાકાત લીધી અને બાદમાં મેક્સિકોની પણ મુલાકાત લીધી. બન્ને સરકારોએ શાંતિનિકેતન(વિશ્વભારતી) માટે 100,000 ડોલરનું દાન આપ્યું.[૩૬] એક અઠવાડિયા બાદ 6 નવેમ્બર 1924ના રોજ તેઓ આર્જેન્ટિનાના પાટનગર બ્યુનોસ એરિસની મુલાકાતે પહોંચ્યા [૩૭] જ્યાં તેઓ બિમાર પડતા વિક્ટોરિયા ઓકોમ્પોએ તેમને વિલા મિરારિયો ખાતે રાખવામાં આવ્યા હતા. તેઓ 1925માં ભારત માટે રવાના થયા હતા. 30 મે 1926ના રોજ ટાગોર ઈટાલીના નેપલ્સ પહોંચ્યા જ્યાં રોમમાં તેઓ ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલીનને મળ્યા.[૩૮] બંને વચ્ચે પહેલા સંબંધો સારા રહ્યા હતા પરંતુ 20 જુલાઈ 1926ના રોજ ટાગોરે મુસોલીન વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા.[૩૯]

ટાગોર (પ્રથમ હરોળ, જમણેથી ત્રીજા) ઇરાનીયન મજલીસના સભ્યોને મળે છે(તેહરાન, એપ્રિલ-મે 1932).તે જ વર્ષમાં ટાગોરે શિરાઝની મૂલાકાત લીધી હતી. [90]

14 જુલાઈ 1927ના રોજ ટાગોર અને તેમના કેટલાક સાથીઓએ ચાર મહિનાની અગ્નિ એશિયાની મુલાકાત શરૂ કરી જેમા તેમણે બાલી, જાવા, કુઆલાલુમ્પૂર, મલાક્કા, પેનાંગ, સિયામ, અને સિંગાપૂરની મુલાકાત લીધી હતી. ટાગોરના પ્રવાસો "જાત્રી"નામના પૂસ્તકમાં વર્ણવામાં આવ્યા છે. .[૪૦]1930ના આરંભના કાળમાં એક વર્ષ લાંબી યુરોપ અને અમેરિકાની મુલાકાત માટે બંગાળ છોડ્યું હતું. યુકેમાં પરત ફર્યા બાદ તેમના પેઈન્ટિંગને પેરીસ અને લંડનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે દરમિયાન તેઓ બર્મિંગહામના ફ્રેન્ડસ સેટલમેન્ટમાં રહ્યા હતા.ત્યાં ટાગોરે ઓક્સફોર્ડ યુનિવર્સિટી માટે હિબર્ટ પ્રવચનો લખ્યા હતા.( જેમાં વ્યકિતના આત્માની અને ભગવાનની વાત હતી.) તેમણે લંડનના વાર્ષિક ક્વેકર સંમેલનને પણ સંબોધન કર્યું હતું. [૪૧] ત્યાં ( બ્રિટિશ અને ભારત વચ્ચેના સંબંધો પર બોલ્યા હતા જે બે વર્ષ સુધી ચર્ચા ચાલી હતી.), ટાગોરે "ઉંડી દૂરની ખીણ" અંગે પ્રવચન આપ્યું હતું. [૪૨] તેમણે ડાર્ટિન્ગટન હોલ ખાતે રહેતા આગા ખાન ત્રીજાની મુલાકાત લીધી હતી. તેમણે ડેનમાર્ક, સ્વીટ્ઝલેન્ડ, અને જર્મનીની 1930ના મધ્ય દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિનામાં મુલાકાત લીધી આ બાદ સોવિયેટ યુનિયનની મુલાકાતે ગયા.[૪૩] અને છેલ્લે એપ્રિલ 1932માં, પર્શિયન રહસ્યમયવાદી હાફિઝના લખાણોના પ્રશંસક હતા. તેવા ટાગોર ઈરાનના શાહ રઝા શાહ પહેલવીના અંગત આમંત્રણને ધ્યાનમાં રાખીને ઈરાનની મુલાકાત લીધી.[૪૪][૪૫] આ પ્રકારની વ્યાપક પ્રવાસને કારણે તેમણે સમકાલિન વિદ્વાનો સાથે ચર્ચા કરી જેમા હેનરી બર્ગસન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, રોબર્ટ ફ્રોસ્ટ, થોમસ માન, જયોર્જ બર્નાડ શો, એચ. જી. વેલ્સ અને રોમાઈન રોલાન્ડનો સમાવેશ થાય છે. [૪૬][૪૭] ટાગોરે તેમના જીવનનો છેલ્લો પ્રવાસ કર્યો તેમા પર્શિયા અને ઈરાક (1932ના વર્ષમાં) અને સિલોનનો સમાવેશ થાય છે. સિલોનની મુલાકાતે તેઓ 1933માં ગયા હતા.[૪૮]

રચનાઓ[ફેરફાર કરો]

ટાગોરની બંગાળી ભાષા પ્રારંભને રા-થા વુડન સીલમાં મઢવામાં આવ્યો છે, જે પરંપરાગત હૈડા કોતરણીમાં વપરાયેલી ડિઝાઇનો જેવી જ ગાઢ લાક્ષણિક સમાનતા ધરાવે છે.ટાગોર ઘણી વખત તેમની હસ્તપ્રતો આ પ્રકારની કળામાં સામેલ કરતા હતા.

ટાગોરને મોટા ભાગે તેમની કવિતાઓના કારણે યાદ કરવામાં આવે છે, પરંતુ તેમણે નવલકથાઓ, નિબંધો, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, નાટકો અને હજારો ગીતો પણ લખ્યા છે. ટાગોરની કૃતિઓમાં તેમની ટૂંકી વાર્તાઓને કદાચ સૌથી વધુ સન્માન મળ્યું છે.તેમની કૃતિઓએની સરાહના તેની ગતિશીલતા, તેમાં રજૂ થતા આશાવાદ અને કાવ્યાત્મક રજૂઆતના કારણે કરવામાં આવે છે.આ વાર્તાઓ મોટા ભાગે અત્યંત સરળ વિષય પર આધારિત હતી અને સામાન્ય માનવીના જીવનને તેમાં આલેખવામાં આવતું હતું.

નવલકથાઓ અને કાલ્પનિક કથાઓ[ફેરફાર કરો]

ટાગોરે આઠ નવલકથા અને ચાર ટૂંકી નવલકથા લખી હતી તેમાં ચતુર્રંગ , શેશેર કોબિતા , ચાર ઓઢય અને નૌકાદુબી નો સમાવેશ થાય છે.ઘરે બાહિરે (ઘર અને દુનિયા) માં જમીનદાર કથાનાયક નિખિલની દૃષ્ટિથી સ્વદેશી ચળવળમાં વધી રહેલા ભારતીય રાષ્ટ્રવાદ, ત્રાસવાદ અને ધાર્મિક ઉગ્રતાની ટીકા કરવામાં આવે છે. ટાગોરના વિરોધાભાસી વિચારોનો સંઘર્ષ તેમાં જોવા મળે છે અને તેના માટે 1914માં પ્રવર્તમાન વ્યગ્રતાનું નિરુપણ થાય છે.નવલકથાના અંતે હિંદુ અને મુસલમાનો વચ્ચે કોમી હિંસા ફાટી નીકળે છે અને નિખીલ ઘવાય છે (કદાચ જીવલેણ રીતે)[૪૯]તેવી જ રીતે ગોરા માં ભારતીય ઓળખને લગતો વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવવામાં આવે છે..ઘરે બાહિરે માં સ્વ ઓળખ (જાતિ)jāti , અંગત સ્વતંત્રતા અને ધર્મને લગતા મુદ્દાને પરિવાર તેમ જ પ્રણય ત્રિકોણના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે. [૫૦] જોગાજોગ (સંબંધો )માં મુખ્ય નાયિકા કુમુદીનીની પરિસ્થિતનો ચિતાર અપાયો છે. કુમુદીની શિવ [[દક્ષયાણી|સતી{/5{/0}}ના સિદ્ધાંતથી બંધાયેલી છે જે દક્ષાયણીનુ દ્રષ્ટાંતDākshāyani છે. તેના ]]સુધારાવાદી અને કરૂણાસભર મોટા ભાઈની સતત કથળી રહેલી હાલત પ્રત્યે તેને દયાભાવ જાગે છે જ્યારે બીજી તરફ તેનો શોષણવાદી, અને પુરુષના અધિપત્યમાં માનતો લંપટ પતિ છે. તેમાં ટાગોરનો મહિલા તરફી ઝુકાવ જોવા મળે છે. જેમાં પથોસ નો ઉપયોગ કરીને તેમણે બંગાળી મહિલાની દુર્દશા તથા ગર્ભાવસ્થા, ફરજ અને પરિવારના સન્માન ખાતર તેણે આપવા પડતા ભોગનું ચિત્રણ રજૂ કરાયું છે. તેમાં તેમણે બંગાળના જમીનદાર સમૃદ્ધ વર્ગના પતનની કહાની રજૂ કરી છે.[૫૧]

અન્ય કૃતિઓ ઉદ્ધારને લગતી છે. શેશેર કોબિતા (જેને લાસ્ટ પોએમ અને ફેરવેલ સોંગ તરીકે બે વખત અનુવાદીત કરવામાં આવી છે) તેમની સૌથી વધુ પ્રવાહી શૈલીમાં લખવામાં આવેલી નવલકથા છે.તેમાં મુખ્ય નાયક એક કવિ છે અને તેના દ્વારા લખાયેલા કાવ્યો તથા કાવ્યાત્મક ફકરાઓ સામેલ કરાયા છે. તેમાં માર્મિક કટાક્ષ, પોસ્ટ મોડર્નિઝમ, સ્ટોક કેરેક્ટર્સ (સ્ટીરીયોટાઇપ)ના તત્વો સામેલ છે જે વૃદ્ધ, જૂનવાણી અને વિખ્યાત કવિની પ્રતિષ્ઠા પર પ્રહાર કરે છે અને અકસ્માતે આ કવિનું નામ રવિન્દ્રનાથ ટાગોર છે.ટાગોરની તમામ કૃતિઓમાં આ નવલકથાને સૌથી ઓછી વખાણવામાં આવી છે, છતાં સત્યજિત રે જેવા ડિરેક્ટરો અને અન્ય લોકો દ્વારા તેના આધારિત ફિલ્મ બનાવીને નવેસરથી ધ્યાન આપવામાં આવ્યું છે. ચોકેર બાલી અને ઘરે બાહિરે તેના ઉદાહરણ છે. . તેના સાઉન્ડટ્રેકમાં ઘણી વખત રવિન્દ્ર સંગીત નો ઉપયોગ કરાય છે.ટાગોરે ઘણા નોન-ફિક્શન પુસ્તકો પણ લખ્યા હતા. તેમાં ભારતીય ઇતિહાસથી લઇને ભાષા સુધીના વિષયો આવરી લેવાયા હતા.આત્મકથાનકને લગતા કામ ઉપરાંત તેમના પ્રવાસ વર્ણનો, નિબંધો અને પ્રવચનોને કેટલાક ભાગમાં સંકલિત કરવામાં આવ્યા છે જેમાં યુરોપ જાતિર પત્રો , (લેટર્સ ફ્રોમ યુરોપ ) અને મનુષેર ધર્મો (ધ રિલિજન ઓફ મેન ) સામેલ છે

સંગીત અને કળાકાર્ય[ફેરફાર કરો]

"ડાન્સીંગ ગર્લ", તારીખ વિનાનો શાહીવાળો ટાગોરનો ટુકડો

ટાગોરે લગભગ ૨,૨૩૦ કાવ્યો લખ્યાં હતાં અને તેઓ એક સારા ચિત્રકાર પણ હતા. તેમના કાવ્યોમાં રવિન્દ્રસંગીત બંગાળી: রবীন্দ্র সংগীত (બંગાળીમાં ......ટાગોરના ગીત) છલકે છે, જે બંગાળી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. ટાગોરના સંગીતને તેમના સાહિત્યથી અલગ કરી શકાય તેમ નથી. તેમના કાવ્યો એ નવલકથા, વાર્તાઓ અને નાટકોના ભાગ સમાન છે અને તે તેમના ગીત બની ગયા છે. પ્રાથમિક રીતે તેના પર હિંદુસ્તાની સંગીતની ઠુમરી નો પ્રભાવ છે. તેમાં માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે. તેમાં મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ પણ સામેલ છે.[૫૨] તેમાં શાસ્ત્રીય રાગના વિવિધ રંગોનો સમન્વય છે. ઘણી વખત તેમના કાવ્યોમાં અમુર રાગની મધુરતા જોવા મળે છે અને તેમણે પોતાની કૃતિઓમાં વિવિધ રાગના તત્વોને પણ આવરી લીધા છે. [૫૩]બંગાળી પ્રજા માટે તેની ભાવનાસભર શકિત અને સુંદરતાના સંયોજનથી સર્જાતું આકર્ષણ ટાગોરની કવિતાઓ કરતા પણ વધારે હતું અને મોડર્ન રિવ્યૂ માં જણાવાયા પ્રમાણે, બંગાળમાં એવું એક પણ સુસભ્ય ઘર નથી જ્યાં રવિન્દ્રનાથના ગીતો ન ગવાતા હોય અથવા ગીત ગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હોય. ગામડાંના અભણ લોકો પણ ટાગોરના ગીતો ગાય છે. ઓબ્જર્વર સામાયિકના આર્થર સ્ટ્રેન્ગવેજે મ્યુઝિક ઓફ હિંદુસ્તાનમાં રવિન્દ્ર સંગીત વિશે બીનબંગાળીઓને માહિતગાર કરાવ્યા હતા અને તેને વ્યકિતત્વનું વાહન ગણાવતા કહ્યું હતું કે તે સંગીતની તમામ પદ્ધતિઓથી આગળ છે અને તેમાં ધ્વનિની મધુરતા બધાને દંગ કરી દે છે.[૫૪] તેમાં બાંગ્લાદેશના રાષ્ટ્રગીત આમાર સોનાર બાંગ્લા બંગાળી: আমার সোনার বাঙলা અને ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન બંગાળી: জন গণ মনનો સમાવેશ થાય છે. બે દેશના રાષ્ટ્રગીત લખવાની સિદ્ધિ ટાગોરના નામે છે. રવિન્દ્ર સંગીત એ ઘણા સંગીતકારોની સ્ટાઇલ પર પ્રભાવ પાડ્યો છે, જેમાં મહાન સિતારવાદક વિલાયત ખાન અને સરોદવાદક બુદ્ધદેવ દાસગુપ્તા તથા અમજદ અલી ખાન સામેલ છે. [128]

ટાગોરના મોટાભાગના આર્ટવર્કમાં સખ્તાઇની છાંટ છે, જેમાં ઉત્તરીય ન્યુ આયર્લેન્ડના માલનગ્ગાન માસ્કના પાસ્ટેલ કલર્ડ રેન્ડીશનનો સમાવેશ થાય છે.

60 વર્ષની ઉંમરે તેમણે ચિત્રકામ અને પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું હતું. તેમની અનેક કૃતિઓના સફળ પ્રદર્શન પણ યોજાયા હતા. દક્ષિણ ફ્રાન્સ[૫૫]માં તેઓ કેટલાક ચિત્રકારોને મળ્યા હતા અને તેમના પ્રોત્સાહન બાદ પેરિસમાં પ્રદર્શન યોજ્યું હતું. ત્યાર બાદ યુરોપભરમાં પ્રદર્શનો યોજાયા હતા. ટાગોરે તેમના ચિત્રોમાં પ્રોટેનોપિયા (રંગ અંધાપો), અથવા આંશિક રીતે અમુક રંગની ગેરહાજરી (ટાગોરના કિસ્સામાં લાલ અને લીલો રંગ) પર ભાર મૂક્યો હતો. તેમણે સૌંદર્યમીમાંસા અને રંગની રચનાની વિશિષ્ટતાને કેન્દ્રસ્થાને રાખી હતી. આમ છતાં તેમની કૃતિઓમાં અનેક કળાઓની છાંટ જોવા મળે છે, જેમાં ઉત્તર ન્યુ આયરલેન્ડની કલા, કેનેડાના વેસ્ટ કોસ્ટ (બ્રિટિશ કોલંબિયા)ના હૈદા શૈલી અને મેક્સ પેક્સ્ટેઇની લાકડાના બ્લોકની મદદથી રચાયેલી ડિઝાઇનનો સમાવેશ થાય છે. [૫૬]ટાગોર પોતાના હસ્તલેખન વિશે પણ એક કળાકારની જેમ વિચારતા હતા. તેઓ લખાણને સુશોભિત કરતા, અને તેમની હસ્તલિખીત કૃતિઓ માટે પણ કળાત્મક લે આઉટ પર ધ્યાન આપતા હતા.

રંગભૂમિ[ફેરફાર કરો]

16 વર્ષની ઉમરે ટાગોરે મોલીયેરની કૃતિ લે બુર્ઝવા જેન્ટિલહોમ પર તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથના રૂપાંતરણમાં કામ કર્યું હતું. 20 વર્ષની વયે તેમણે પ્રથમ નાટક ઓપેરા –વાલ્મિકી પ્રતિભા (ધ જિનિયસ ઓફ વાલ્મિકી) લખ્યું હતું જેમાં વાલ્મિકી લુંટારાને સરસ્વતીએ કઇ રીતે આશીર્વાદ આપ્યા અને કઇ રીતે તેમણે રામાયણ લખ્યું તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.[૫૭] તેના મારફત ટાગોરે નાટ્યાત્મક સ્ટાઇલ અને ભાવનાઓની વિશાળ રેન્જ પર કામ કર્યું હતું જેમાં કીર્તનના નવા સ્વરૂપની મદદ લેવાઇ હતી તથા પરંપરાગત અંગ્રેજી અને આયરિશ લોકકથાઓનું ડ્રિંકીંગ સોંગ તરીકે રૂપાંતરણ કરવામાં આવ્યું હતું.[૫૮] અન્ય એક નોંધપાત્ર નાટક ડાક ઘર (ધ પોસ્ટ ઓફિસ) માં પોતાના બંધનોમાથી મુક્ત થવા ઇચ્છતું એક બાળક કઇ રીતે અકાળે ઉંઘી જાય છે (જે તેનું શારીરીક મોત દર્શાવે છે) તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.આ વાર્તાને વિશ્વસ્તરે વખાણવામાં આવી હતી. (યુરોપમાં તેના ઘણા વખાણ થયા હતા) ડાકઘર માં મૃત્યુને ટાગોરના શબ્દોમાં કહીએ તો વિશ્વની સંગ્રહ કરાયેલી સંપત્તિ અને પ્રમાણિત માન્યતામાંથી આધ્યાત્મિક મુક્તિના માર્ગ તરીકે જોવામાં આવે છે.[૫૯][૬૦] બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના ડોક્ટર અને શિક્ષણવિદ જાનુસ્ઝ કોર્ઝાકે વોર્સોના ઘેટો ખાતે અનાથ બાળકો દ્વારા ભજવવામાં આવનારા નાટક તરીકે ધ પોસ્ટ ઓફિસની પસંદગી કરી હતીઆવું 18 જુલાઇ, 1942ના રોજ થયું હતું ત્યાર બાદ ત્રણ સપ્તાહથી પણ ઓછા સમયમાં તેમને ટ્રેબલિંકા એક્સટર્મિનેશન કેમ્પમાં મોકલી દેવાયા હતા.તેમના મુખ્ય અંગ્રેજી ભાષી ચરિત્રલેખક, બેટી જીન લિફ્ટને તેમના પુસ્તક ધ કિંગ ઓફ ચિલ્ડ્રન માં જણાવ્યા પ્રમાણે કોર્ઝાકે એ અંગે ખૂબ વિચાર્યું હતું કે કોઇ વ્યક્તિને ક્યારે અને કઇ રીતે મરવું તે નક્કી કરવાની ક્ષમતા હોવી જોઇએ કે નહીં.તેઓ કદાચ તેમની પાસે રહેલા અનાથ બાળકો માટે મૃત્યુને સ્વીકારવાનો રસ્તો શોધી રહ્યા હતા.

તેમની અન્ય કૃતિઓમાં કાવ્યાત્મક પ્રવાહ અને લાગણીસભર તાલના સમન્વયથી જે મુખ્ય વિચારની રચના થઇ હતી તે અગાઉના બંગાળી નાટકોથી સાવ અલગ હતી.ટાગોરના શબ્દોમાં કહીએ તો તેમની કૃતિઓ કોઇ કાર્ય પર નહીં, પરંતુ લાગણી પર આધારિત હતી,890માં તેમણે વિસર્જન (સેક્રીફાઇસ) લખ્યું હતું[૫૭]જે તેમનું સૌથી શ્રેષ્ઠ નાટક ગણવામાં આવે છે. (70) બંગાળી ભાષાના અસલ લખાણમાં પરસ્પર ગુંથાયેલા પેટા પ્લોટ અને લાંબા એકપાત્રી ભાષણ સામેલ હતા.તેમાં ડાક ઘર પણ સામેલ છે.ટાગોરની અન્ય એક જાણીતી કૃતિ ચંડાલિકા (અનટચેબલ ગર્લ) છે જે પ્રાચીન બૌદ્ધ કથા પર આધારિત હતી જેમાં ગૌતમ બુદ્ધના શિષ્ટ આનંદ એક આદિવાસી (અછૂત) કન્યા પાસેથી પાણી માંગે છે. [૬૧]ત્યાર બાદ તેમના સૌથી પ્રસિદ્ધ નાટકમા રક્તકારવી (રેડ ઓલિયેન્ડર્સ) સામેલ છે જેમાં એક શોષણવાદી રાજાની વાત છે જે તેની પ્રજાનું શોષણ કરીને સમૃદ્ધ બને છે.વાર્તાની નાયિકા નંદીની અંતે સામાન્ય લોકોની સહાય લઇને શોષણની આ વ્યવસ્થા સામે બંડ પોકારે છે. ટાગોરના અન્ય નાટકોમાં ચિત્રાંગદા રાજા અને માયેર ખેલા નોંધપાત્ર છે.ટાગોરના નાટકો પર આધારિત અને નૃત્યલક્ષી નાટકોને સામાન્ય રીતે રવિન્દ્ર નૃત્ય નાટ્ય તરીકે ઓળખવામાં આવે છે.

ટૂંકી વાર્તાઓ[ફેરફાર કરો]

ટાગોરના "સાધના" સમયગાળામાં, 1891થી 1895નો સમાવેશ થાય છે, જેને ટાગોરના અનેક મેગેઝીનોમાંથી એકનું નામ અપાયું છે.આ ગાળો ટાગોરનો અત્યંત ફળદ્રુપ ગાળો હતો, જેમાં અર્ધા જેટલી વાર્તાઓ વણવામાં આવી હતી અને તેમાં ત્રણ વોલ્યુમો ગાલપગુચચ્છા માં સમાવેશ થતો હતો, જે તેની જાતે જ 84 વાર્તાઓનો સંગ્રહ છે.[૮]આ પ્રકારની વાર્તાઓ સામાન્ય રીતે આધુનિક અને ફેશનેબલ ખ્યાલો અને રસપ્રદ માનસિક કોયડાઓ (જેનો ટાગોરને તેમની સમજશક્તિ તપાસવાનો શોખ હતો) જેવી ટાગોરની આસપાસની પરિસ્થિતિનું પ્રતિબિબ પાડે છે. ટાગોર ખાસ રીતે તેમની પ્રારંભિક વાર્તાઓ સાથે (જેમ કે "સાધના" સમયગાળા) સજીવતાની પુષ્કળતા અને સ્વયંસ્ફુર્ણા સાથે જોડાયેલા છે; આ તમામ પાત્રો ટાગોરની પારિવારિક જમીનની સાચવણી સાથે અન્યો ઉપરાંત પાટીસર, શાજદપુર અને શિલાઈદા સહિતના સામાન્ય ગામડાઓમાં ટાગોરના જીવન સાથે ગાઠ રીતે સંકળાયેલા હતા..[૮] ત્યાં તેમણે ભારતના ગરીબ અને સામાન્ય લોકોની જિંદગીનું ધ્યાન રાખ્યું હતું; તેથી ટાગોરે બની શકે તેટલી ઊંડાઇ અને લાગણી સાથે તેમની જિંદગીઓ તપાસી હતી.[૬૨]

"કાબૂલીવાલા" નામની વાર્તામાં ટાગોર પ્રથમ વખત અફઘાની ફેરિયાઓની વાતને વાચા આપે છે. તેઓ ભારતીય શહેરી જીવનમાં ભૌતિક સુખ અને ભૂખમરાની હદમાં લાંબા ગાળાથી સપડાઇ ગયેલા લોકોની લાંબા ગાળાની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરે છે, જેમા તેઓ દૂર અને ગાઢ પર્વતોમાં આવેલી વિવિધ વસતીના સ્વપ્નાઓને નાટક સ્વરૂપે રજૂ કરે છે: "તે પાનખરની સવાર હતી, તે એ સમય હતો જ્યારે જૂના જમાનાનો રાજા વિશ્વ વિજયી થવા નીકળે છે; અને હું કોલકાત્તાના નાના ખૂણાંથી ક્યાંય ગયો નથી, પરંતુ મારા દિમાગને સમગ્ર વિશ્વમાં ફેરવીશ.અન્ય દેશમાં મારુ હૃદય બહાર જશે...હું મારા સ્વપ્નોને ગૂથવામાં મચી પડીશ: પર્વતો, ખીણ અને જગંલો....".[૬૩] ગાલપાગુચ્ચછા વાર્તાઓ ટાગોરના સાબૂજ પાત્ર (1914–1917નો સમયગાળો; તેને ટાગોરના અનેક મેગેઝીનોમાંના એકનું નામ અપાયું).[૮]

ટાગોરના ગોલ્પોગુચચ્છો (વાર્તાઓનો સંગ્રહ ) બંગાળી સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રચનાઓ છે,જેણે ઘણી સફળ ફિલ્મો અને થિયેટર નાટકોમાં વિષયવસ્તુ પૂરા પાડ્યા છે. સત્યજીત રેની ફિલ્મ ચારૂલતા ટાગોરની વિવાદિત નવલિકા નાસ્તાનિર્હ (તૂટેલો માળો ) પર આધારિત હતી. અતિથિ (જેના પર ફિલ્મ પણ બની),માં એક યુવાન બ્રાહ્મણ યુવક તારાપદા ગામના જમીનદાર સાથે નૌકાવિહારનો આનંદ માણે છે. યુવાન કહે છે કે તે માત્ર ફરવાના ઉદ્દેશથી ઘરેથી ભાગી ગયો છે. દયા આવતા જમીનદાર તેને દત્તક લે છે અને અંતે જમીનદારની પોતાની દીકરી સાથે તેના લગ્ન ગોઠવે છે.પરંતુ લગ્નની એક રાત પહેલા તરપદા ફરીથી ભાગી જાય છે. સ્ત્રીર પત્ર (પત્ની તરફથી પત્ર ) એ બંગાળના સાહિત્યમાં મહિલાઓ સ્થિતિ દર્શાવતી મુક્ત વાર્તા છે. નાયિકા મૃણાલ, જે ખાસ પ્રકારના પુરુષપ્રધાન બંગાળી મધ્યમ વર્ગીય વ્યક્તિની પત્ની છે, તે મુસાફરી કરતી વખતે પત્ર લખે છે. (જેમાં સમગ્ર વાર્તાનો સમાવેશ થાય છે).તેના જીવનની કરૂણતા અને સંઘર્ષના અંતે તે એવું જાહેર કરે છે કે તે અમીયો બચબો ના નિવેદન સાથે તે હવે પોતાના પતિને ઘરે પરત ફશે નહીં. ઈઆઈ બાચલુમ (" અને હું જીવીશ. અહીં હું રહીશ").

હૈમંતી માં,ટાગોર પરિણિત બંગાળી સ્ત્રીના ભેંકાર જીવન અને દંભની બિમારી ભારતીય મધ્યમ વર્ગને કેવી રીતે ભરડામાં લે છે તે વર્ણવતા હિન્દુ લગ્નની વાત કરે છે. તેમજ સંવેદનશીલ યુવાન સ્ત્રી હૈમન્તી તેની સંવેદનશીલતા અને ખુલ્લા હૃદયનું તેના જીવનનું બલિદાન આપે તે પણ વર્ણવે છેછેલ્લા ભાગમાં ટાગોર પોતાના પતિ રામની શંકાનું સમાધાન કરવા માટે સીતાનો આત્મવિલોપનના પ્રયત્ન જેવા મુદ્દાને મોટું સ્વરૂપ આપવા બાબતે સીધો જ હુમલો કરે છે.ટાગોર મુસલમાની દીદી માં હિન્દુ મુસ્લીમ તંગદીલીને પણ તપાસે છે, જે ઘણા ખરા અર્થે ટાગોરના માનવતાવાદને છતો કરે છે.બીજી બાજુ, દર્પહરણ યુવાન માણસની સાહિત્યીક મહત્વાકાંક્ષાનું વર્ણન કરતા ટાગોરની સ્વ સભાનતાના દર્શન કરાવે છે.તેઓ તેમના પત્નીને પ્રેમ કરતા હોવાથી તેઓ તેમની સાહીત્યીક જીવનને કમનસીબ ગણીને રુંધી દેવાની ઇચ્છા ધરાવે છે.ટાગોર તેમની જાતે તેમની યુવાનીમાં પણ સ્ત્રીઓ વિશે આવા જ સમાન પ્રકારની ખ્યાલોનો આશરો લીધો હતો.દર્પહરન માં જે તે વ્યક્તિની પત્નીની પ્રતિભાના સ્વીકાર દ્વારા અંતિમ વિનયનો ઉલ્લેખ કરાયો છે.ટાગોરની અન્ય વાર્તાઓ, જિબીતો ઓ મ્રિતો બંગાળીઓને તેમની અનેકમાંની એક એવી બહોળી રીતે ઉપયોગમાં લેવાતી મર્માળુ કવિતા પૂરી પાડે છે: કદોમ્બીની મોરીયા પ્રોમન કોરીલો શે મોર નાઇ ("કદોમ્બીની મરી જાય છે, તેથી પૂરવાર થાય છે તેણી પાસે ન હતું.").

કવિતાઓ[ફેરફાર કરો]

[152] વાર્ષિક હોળી તહેવારમાં શાંતિનિકેતનમાં ગાયકો

ટાગોરની કવિતાઓમાં વિવિધતા જોવા મળતી હતી તેમાં 15મી અને 16મી સદીનાVaiṣṇava કવીઓને સમકક્ષ ક્લાસિકલ શિષ્ટાચારથી માંડીને હાસ્ય અને સ્વપ્નશિલ જોવા મળતું હતું.ટાગોર પર ઉપનિષદ લખનાર વ્યાસ સહિતના ઋષિઓ , ભક્ત, સુફિ, ગૂઢવાદ, કબીર અને રામપ્રસાદ સેનરામપ્રસાદનો પ્રભાવ જોવા મળતો હતો.[૬૪] ગ્રામીણ બંગાળના લોક સંગીત, કે જેમાં ખાસ કરીને બાર્ડ લોક ગાયકો દ્વારા ગવાતા બલ્લાડ, સાથેના સંપર્ક બાદ તેમની કવીતા વધુ અનોખી અને પરિપકવ બની હતીLālan Śāh.[૬૫][૬૬] તેને 19મી સદી[161]માં ટાગોરે લોકપ્રિય બનાવ્યા, જેમાં ધાર્મિક અને સામાજિક રૂઢીગતતા સામે આંતરિક દૈવત્વ અને બળવાખોર પર ભાર મૂકે છે [૬૭][૬૮] આ દરમિયાન તેમના શિલાઇદહા વર્ષોમાં, તેમની કવિતાઓએ ગુણવત્તાયુક્ત ગીતકાવ્યનું સ્થાન લીધું હતું જે માનેર માનુસ ( "હૃદયની અંદર રહેલો માણસ") અથવા જીવન દેવતા ("ઈશ્વરમાં જ જીવવું") દ્વારા વાત કરતા હતા. ટાગોરે આ પ્રકારની તરકીબોનો તેમનીBhānusiṃha કવિતાઓમાં ઉપયોગ કર્યો હતો. (જેમાં રાધા અને ક્રૂષ્ણ વચ્ચેના પ્રેમની વાર્તા છે), જેને તેમણે 70 વર્ષના ગાળામાં પુનઃ સુધારો કરતા રહ્યા હતા.[૬૯][૭૦]

બાદમા, 130માં બંગાળી સાહિત્યમાં આવેલા આધુનિકતાવાદ અને વાસ્તવિકતાવાદ પ્રત્યે કડક પ્રતિભાવ આપ્યો હતો.[૭૧] ઉદાહરણ તરીકે આફ્રિકા અને કામલિયા નો સમાવેશ થાય છે. જે બાદમાં ભારે પ્રખ્યાત થઈ હતી. તોએ પ્રસંગોપાત સાધુ ભાષા (સંસ્કૃત જેવી બંગાળી બોલી); નો પોતાની કવિતામાં ઉપયોગ કરતા. બાદમાં તેમણે ચાલોટી ભાષા ( વધુ લોકપ્રિય બોલી)નો ઉપયોગ કરવા લાગ્યા હતા.. તેમની અન્ય નોંધપાત્ર રચનાઓ માનસી , સાનાર તારી (ગોલ્ડન બોટ ), બાલાકા (વાઈલ્ડ ગીઝ સ્થળાંતર કરતા લોકો માટેનું રૂપક),[૭૨] અને પૂરોબી નો સમાવેશ થાય છે. સોનાર તોરી તેમની જાણીતી કવિતા હતી.—જેમા જીવનની ક્ષણભંગૂર સ્વભાવ અને સિદ્ધીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું સમાન નામ છે. તેનો અંત એક જોરદાર વાક્યથી આવે છે. "શુન્નો નોદિર તારી રોહીનુ પોરી / જહા છિલ્લો લોઈ ગીલો શોનાર તોરી""મેં જે મેળવ્યું હતું તે તમામ ગોલ્ડન બોટમાં લાયું હતું. —માત્ર હું જ પાછળ રહી ગયો હતો.". આંતરરાષ્ટ્રીય રીતે, ગીતાજંલિ ટાગોરનો સૌથી જાણીતો સંગ્રહ છે. જેને કારણે તેમને નોબેલ પારિતોષિક મળ્યુ.[૭૩]

1913નું મેક મિલનની ટાગોરની ગીતાંજલીની આવૃત્તિનું શિર્ષક પાનું


তোমার কাছে খাটে না মোর কবির গর্ব করা,
মহাকবি তোমার পায়ে দিতে যে চাই ধরা।
জীবন লয়ে যতন করি যদি সরল বাঁশি গড়ি,
আপন সুরে দিবে ভরি সকল ছিদ্র তার।
અમરે ગાન છેરેછે તાર શોકોલ ઓલોંગાર
તોમાર કાછે રાખે ની આર શારેજ ઓંહોંગકાર
ઓલોંગકાર જે માઝે પોરે મિલોનેતી આરલે કોરે,

તોમાર કોથા ઢાકે જે તાર મુખોરો ઝોંગકાર.


તોમાર કાછે ખાતે ના મોર કોબિર ગોરબો કોરા,
મોહાકોબિ તોમાર પાઇ દિતે ચાઇ જે ઢોરા.
જિબોન લોય જોતોન કોરિ જોડી શોરોલ બાશી ગોરી,
આપોન શુરે ડિબે ભોરી સોકોલ છિદ્રો તાર.


ટાગોર દ્વારા ભાષાંતર (ગીતાજંલિ , કવિતા 7):[૭૪]

"મારા ગીતે તેના આભૂષણો ઊતારી નખાવ્યા હતા.તેણીને ડ્રેસ કે શણગારનો ગર્વ ન હતો.આભૂષણો આપણા સમુદાયને નુકસાન પહોંચાડશે; તે તેઓ અને મારા વચ્ચે આવશે. ; તેનો રણકાર તેના ગણગણાટને શાંત કરી દેશે.
"મારી કવિતાની વ્યર્થતા તે જુએ તે પહેલાં શરમમાં મરી જાય છે.ઓ મહાન કવિ, મે તેને ચરણે ધરી છે.મને મારૂં જીવન સીધુ અને સરળ બનાવવા દો. જે રીતે વાંસળીમાં સંગીત ભરાય છે."


"ક્લાન્તી" (બંગાળી: ক্লান্তি; "થાક"), ગીતાજંલિ માં છઠ્ઠી કવિતા


এই দীনতা ক্ষমা করো,প্রভু,
পিছন-পানে তাকাই যদি কভু।
দিনের তাপে রৌদ্রজ্বালায় শুকায় মালা পূজার থালায়,
সেই ম্লানতা ক্ষমা করো, ক্ষমা করো প্রভু।।
ક્લાન્તિ અમર ખોમા કોરો, પ્રોભુ
પોથે જોડી પીછીયે પોરિ કોભુ
એઇ જે હિયા થોરો થોરો કાપે આજી એમોન્તોરો,
ઇ બેડોના ખોમા કોરો, ખોમા કોરો પ્રોભુ.


ઇ દિનોતા ખોમા કોરો, પ્રોભુ,
પિછોન-પાને તાકાઇ જોડી કોભુ.
દિનેર ટાપે રૌદ્રોજાલી શુકાએ માલા પુજાર થાલીયે,
શેઇ મ્લાનોતા ખોમા કોરો, ખોમા કોરો, પ્રોભુ.

ટાગોરની કવિતાઓને વિવિધ કંપોઝરો દ્વારા તાલબદ્ધ કરવામાં આવી છે. તેમાંની કંપોઝર આર્થર શેફર્ડની ઊંચા અવાજવાળી તંતુવાદ્ય ધરાવતી ચાર ગાયકોની જોડીની તખ્તી તેમજ કંપોઝર ગેરી શિમેનની "પ્રાણ," તે ટાગોરની કવિતા "સ્ટ્રીમ ઓફ લાઇફ" ગીતાંજલિમાંથી લેવામાં આવી છે.ત્યાર બાદમાં તેને સ્થાનિક પલબાષા સિદ્દીકી દ્વારા કંપોઝ અને રેકોર્ડ કરવામાં આવી હતી. આ માટે તેમણે ઈન્ટરનેટ સેલિબ્રિટી મેટ્ટ હાર્ટિંગનો વાઈરલ વિડિયો માટે સાથ લીધો હતો.[૭૫][૭૬][નોંધનીયતા શંકાસ્પદ?]

રાજકીય મંતવ્યો[ફેરફાર કરો]

મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાને 1940માં શાંતિનિકેતનમાં આવકારતા ટાગોર(ડાયસ પર જમણી બાજુ)

ટાગોરના રાજકીય વિચારો જટીલ હતા. તેમણે યુરોપીયન સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો હતો અને ભારતીય રાષ્ટ્રવાદીઓને ટેકો આપ્યો હતો.[૭૭][૭૮][૭૯] હિન્દુ-જર્મન કાવતરા કેસના ખટલા દરમિયાન રજૂ કરવામાં આવેલા પુરાવા તેમને ઘડારાઇટ કાવતરાની જાણ હતી તે વાતને પુષ્ટિ આપે છે. પુરાવામાં જણાવાયું હતું કે તેમણે જાપાનના વડાપ્રધાન કાઉન્ટ તિરૌચી અને ભૂતપૂર્વ વડાપ્રધાન કાઉન્ટ ઓકુમાનો સહકાર માંગ્યો હતો. [૮૦]તેમણે સ્વદેશી ચળવળનો વિરોધ કર્યો હતો અને તેને ચરખા સંપ્રદાય ગણાવ્યો હતો, 1925નો તીખો નિબંધ[૮૧]. તેમણે વિકલ્પ તરીકે સ્વસહાય અને સામુદાયિક બૌદ્ધિક સુધારા પર ભાર મુક્યો હતો અને જણાવ્યુ હતું કે બ્રિટીશ સામ્રાજ્યવાદ આપણી સામાજીક બિમારીનું ચિહ્ન છે. તેમણે ભારતીયોને તે સ્વીકારવા વિનંતી કરી હતી કે આંધળી ક્રાંતિનો કોઇ પ્રશ્ન નથી પરંતુ સતત અને ઉદેશપૂર્ણ શિક્ષણની જરૂર છે.[૮૨][૮૩]

આવા મંતવ્યોએ ઘણા લોકોને ગુસ્સે કર્યા હતા અને તેમનો જીવ જોખમમાં મુક્યો હતો1916માં સાન ફ્રાન્સિસ્કોમાં એક હોટલ ખાતે રોકાણ દરમિયાન વિદેશમાં રહેતા ભારતીય દ્વારા થયેલા હુમલામાં બાલબાલ બચ્યા હતા.આ કાવતરું એટલે નિષ્ફળ ગયું હતું કે ભાવિ હુમલાખોરો દલીલમાં પડી ગયા હતા[૮૪]તેમ છતાં તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના ગુણગાન ખાતા ગીતો લખ્યા હતા અને 1919ના જલીયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં પોતાનો ખિતાબનો ત્યાગ કર્યો હતો.[૮૫] રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની એવી ટાગોરની બે કૃતિઓ, ચિત્તો જેથા ભયશુન્યો (ભય વગરનું ચિત્ત) અને એકલા ચાલો રે (જો તેઓ ઇશ્વરની હાકલ જવાબ ન આપે તો એકલો જાને રે) ભારે લોકપ્રિય થઇ હતી. એકલા ચાલો રેની ગાંધીજીએ પણ તરફેણ કરી હતી.ગાંધીજી સાથે તેમના સંબંધ તોફાની હતા તેમ છતાં ટાગોરે ગાંધી-આંબેડકર વિવાદને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં અછૂત માટે અલગ મતદાનની માંગ કરવામાં આવી હતી અને ગાંધીની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.[૮૬][૮૭]

ટાગોરે પેરટ્સ ટ્રેઇનિંગમાં સમજણ વગરની ગોખણપટ્ટીવાળી શિક્ષણપ્રથાની ટીકા કરી હતી જેમાં એક પક્ષીને પાંજરામાં પુરી રાખવામાં આવે છે અને તે મરી ન જાય ત્યાં સુધી તેને પુસ્તકના પાના ફાડવા ફરજ પાડવામાં આવે છે.[૮૮][૮૯] ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી હતી ત્યારે તેમને નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો હતો અને તેમના આશ્રમ શાંતિનિકેતનને વિશ્વ સાથે જોડતા સેતુ તરીકે વિકસાવવાની ઇચ્છા થઇ હતી. તેઓ શાંતિનિકેતનને રાષ્ટ્રીય અને ભૌગોલિક મર્યાદાઓથી પર માનવતા અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા.[૮૪]તેમણે શરૂ કરેલી [ζ]વિશ્વ ભારતી નામની શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો બાદમાં તેનું 22 ડિસેમ્બર 1921ના રોજ ઉદઘાટન થયું હતું.[૯૦] અહીં ટાગોરે બ્રહ્મચર્ય પ્રકારની શિક્ષણશૈલી અપનાવી હતી જેમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન પુરું પાડવા ગુરુ ની નિયુક્તિ કરાઇ હતી.ટાગોરે શાળા અને સ્ટાફ માટે ભંડોળ ઉભું કરવા સખત મહેનત કરી હતી. તેમણે તે તેમના નોબલ પારિતોષના તમામ પૈસામાં પણ તેમાં ખર્ચી નાંખ્યા હતા.[૯૧] ટાગોરની શાંતિનિકેતન ખાતે કારભારી અને માર્ગદર્શક તરીકે જવાબદારીએ તેમને સતત વ્યસત રાખ્યા હતા તે સવારે વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને બપોરે અને સાંજે વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો લખતા હતા.[૯૨] ટાગોરે ભંડોળ ઉભું કરવા 1919થી 1921 દરમિયાન યુરોપ અને અમેરિકામાં પણ સખત મહેનત કરી હતી.[૯૩]

અસર અને વારસો[ફેરફાર કરો]

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરીયલના ટાગોર મેમોરીયલ ખંડ(અમદાવાદ, ભારત)માં ટાગોરની પ્રતિમા

ટાગોરની જન્મજયંતિ પ્રસંગે અમેરિકામાં અર્બાના ઇલિનોઇસ ખાતે ઉજવાતા વાર્ષિક ટાગોર ઉત્સવ કબિપ્રણામ , કોલકાતાથી શાંતિનિકેતન સુધી રવિન્દ્ર પથ પરિક્રમા , મહત્ત્વની જયંતિઓ પ્રસંગે ટાગોરની કવિતાઓનું પઠન અને અન્ય બાબતો પરથી ટાગોરની સુસંગતતા સાબિત થાય છે.[૩૨][૯૪][૯૫] બંગાળી સંસ્કૃતિમાં આ વારસો નોંધપાત્ર રીતે જણાય છે. નોબલ પારિતોષક વિજેતા અમર્ત્યા સેન ટાગોરને અત્યંત સુસંગત અને બહુમુખી સમકાલીન વિચારક તરીકે અદના આદમી ગણાવે છે.[૯૫] ટાગોરનું બંગાળી ભાષામાં લખાણ- 1939Rabīndra Racanāvalī રવિન્દ્ર રચનાવલીને બંગાળના મહાન સાંસ્કૃતિક ખજાનામાંનું એક ગણવામાં આવે છે. ટાગોર પોતે ભારતના મહાન કવી તરીકે દાવો કરતા હતા.[૯૬]

ટાગોર યુરોપ, ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયા સુધી પ્રખ્યાત બન્યા હતાતેમણે જાપાનમાં વિકાસકારી સહશિક્ષણ આપતી સંસ્થા ડાર્ટિંગ્ટન હોલ સ્કૂલની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે યાસુનારી કાવાબટા જેવા નોબર પારિતોષક વિજેતાઓને પ્રભાવિત કર્યા હતા.[૯૭] ટાગોરની કૃતિઓનું ઝેક ઇન્ડોલોજિસ્ટ વિન્કેન્ક લેસ્ની, [૯૮]ફ્રેન્ચ નોબલ પારિતોષક વિજેતા આન્ડ્રે ગાઇડ, રશિયન કવી અન્ના અખ્માટોવા, તૂર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન બ્યુલેન્ટ એકિવટ અને અન્ય લોકોએ અંગ્રેજી, ડચ, જર્મન, સ્પેનિશ અને અન્ય યુરોપીયન ભાષાઓમાં ભાષાંતર કર્યું હતું.અમેરિકામાં (1916થી 1917ની વચ્ચે) ટાગોરના વક્તવ્યો સાંભળવા લોકોની ભારે ભીડ જામતી હતી અને તેમને તાળીઓના ગડગડાટથી વધાવતા હતા પરંતુ 1920 બાદ ટાગોરને લગતા કેટલાક વિવાદો[η]ને કારણે જાપાન અને ઉત્તર અમેરિકામાં તેમની લોકપ્રિયતા ઘટી હતી અને બંગાળની બહાર તેમની લોકપ્રિયતાનું લગભગ પૂર્ણ ગ્રહણ થયું હતું.[૯૯]

વલ્લાડોલીદમાં ટાગોરનું પુતળું


ભાષાંતર મારફતે ટાગોરે સ્પેનિશ સાહિત્યને પ્રભાવિત કર્યું હતું જેમાં ચીલેના પેબ્લો નેર્યુબા અને ગેબ્રીલા મિસ્ટ્રલ, મેક્સોકોના લેખક ઓક્ટાવીઓ પાઝ અને સ્પેનિયાર્ડ્સ જોઝ ઓર્ટેગા ગેસેટ, ઝીનોબીયા કેમ્બરુબી અને જૌન રેમન જીમેનીઝનો સમાવેશ થાય છે. 1914-1922ની વચ્ચે જીમીનેઝ-કેમ્પરુબીની પત્નીએ ટાગોરની બાવીસ પુસ્તકોનું અંગ્રેજીમાંથી સ્પેનિશમાં ભાષાંતર કર્યું હતું.ઢાંચો:Inote આવા કામને ટાગોરના ધ ક્રેસેન્ટ મૂન તરીકે નવીનકરણ કર્યું હતું.આ દરમિયાન જીમેનીઝે નગ્ન કવિતા લખી હતી (સ્પેનિશ પોએસયા દેસનુડા) જે સીમાચિહ્નરૂપ નવીનતા હતીSpanish: «poesia desnuda». [૧૦૦]ઓર્ટેગા ગેસેએ લખ્યું હતું કે, ટાગોરની વ્યાપક અપીલ (જે તે વાસ્તવિકતામાંથી આવે છે કે) તે પૂર્ણતા માટે આપણામાં રહેલી ઉત્કંઠા અંગે વાત કરે છે...તે સુષુપ્ત લાગણીને જગાડે છે અને વાંચકની અપેક્ષાઓ પૂર્ણ કરે છે. 1920માં ડેન્ટી અલીગીરી, મિગ્યુએલ દી સર્વન્ટીસ, જોહન વોલ્ફગેન્ગ વોન ગોએથે, પ્લેટો અને લીઓ તોલ્સટોયની સાથે સાથે ટાગોરની કૃતિઓના અંકોનું મફત વિતરણ થતું હતું.


ટાગોરનું કેટલાક પશ્ચિમી લોકો દ્વારા વધુ પડતું મૂલ્યાંકન કરાયું હતું. તેમનામાંથી કોઇએ તેમની મૂળ બંગાળીમાં લખાયેલી કવીતાઓ વાંચી ન હતી.ગ્રેહમ ગ્રીનીએ શંકા વ્યક્ત કરી હતી કે યીટ તેમની કવીતાઓને ગંભીરતાથી લઇ શકે છે.[૯૯] લેટિન અમેરિકામા ટાગોરના લેખોના આધુનિક અવશેષો મળ્યા છે દાખલા તરીકે, સલમાન રશદીનો નાઇકારાગુઆ પ્રવાસ[૧૦૧]

7 મે 2009ના રોજ Google India એ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું જે તેમની 148મી જન્મજયંતિ હતી.[૧૦૨]

ગ્રંથસૂચિ (આંશિક)[ફેરફાર કરો]

  • ^ α: Indian English pronunciation:
    ɾəbin̪d̪ɾənat̪ʰ ʈæˈɡoɾ.
  • ^ β: Romanized transliteration from Tagore's name in Bengali script:
    Robindronath Ţhakur .
  • ^ γ: In the Bengali calendar: 25 Baishakh, 1268–22 Srabon, 1348.
  • ^ δ: Gurudev translates as "divine mentor".[૧૦૮]
  • ^ ε: Tagore was born at No. 6 Dwarkanath Tagore Lane, Jorasanko—the address of the main mansion (the Jorasanko Thakurbari) inhabited by the Jorasanko branch of the Tagore clan, which had earlier suffered an acrimonious split. Jorasanko was located in the Bengali section of Calcutta, near Chitpur Road.[૧૦૯]
  • ^ ζ: Etymology of "Visva-Bharati": from the Sanskrit term for "world" or "universe" and the name of a Rigveda goddess ("Bharati") associated with Saraswati, the Hindu patron goddess of learning.[૯૦] "Visva-Bharati" also translates as "India in the World".
  • ^ η: Tagore was mired in several notable controversies, including his dealings with Indian nationalists Subhas Chandra Bose[૯૯] and Rash Behari Bose,[૧૧૦] his expressions of admiration for Soviet-style Communism,[૧૧૧][૧૧૨] and papers confiscated from Indian nationalists in New York allegedly implicating Tagore in a plot to use German funds to overthrow the British Raj.[૧૧૩] The latter allegation caused Tagore's book sales and popularity among the U.S. public to plummet.[૧૧૦] Lastly, his relations with and ambivalent opinion of Italian dictator Benito Mussolini revolted many, causing Romain Rolland (a close friend of Tagore's) to state that "[h]e is abdicating his role as moral guide of the independent spirits of Europe and India".[૧૧૪]

નોંધ[ફેરફાર કરો]

  1. [8] ^ રવિન્દ્રનાથ ટાગોર, સાહિત્યમાં ૧૯૧૩માં નોબેલ પ્રાઇઝના વિજેતા
  2. Datta, Pradip Kumar (2003). "Introduction". Rabindranath Tagore's The Home and the World: A Critical Companion. Orient Longman. પૃષ્ઠ 2. ISBN 8178240467.
  3. Kripalani, Krishna (1971). "Ancestry .". Tagore, A Life. Orient Longman. પૃષ્ઠ 2–3. line feed character in |chapter= at position 9 (મદદ)
  4. [13] ^ પાન.6, પાન.8 "દ્વારકાનાથ ટાગોર" ક્રિશ્ન ક્રિપલાની 1980 પહેલી આવૃત્તિ. પુન પ્રિન્ટીંગ 2002 ISBN 81-237-3488-3
  5. Dutta & Robinson 1995, pp. 55–56.
  6. Stewart & Twichell 2003, p. 91.
  7. Stewart & Twichell 2003, p. 3.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ Chakravarty 1961, p. 45.
  9. Dutta & Robinson 1997, p. 265.
  10. Dutta & Robinson 1995, p. 373.
  11. Dutta & Robinson 1995, pp. 109–111.
  12. Dutta & Robinson 1995, p. 109.
  13. Dutta & Robinson 1995, p. 133.
  14. Dutta & Robinson 1995, pp. 139–140.
  15. Hjärne 1913.
  16. Dutta & Robinson 1995, pp. 239–240.
  17. Dutta & Robinson 1995, p. 242.
  18. Dutta & Robinson 1995, pp. 308–309.
  19. Dutta & Robinson 1995, p. 303.
  20. Dutta & Robinson 1995, p. 309.
  21. Dutta & Robinson 1995, pp. 312–313.
  22. Dutta & Robinson 1995, pp. 335–338.
  23. [59] ^ તે નવાઇ પમાડે તેવી 18 ફૂટ ઊંચાઇ ધરાવે છે.[58].
  24. ૨૪.૦ ૨૪.૧ [60] ^ "પ્રોજેક્ટ ગુટેનવર્ગ ખાતે ચિત્ર"
  25. Asiatic Society of Bangladesh 2006.
  26. Dutta & Robinson 1995, p. 338.
  27. Indo-Asian News Service 2005.
  28. Dutta & Robinson 1995, p. 367.
  29. Dutta & Robinson 1995, p. 363.
  30. Dutta & Robinson 1995, pp. 374–376.
  31. Dutta & Robinson 1995, pp. 178–179.
  32. ૩૨.૦ ૩૨.૧ Tagore Festival Committee 2006.
  33. Chakravarty 1961, pp. 1–2.
  34. Dutta & Robinson 1995, p. 206.
  35. Chakravarty 1961, p. 182.
  36. Dutta & Robinson 1995, p. 253.
  37. Dutta & Robinson 1995, p. 256.
  38. Dutta & Robinson 1995, p. 267.
  39. Dutta & Robinson 1995, pp. 270–271.
  40. Chakravarty 1961, p. 1.
  41. Dutta & Robinson 1995, pp. 289–292.
  42. Dutta & Robinson 1995, pp. 303–304.
  43. Dutta & Robinson 1995, pp. 292–293.
  44. Chakravarty 1961, p. 2.
  45. Dutta & Robinson 1995, p. 315.
  46. Chakravarty 1961, p. 99.
  47. Chakravarty 1961, pp. 100–103.
  48. Dutta & Robinson 1995, p. 317.
  49. Dutta & Robinson 1995, pp. 192–194.
  50. Dutta & Robinson 1995, pp. 154–155.
  51. Mukherjee 2004.
  52. Dutta & Robinson 1995, p. 94.
  53. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Dasgupta_2001નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  54. Dutta & Robinson 1995, p. 359.
  55. Dutta & Robinson 1997, p. 222.
  56. Dyson 2001.
  57. ૫૭.૦ ૫૭.૧ Chakravarty 1961, p. 123.
  58. Dutta & Robinson 1995, pp. 79–80.
  59. Dutta & Robinson 1997, pp. 21–23.
  60. Chakravarty 1961, pp. 123–124.
  61. Chakravarty 1961, p. 124.
  62. Chakravarty 1961, pp. 45–46.
  63. Chakravarty 1961, pp. 48–49.
  64. Roy 1977, p. 201.
  65. Stewart & Twichell 2003, p. 94.
  66. Urban 2001, p. 18.
  67. Urban 2001, pp. 6–7.
  68. Urban 2001, p. 16.
  69. Stewart & Twichell 2003, p. 95.
  70. Stewart & Twichell 2003, p. 7.
  71. Dutta & Robinson 1995, p. 281.
  72. Dutta & Robinson 1995, p. 192.
  73. Stewart & Twichell 2003, pp. 95–96.
  74. Tagore 1977, p. 5
  75. [181] ^ યૂટ્યૂબ ખાતે વીડીયો.
  76. ગેરી શાર્યમેનનો માયસ્પેસ પરનો બ્લોગ
  77. Dutta & Robinson 1997, p. 127.
  78. Dutta & Robinson 1997, p. 210.
  79. Dutta & Robinson 1995, p. 304.
  80. Brown 1948, p. 306
  81. Dutta & Robinson 1995, p. 261.
  82. Dutta & Robinson 1997, pp. 239–240.
  83. Chakravarty 1961, p. 181.
  84. ૮૪.૦ ૮૪.૧ Dutta & Robinson 1995, p. 204.
  85. Dutta & Robinson 1995, pp. 215–216.
  86. Dutta & Robinson 1995, pp. 306–307.
  87. Dutta & Robinson 1995, p. 339.
  88. Dutta & Robinson 1997, p. 267.
  89. Tagore & Pal 1918.
  90. ૯૦.૦ ૯૦.૧ Dutta & Robinson 1995, p. 220. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Dutta_1995_220" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  91. Roy 1977, p. 175.
  92. Chakravarty 1961, p. 27.
  93. Dutta & Robinson 1995, p. 221.
  94. Chakrabarti 2001.
  95. ૯૫.૦ ૯૫.૧ Hatcher 2001.
  96. Kämpchen 2003.
  97. Dutta & Robinson 1995, p. 202.
  98. Cameron 2006
  99. ૯૯.૦ ૯૯.૧ ૯૯.૨ Sen 1997. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Sen_1997" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  100. Dutta & Robinson 1995, pp. 254–255.
  101. Dutta & Robinson 1995, p. 255.
  102. Google Logos.
  103. ""{/ ધી ક્રિસેન્ટ મૂન}
  104. ""ધ હંગ્રી સ્ટોન"". મૂળ માંથી 2007-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-21.
  105. "કબીના ગીતો"
  106. "સ્ટ્રે બર્ડઝ"
  107. "થોટ રેલિક્સ"
  108. Sil 2005.
  109. Dutta & Robinson 1995, p. 34.
  110. ૧૧૦.૦ ૧૧૦.૧ Dutta & Robinson 1995, p. 214.
  111. Dutta & Robinson 1995, p. 297.
  112. Dutta & Robinson 1995, pp. 214–215.
  113. Dutta & Robinson 1995, p. 212.
  114. Dutta & Robinson 1995, p. 273.

સંદર્ભો[ફેરફાર કરો]

  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • [288]
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).

પૂરક વાંચન[ફેરફાર કરો]

  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).
  • ([[#CITEREF|]]).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

રવિન્દ્રનાથ ટાગોર વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
આત્મકથાનક
  • "Rabindranath Tagore". Calcutta Web. મૂળ માંથી 2006-09-02 પર સંગ્રહિત. મેળવેલ 15 December. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
  • "Tagore and his India". Nobel Foundation. મેળવેલ 15 December. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
  • "Rabindranath Tagore: The Founder". Visva-Bharati (Shantiniketan). મૂળ માંથી 2005-12-15 પર સંગ્રહિત. મેળવેલ 15 December. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
વાતચીત
વાંચન
Texts


Settings
પૃથ્થકરણ