ભારતનો ઇતિહાસ

વિકિપીડિયામાંથી
દક્ષિણ એશીયાનો ઇતિહાસ
મહેરગઢ સંસ્કૃતિ 7000-3300 BC
સિંધુ ખીણની સંસ્કૃતિ 3300-1700 BC
કબ્રસ્તાન એચ સંસ્કૃતિ 1700-1300 BC
વૈદિક સંસ્કૃતિ 1700-500 BC
કુરૂ રાજવંશ 1200-316 BC
મહાજનપદ 700-321 BC
મૌર્ય સામ્રાજ્ય 321-184 BC
મધ્યયુગીન રાજ્યો 184 BC - 1279 CE
ગુપ્તા સામ્રાજ્ય 240-550
ચોલા સામ્રાજ્ય 848-1279
ઇસ્લામી સામ્રાજ્યો 979-1596
દિલ્હી સલ્તનત 1210-1526
વિજયનગર સામ્રાજ્ય 1336-1565
મુઘલ યુગ 1526-1757
કંપની રાજ 1757-1857
પહેલો આઝાદી વિપ્લવ 1857-1858
બ્રિટીશ રાજ 1858-1947
સ્વતંત્રતા ચળવળ 1858-1947
ભારતના ભાગલા 1947-1948
ભારત ગણરાજ્યનો ઇતિહાસ
પાકિસ્તાનનો ઇતિહાસ
બાંગ્લાદેશનો ઇતિહાસ
આ લેખ 1942માં બ્રિટીશ ભારતના ભાગલા થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ.

ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.

પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી[૧] હખામંશી ઈસવીસન પુર્વે 543માં અને [૨]ઈસવીસન પુર્વે 326માં સિકંદર મહાન કર્યું. બેકટ્રીયાના ડેમેટ્રીયસે ભારતીય-યૂનાની શાસનની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેનાન્દરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યૂનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો.

મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્ય હસ્તક એક રહ્યો.આ સમયગાળો [[હિન્દુ |હિન્દુ]] ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવણર્કાળ તરીકે ઓળખાય છે.

આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત, ચાલુક્ય, ચોલા, પલ્લવ અને પંડ્યાઓના શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ [[દક્ષિણ-પૂર્વીય એશિયા |દક્ષિણ-પૂર્વીય એશીયામાં]] ફેલાવો થયો.

કેરળના ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ 712માં (CE) થયો જ્યારે એક આરબ જનરલ મહંમદ બિન કાસીમે દક્ષિણ પંજાબના,[૩] મુલતાન અને સિંધ પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે ભારતીય ઊપખંડમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવી, ઘોરી, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિંદુ રજવાડાં જેવાં કે, મરાઠા સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનો, બલોચી, અને શીખોને બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ[૪]દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો

18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો.

કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે બ્રિટીશ રાજા દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા માટેના પ્રથમ યુધ્ધનો પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો ઝડપી વિકાસ જોવા માંડ્યો.

20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા ચળવળની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ ઊપખંડને, ભાગલા બાદ, આધિપત્યમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી 1947માં આઝાદી મળી.

ઇતિહાસ પૂ્ર્વેનો કાળ[ફેરફાર કરો]

પથ્થર યુગ/પIષIણ યુગ[ફેરફાર કરો]

ભીમબેટકા રોક પેઈન્ટિંગ (Bhimbetka rock painting)

[[મધ્ય ભારત

(Central India)માં નર્મદા નદીની ખીણ (Narmada Valley)માં હાથનોરામાં હોમો ઈરેક્ટસ (Homo erectus)ના અવશેષો મળી આવ્યા હતા જે એવો નિર્દેશ કરતા હતા કે ભારતમાં માનવ વસવાટ બે લાખથી પાંચ લાખ વર્ષ દરમિયાન મધ્ય પ્લીસ્ટોસીન  (Middle Pleistocene)દરમિયાન પણ થયો હશે[૫][૬]

જો કે, આફ્રિકા બહાર હિન્દ મહાસાગરના તટે વિકસેલી માનવ સંસ્કૃતિનો કોઈ અત્તોપત્તો મળતો નથીતામિલનાડુ (Tamil Nadu)( 75,000 વર્ષ પહેલા ટોબા જવાલામુખીના વિસ્ફોટ પહેલા અને પછી) માં મળેલા અવશેષો મુજબ હિમયુગ બાદ આવેલા પૂરને કારણે આ વિસ્તારમાં શરીર રચનાને લગતા કેટલાક અવશેષો મળ્યા છે જે માનવ ઉત્પત્તિ તરફ ઈશારો કરે છે. ભારતીય ઊપખંડમાં મધ્ય પાષાણયુગ (Mesolithic) ગાળો ત્રીસ હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો અને તે 25,000 વર્ષને આવરી લે છે. ઊપખંડમાં માનવ સમૂહોનું વ્યાપક સ્થાયીત્વ આખરી હિમ યુગ (Ice Age)ના અંત પછી અથવા તો 12,000 વર્ષ પહેલાં થયુંસૌથી પ્રથમ કાયમી માનવ વસાહત 9000 વર્ષ પહેલાં આધુનિક મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલા ભીમબેટકાના ખડકો (Rock Shelters of Bhimbetka)માં જોવા મળી હતીઅગાઊ નીયોલિથિક (Neolithic) સંસ્કૃતિ દક્ષિણ એશિયામાં ઈસવીસન પૂર્વે 7000 વર્ષ (7000 BCE)પહેલાં હાલના પાકિસ્તાનના બલોચિસ્તાન (Balochistan)માં મેહગઢ (Mehrgarh) દ્વારા સ્થાપાઈ હતીભારતમાં આવેલા ખંભાતના અખાત (Gulf of Khambat)માં પણ નિયોલેથિક (Neolithic)સંસ્કૃતિના અવેશેષો મળ્યા છે. જે ઈ.સ.પુર્વે 7500 (7500 BCE)ની સાલના હોવાનું રીડીયોકાર્બન (radiocarbon dated) પદ્ધતિ દ્વારા જાણવા મળ્યું છે.[૭] સિંધુ નદીને કિનારે નિયોલેથિક સંસ્કૃતિ ઈં.સ.પુર્વે 6000 થઈ 2000 અને દક્ષિણ ભારતમાં ઈ.સ. પુર્વે 2800 થી 1200 વિકાસ પામી હતી.

આ ઉપખંડને પ્રદેશ કે જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે તે ઓછામાં ઓછા વીસ લાખ વર્ષો સુધી વસ્તી વસવાટ કરતી હતી.[૮][૯]આ ક્ષેત્રના પ્રાચિન ઇતિહાસમાં દક્ષિણ એશિયાના (South Asia) કેટલાક જૂની વસાહતો[૧૦] અને કેટલીક મુખ્ય સંસ્કૃતિનો સમાવેશ થાય છે.[૧૧][૧૨]

દક્ષિણ એશિયાની (South Asia) શરૂઆતની પૂરાતત્વીય જગ્યાઓ પ્રાચિન પ્રસ્તર યુગની (palaeolithic), હોમિનીડ (hominid) અને સોન રિવર ખીણના (Soan River valley) સ્થાનો હતી.[૧૩]ગ્રામ્ય જીવનની શરૂઆત મેહગઢ (Mehrgarh)ની ઉત્તર પાષાણયુગ (Neolithic) સ્થાન પરથી થઇ હતી,[૧૪]જ્યારે આ ક્ષેત્રની, પ્રથમ શહેરી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) છે, [૧૫]જે મુખ્યત્વે મોહેંજો દડો (Mohenjo Daro), લોથલ (Lothal) અને હડપ્પા (Harappa) જેવા સ્થાનો પર હતી. [૧૬]

ભારતનો કાંસ્ય યુગ[ફેરફાર કરો]

"સાધુ રાજા"

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની કલ્પનાનું સિંધુ ખીણની સંસ્કૃતિનો ભારતીય ઉપખંડના કાંસ્ય યુગની શરૂઆત આશરે 3300 બીસીઇની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે થઇ હતી.તેનું કેન્દ્ર મુખ્યત્વે ભારતના ગુજરાત (Gujarat), હરિયાણા (Haryana), રાજસ્થાન (Rajasthan) અને આજના પાકિસ્તાનના સિંધ (Sindh) અને પંજાબમાં (Punjab) હતું.પ્રાચિન ભારતનો (Ancient India) ઐતિહાસિક વિભાગ, જે મેસોપોટેમિયા (Mesopotamia) અને પ્રાચિન ઇજિપ્ત (Ancient Egypt) સાથે વિશ્વની ત્રણ સૌથી જૂની સંસ્કૃતિમાં ગણાય છે.પ્રાચિન ઇન્ડસ નદીની (Indus river) ખીણના રહેવાસીઓ હડપ્પન લોકોએ ધાતુવિદ્યામાં નવી શોધો કરી હતી અને તાંબુ, કાંસ્ય અને કલાઇનું ઉત્પાદન કર્યુ હતું.

આશરે 2600 બીસીઇથી 1900 બીસીઇ વચ્ચે પાંગરેલી સિંધુ ખીણની સંસ્કૃતિને ઉપખંડમાં શહેરી સંસ્કૃતિની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.પ્રાચિન સંસ્કૃતિમાં આધુનિક ભારતના (India) ધોળાવીરા (Dholavira), કાલિબાંગન (Kalibangan), રાખીગર્હી (Rakhigarhi), લોથલ (Lothal) તથા આધુનિક પાકિસ્તાનના (Pakistan) હડપ્પા (Harappa), ગનેરીવાલા (Ganeriwala), મોહેંજો દડાનો (Mohenjo-daro) સમાવેશ થાય છે.આ સંસ્કૃતિ તેના ઇંટો દ્વારા બંધાયેલા શહેરો, ગટર વ્યવસ્થા અને બહુમાળી મકાનો માટે જાણીતી છે.

તે સિંધુ નદી અને તેની ઉપનદીઓમાં કેન્દ્રીત હતી અને તે ઘગ્ગર-હકરા નદીની (Ghaggar-Hakra River) ખીણ,[૧૧] તથા ગંગા-યમુના દોઆબ (Ganges-Yamuna Doab),[૧૭] ગુજરાત (Gujarat),[૧૮] અને ઉત્તર અફઘાનિસ્તાન (Afghanistan) સુધી વિસ્તરી હતી.[૧૯]

વૈદિક કાળ[ફેરફાર કરો]

સ્વસ્તિક (Swastika)
અરૂણ (Aum)

વૈદિક કાળને (Vedic period) વેદની (Veda) ઋચાઓ સાથે સાંકળતી ઇન્ડો-આર્યન (Indo-Aryan) સંસ્કૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે, જે હિન્દુઓ માટે પવિત્ર છે અને તે મૌખિક રીતે વૈદિક સંસ્કૃતમાં (Vedic Sanskrit) રચવામાં આવ્યા હતા. વેદો (Vedas) કેટલાક જૂનામાં જૂના લેખો પૈકી સ્થાન ધરાવે છે, જે ઇજિપ્ત અને મેસોપોટેમિયાના લેખો પછીનાં છે.

આ વૈદિક કાળ ઈસવીસન પુર્વે 1500 થી ઈસવીસન પુર્વે 500 સુધી ચાલ્યો.જે દરમિયાન હિન્દુત્વ (Hinduism) અને જૂના ભારતીય (India) સમાજની કેટલીક સાંસ્કૃતિક બાબતોનો પાયો નંખાયો હતો. આર્યોએ સમગ્ર ઉત્તર ભારતમાં (North India)અને ખાસ કરીને ગંગાતટના પ્રદેશોમાં વૈદિક (Vedic) સંસ્કૃતિને સ્થાપિત કરી.

ઇન્ડો-આર્યન બોલતી જાતિઓના કાયમી વસવાટને પરિણામે આ સમય આવ્યો, જેઓ તેમને આર્યો (ārya, આર્યો (Aryan)) ગણાવતા હતા. તેમણે તે સમયનાં સ્થાનિક લોકોની સંસ્કૃતિને દબાવી દીધી જેમને તેઓ દસ્યુ કહેતા હતાજો કે, આર્ય પ્રજાના મુળ વતન અંગે હજૂ(રાજકીય) વિવાદ ચાલી રહ્યો છે.સેન્ટ્રલ એશિયા અંગે વિદ્રાનો વચ્ચે એકમત સ્થપાયો છે પરંતુ હાલમાં કેટલાક લેખકો તેના આર્યો ભારતીય હોવાનું માને છે. ભારત બહારની થયરી (Out of India)માં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આર્યો (Aryan)ભારતમાંથી બહાર જઈને મધ્ય એશિયા (Central Asia) અને યુરોપમાં વસ્યા હતા.19મી સદીમાં આર્યોના આક્રમણની થિયરી વિદ્વાનો સ્થાળાંતરની વિવિધ થિયરીઓને લઈને તેની વાત કરતા રહ્યા છે. હાલમાં પણ, કેટલાક થિયરીઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે.

પુરાણી વૈદિક સમાજમાં ગ્રામ્ય વિસ્તારો વધારે હતા, પરંતુ હરપ્પા સંસ્કૃતિ બાદ માટીના વાસણોનું મહત્વ ઘટ્યું હતું. [૨૦]ઋગવેદ (Rigveda)બાદ આર્ય સંસ્કૃતિ વધુને વધુ ખેતી તરફ વળીતેમજ સામાજીક રીતે વધુ સંગઠીત બની અને ચાર વર્ણ (Varnas)માં વહેંચાઈહિંદુઓનાં મુખ્ય ગ્રંથો વેદો (Vedas)ઉપરાંત સંસ્કૃત મહાકાવ્યો રામાયણ (Ramayana) અને મહાભારત (Mahabharata)નાં મુખ્ય કથાનકનો ઉદ્ભવ પણ આજ કાળ દરમિયાન થયો હોવાનું મનાય છે.[૨૧]પુરાતત્વિય સંશોધનોમાં જણાય છે કે ઈન્ડો-આર્યન સંસ્કૃતિમાં પણ માટીના વાસણો (Ochre Coloured Pottery)બનાવવાની કળા અસતિત્વ ધરાવતી હતી[૨૨].

અરવાડ (Arwad) બાદ દુનિયાનું બીજા નંબરનું પ્રજાસત્તાક (republic) રાજ્ય લિચ્છાવી (Licchavi)નું વૈશાલી (Vaishali)પાટનગર (capital)હતું. [૨૩]

śyāma ayasકાળી ધાતુના નામે લોખંડનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદ (Atharvaveda)માં મળે છે. ઈ.સ પુર્વે 1000 (1000 BCE)માં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લોહ યુગની શરૂઆતમાં જ કૂરૂ (Kurus)[૨૪]ઓના સામ્રાજયમાં કાળા અને લાલ કલરના માટીના વાસણો (Black and Red Ware)અને ગ્રે કલરના માટીના વાસણો (Painted Gray Ware)ની આપલે થતી હતી.ઈસ. પુર્વે 1100 થી ઈસ.પુર્વે 600[૨૨] સુધી ઉત્તર ભારતમાં ગ્રે કલરના માટીના વાસણો (Painted Grey Ware)ની સંસ્કૃતિનો ફેલાવો થયો હતો. આદિવાસીની જેમ રહેતા આ લોકો હવે ધીમે ધીમે સામ્રાજયની સ્થાપના તરફ વળવા લાગ્યા હતા જેને તેઓ મહાજનપદ કહેતા હતા.

મહાજનપદ[ફેરફાર કરો]

ભારત (India)માં આવેલા બિહાર (Bihar)ના બોધ્ધ ગયા (Bodh Gaya)ની ફાલ્ગુ (Falgu) નદીને કિનારે બોધ આપતા પહેલા ગૌતમ બુદ્ધે (Gautama Buddha) ઘણી તપસ્યા કરી હતી.
ઈસ.પુર્વે 1375-1400 વચ્ચે લખાયેલા કલ્પસુત્ર (Kalpa Sutra)માં જૈન ધર્મ (Jain)ના 24માં તીર્થંકર (Tirthankara) મહાવીર સ્વામી (Mahavira)ના જન્મની વિગતો આપવામાં આવી છે.
તે યુગમાં પ્રાચીન ભારત (Ancient India)માં ઈન્ડો-ગંગાના પ્રદેશ (Indo-Gangetic plains)માં 16 શક્તિશાળી મહાજનપદ (Mahajanapadas) હતા, જો કે તેઓ નાના નાના સામ્રાજ્યો હતા.
સારીપુટ્ટા (Sariputta)નો સ્તુપ (stupa) નાલંદા વિશ્વવિદ્યાલય (Nalanda University) આવ્યો હતો.ઇતિહાસમાં નોંધાયેલી પ્રથમ મહાન યુનિવર્સિટી (university) હતી.

વૈદિક યુગમાં ઉપખંડમાં નાના નાના સામ્રાજ્યોનું અસતિત્વ હતું.જેઓનું વૈદિક, તેમજ ઈસ પુર્વે 1000 થી ઈસ પુર્વે 500માં લખાયેલા બુદ્ધીસ્ટ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે. 16 સામ્રાજ્યો કે જેઓ પ્રજાસત્તાક તરીકે ઓળખાતા હતા તેઓનો આ મુજબ છે મહાજન પદ (Mahajanapadas),- કાશી (Kasi), કોસલ (Kosala)અંગ (Anga), મગધ (Magadha), વાજ્જી (Vajji) અથવા વ્રીજી, મલ્લ (Malla), ચેડી (Chedi), વત્સ (Vatsa) અથવા વામસા, કુરુ (Kuru), પાંચાલ (Panchala), મચ્છ (Machcha) અથવા મત્સ્ય, સુરસેના (Surasena), અશાકા (Assaka), અવંતિ (Avanti), ગાંધાર (Gandhara), કંબોજ (Kamboja), આ રાજ્યો ઈન્ડો ગંગા પ્રદેશમાં (Indo-Gangetic plains)વસ્યા હતા આ વિસ્તાર હાલમાં અફઘાનિસ્તાનથી બંગાળ અને મહારાષ્ટ્ર સુધીનો ગણી શકાય છે.સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ ભારતમાં શહેરીકરણ આ સમયગાળા દરમિયાન થયું હતું.આ સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવેલા સામ્રાજ્યોના કેટલાક વંશજો હાલમાં પણ ઉપખંડમાં જોવા મળે છે. કેટલાક રાજાઓ વશંપરંપરાગત રીતે સત્તા પર આવતા હતા જ્યારે કેટલાક રાજાઓને પ્રજા ચુંટતી હતી.તે વખતે ભદ્ર વર્ગના લોકો સંસ્કૃત (Sanskrit) બોલતા હતા પરંતુ ઉત્તર ભારતમાં સામાન્ય લોકો પ્રાકૃત (Prakrit)બોલી બોલતા હતી.16 સામ્રાજ્યો ભેગા બનીને ઈસ પુર્વે 500-400 દરમિયાન સિદ્ધાર્થ ગૌતમ (Siddhartha Gautama)ના સમયમાં ચાર સામ્રાજ્યો અસતિત્વમાં આવ્યા હતાજે ચાર રાજ્યો બન્યા તે વત્સ (Vatsa), અવંતિ (Avanti), કોસલ (Kosala), અને મગધ (Magadha) હતા[૨૫]

તે સમયે હિન્દુ કર્મકાંડ ઘણા જ જટીલ હતી જે માત્ર પુજારીઓ દ્વારા જ કરવામાં આવતા હતા.ઈસ પુર્વે 600-400ની શરૂઆતમાં મહાજનપદ દરમિયાન તેમજ વૈદિક યુગ બાદ અસતિત્વમાં આવેલા ઉપનિષદ (Upanishads)માં એવું માનવામાં આવે છે કે ઉપનિષદમાં ભારતના પ્રારંભિક દર્શનશાસ્ત્રની ચર્ચા કરાઈ છે. ઉપનિષદ (Upanishad)ની ભારતીય તત્વચિંતન (Indian philosophy)પર ભારે અસર છે. બૌદ્ધ અને જૈન (Jainism) ધર્મના વિકાસ સાથે જ આ ઉપનિષદ પણ અસતિત્વમાં હતા. આ ગ્રંથ મુજબ આ સમયગાળાનો સુર્વણયુગ હતા.એવું માનવામાં આવે છે કે ઈસવીસન પુર્વે 537માં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમને “જ્ઞાનપ્રાપ્તી” થઈ. આ બાદ તેઓ રાજકૂમાર ગૌતમ મટીને ‘બુદ્ધ‘ એક જ્ઞાની પુરૂષ બન્યા. આજ સમયગાળા દરમિયાન જૈન ધર્મના 24માં તીર્થંકર (Tirthankara) મહાવીરે (Mahavira) આ જ પ્રકારની નવી વિચારશરણી વિકસાવી હતી જે પછીથી જૈન (Jainism)ધર્મ તરીકે જાણીતી થઈ હતી.[૨૬]જો કે જૈન ધર્મના રૃઢીચુસ્તોનું માનવું છે કે ભગવાન બધુ જ જાણતા હતા.વેદ (Vedas)માં કેટલાક તીર્થંકરો અંગે કહેવામાં આવ્યું છે. શ્રમણ ચળવળ દરમિયાન તેઓના તપનો ઉલ્લેખ છે. [૨૭]બૌધ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં સંયમવૃતિ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ગ્રંથો પ્રાકૃત (Prakrit)માં હતા જેથી લોકોમાં જલ્દીથી પ્રસરી ગયા હતાઆ ગ્રંથોની હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો પર અસર કરી હતી. જેમાં શાકાહારી, પશુ હિંસા અને અહિંસાના સિદ્ધાંતોનો સમાવેશ થતો હતો.

ભૌગોલિક રીતે જૈન ધર્મ ભારત પુરતો સિમિત રહ્યો હતો જ્યારે બૌધ્ધ સાધુઓ અને સાધ્વીઓએએ બુદ્ધ ભગવાનનો બોધ મધ્ય એશિયા (Central Asia), પુર્વ એશિયા (East Asia), તિબેટ (Tibet), શ્રીલંકા (Sri Lanka) અને દક્ષિણ પુર્વ એશિયામાં ફેલાવ્યો હતો.

ફારસી અને યૂનાની હુમલાઓ[ફેરફાર કરો]

ઈસ પુર્વે 323 એશિયામાં નંદ સામ્રાજ્ય (Nanda Empire) અને ગંગાદિરાઈ સામ્રાજ્ય (Gangaridai Empire) અસતિત્વમાં હતું. એલેકઝાન્ડર (Alexander)ની સરખામણી કરતું હતું.

ઉત્તર પશ્ચિમ ભારતીય ઉપખંડ(હાલમાં પુર્વ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન)ના મોટાભાગ પર પર્શિયન સામ્રાજ્ય આશેમેનિડ સામ્રાજ્ય (Achaemenid Empire)ની સત્તા હતી. ઈસ પુર્વે 520 દરમિયાન દરાયસ ધ ગ્રેટ (Darius the Great)નું આધિપત્ય રહ્યું હતું જે બે સદીઓ સુધી ચાલ્યું હતું. [૨૮]ઈસ પુર્વે 326માં એલેકઝાન્ડર ધ ગ્રેટે (Alexander the Great) એશિયા માઈનોર અને આશેમેનિડ સામ્રાજ્ય પર કબ્જો જમાવ્યો અને ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમ કિનારા સુધી પહોંચી ગયો હતો. જ્યાં તેણે પુરૂ (Puru)રાજાનેહૈદસ્પેશના સંગ્રામ (Battle of the Hydaspes)માં હરાવ્યો(આ દિવસમાં પાકિસ્તાનના જેલમ) અને પંજાબના મોટાભાગ પર આધિપત્ય મેળવ્યું. [૨૯] એલેકઝાન્ડરની પુર્વ તરફની કુચ દરમિયાન તેને મગધ (Magadha)ના નંદ સામ્રાજ્ય (Nanda Empire)નો અને બંગાળ (Bengal)ના ગંગારિદાઈ સામ્રાજ્ય (Gangaridai Empire)નો સામનો કરવો પડ્યો આ સંગ્રામ બાદ એલેકઝાન્ડરનું સૈન્ય થાકી ગયું હતું અને ગંગા નદી કિનારે હૈફાસિસ (Hyphasis) (હાલમાં બિયાસ) (Beas)આગળ વધુ મોટા ભારતીય શત્રુઓનો સામનો કરવો પડશે તેની બીકે સૈનિકોએ આગળ વધવાનો ઈન્કાર કર્યો એલેક્ઝાન્ડરે આ બાદ તેના સેનાપતિ કોએનસ (Coenus) સાથે વાતચીત કરી અને પરત ફરવાનો નિર્ણય કર્યો

પર્શિયન અને ગ્રીકોના હુમલાઓને કારણે ભારતીય સંસ્કૃતિ પર ઘણી મહત્વની અસર પડી હતી. ઉપખંડમાં પર્શિયનની રાજકીય પદ્ધતિ પર તેના ભવિષ્યના રાજકારભાર પર પણ અસર પડી. જેમાં મૌર્ય વંશના તંત્રનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધાર (હાલમાં પુર્વ અફઘાનિસ્તા અને ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન)માં ભારતીય, પર્શિયન, મધ્ય એશિયન, અને ગ્રીક સંસ્કૃતિનું મિશ્રણ થયું જેથી એક અલગ પ્રકારની સંસ્કૃતિ ઉદભવી હતી. ગ્રીકો બુદ્ધીઝમ (Greco-Buddhism)ની પાંચમી સદી સુધી અસર રહી હતી જેના કારણે મહાયાન બુદ્ધીઝમ (Mahayana Buddhism) વિકાસ પર પણ તેની અસર પડી.

મૌર્ય કાળ[ફેરફાર કરો]

મોર્ય સામ્રાજ્ય (Maurya Empire) અશોક ધ ગ્રેટ (Ashoka the Great)હેઠળ

પ્રાચીન ભારતમાં મોર્ય સામ્રાજ્ય (Maurya Empire)(ઈસ પુર્વે 322-185) મૌર્ય રાજવંશ (Mauryan dynasty) દ્વારા ચલાવાતું હતું જે ભૌગોલિક રીતે વિશાળ, શક્તિશાળી અને રાજકીય રીતે મજબૂત સામ્રાજ્ય હતું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)એ કરી હતી જેને અશોક ધ ગ્રેટે (Ashoka the Great) વિસ્તાર્યું હતું. સામ્રાજ્ય જ્યારે પુર્ણપણે વિકસ્યુ હતું ત્યારે તે હિમાલય (Himalayas)થી લઈને હાલના આસામ (Assam)સુધી વિસ્તરર્યું હતું. તો પશ્ચિમમાં હાલના પાકિસ્તાન (Pakistan), બલુચિસ્તાન (Balochistan) અને મોટાભાગના અફઘાનિસ્તાન (Afghanistan) સુધી પહોચ્યું હતું.જેમાં હેરાત (Herat), કંધાર (Kandahar) પ્રાંતોનો સમાવેશ થઈ જતો હતો. આ સામ્રાજ્ય ભારતના મધ્ય અને દશ્રિણ ભાગોમાં પણ ચંદ્રગુપ્ત અને બિંદુસારે (Bindusara) ફેલાવ્યું હતું પરંતુ અવિકસિત એવા કલિંગ (Kalinga)પર આ રાજાઓએ નજર કરી ન હતી આ બાદ અશોક ધ ગ્રેટે (Ashoka the Great) આ વિસ્તાર પર જીતી લીધો હતો.

મધ્યકાળના આરંભના રજવાડાઓ- સુર્વણ કાળ[ફેરફાર કરો]

સુગ સામ્રાજ્ય (Sunga Empire) અને સતવાહન સામ્રાજ્ય (Satavahana Empire) દરમિયાન પ્રાચીન ભારત (Ancient India)

.

પ્રાચીન ભારત (Ancient India)નું કુશાન સામ્રાજ્ય (Kushan Empire)
બદામી ચાલુક્ય સામ્રાજ્ય (Badami Chalukya Empire)
રાજેન્દ્ર ચોલા (Rajendra Chola) હેઠળ ચોલા સામ્રાજ્ય (Chola Empire) સી.સી.ઈ 1030

મધ્ય કાળ સંસ્કૃતિના નોંધપાત્ર વિકાસ માટે નોંધનીય છે. સતવાહન (Satavahanas), કે જેઓ આંધ્ર તરીકે વધુ પ્રચલિત છે તેઓના વંશે દક્ષિણ અને મધ્ય ભારતમાં ઈસ પુર્વે 230 દરમિયાન થી રાજ્ય શરૂ કર્યું હતું. સતવાહન વંશના છઠ્ઠા શાસક સતકર્નિ (Satakarni)એ ઉત્તર ભારત (North India)ના સુંગ વંશના રાજાને હરાવ્યા હતાઆ વંશમાં ગૌતમીપુત્ર સતકર્નિ (Gautamiputra Satakarni) પણ એક નોંધપાત્ર શાસક હતો. કુનિનંદ સામ્રાજ્ય (Kuninda Kingdom)એ હિમાલયમાં આવેલું નાનું રાજ્ય હતું જે ઈસપુર્વેની બીજી (2nd century BCE)અને ત્રીજી સદી (3rd century) સુધી અસતિત્વ ધરાવતું હતું. પ્રથમ સદીની મધ્યમાં કુશાનો (Kushanas)એ મધ્ય એશિયા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં જ્યારે આક્રમણ કર્યું ત્યારે આ સામ્રાજ્ય પેશાવર (Peshawar)થી લઈને ગંગા (Ganges)ના મધ્ય પ્રદેશથી બંગાળની અખાત (Bay of Bengal) સુધી લંબાયું આ સામ્રાજ્યમાં પ્રાચીન બાકટેરીયા(હાલના અફઘાનિસ્તાનનો ઉત્તર ભાગ) અને દક્ષિણ તાજિકિસ્તાન (Tajikistan)નો પણ સમાવેશ થાય છે. પશ્ચિમના સતરાપ (Western Satraps)એ પશ્ચિમ અને મધ્ય ભારતના શક (Saka)શાસકો હતાતેઓ ઈન્ડો-શાકથાઈન્સના અનુગામી હતા. (નીચે જુઓ) તેઓની સાથે સાથે દેશના ઉત્તરભાગમાં રાજ કરતા કુશાન અને મધ્યભારતમાં રાજ કરતા સતવાહન હતા.

વિવિધ પ્રકારના સામ્રાજ્યો જેવા કે પાંડ્યન સામ્રાજ્ય (Pandyan Kingdom),ચોલા સામ્રાજ્ય (Chola Empire) , ચેરા સામ્રાજ્ય (Chera dynasty), કદમ્બ સામ્રાજ્ય (Kadamba Dynasty), પશ્ચિમી ગંગા વંશ (Western Ganga Dynasty), પલ્લવ (Pallava), ચાલુક્ય વંશ (Chalukya dynasty) દેશના દશ્રિણ ભાગ પર સત્તા વિવિધ સમયે સત્તા કરતા હતા. કેટલાક દક્ષિણ ભારતીય સામ્રાજ્યોએ પોતાનો પગપેસારો દક્ષિણ પુર્વ એશિયામાં પણ કર્યો હતો. દક્ષિણ ભારત પર પ્રભુત્વ મેળવવા માટે આ સામ્રાજ્યો એકબીજા સાથે લડ્યા કરતા હતાકલાભારસ (Kalabhras)એક બૌધ્ધ રજવાડું હતું.જેને ચોલા, ચેરા, અને પાંડયન દ્વારા વારંવારં રજાડતા હતા.

ઉત્તર પશ્ચિમ મિશ્ર સંસ્કૃતિ[ફેરફાર કરો]

ઈન્ડો ગ્રીક સામ્રાજ્ય (Indo-Greek Kingdom)નો સ્થાપક ડેમેટ્રીયસ પ્રથમ ધ ઈન્વિઝબલ (Demetrius I "the Invincible")( ઈસપુ્ર્વે 205-171) હતો.

ઉપખંડના ઉત્તર-પશ્ચિમના મિશ્ર સંસ્કૃતિમાં ઈન્ડો-ગ્રીક, ઈન્ડો-સાક્થિયન્સ, ઈન્ડો-પર્શિયન, અને ઈન્ડો-સસ્સાનેડનો સમાવેશ થાય છે. આ પ્રકારની સંસ્કૃતિ ઈન્ડો ગ્રીક સામ્રાજ્ય (Indo-Greek Kingdom)ત્યારે ઉદભવ્યું જ્યારે ગ્રીકો બાકટ્રેરિયન (Greco-Bactrian)રાજા ડીમેટ્રીયર (Demetrius)એ ઈસ પુર્વે 180માં હાલના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર આક્રમણ કર્યું. આ દ્વારા ઉદભવેલું રાજ્ય બે સદી સુધી ચાલ્યું અને 30 ગ્રીક રાજાઓએ રાજ કર્યું. જો કે તેઓ એકબીજા સાથે અંદરોદર લડ્યા કરતા હતા. ઈન્ડો સાંક્શ્યિન (Indo-Scythians) એ ઈન્ડો યુરોપિયન શક (Sakas) શાંકથિયન (Scythians) કે જેઓ દક્ષિણી સાઈબેરિયા (Siberia)થી આવ્યા હતા.જેઓ બાકટ્રીરીયા (Bactria) તઈ સોગડીયાના (Sogdiana)કાશ્મીર (Kashmir) અરાચોશિયા (Arachosia) ગંધાર (Gandhara) થઈને ભારત આવ્યા હતા. તેઓનું સામ્રાજ્ય ઈસ પુર્વે બીજી અને પહેલી સદી સુધી ચાલ્યું હતું. આ ઉપરાંત અન્ય એક સામ્રાજ્ય ઈન્ડો પાર્થિયન (Indo-Parthians)(જેઓ પહેલા પાહલવા (Pahlava)તરીકે ઓળખાતા હતા) તેઓએ હાલના મોટાભાગના અપઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનના ગંધાર પ્રાંતના પ્રદેશોનો કબ્જો સ્થાનિક શાસકો જેવા કે કુશાન (Kushan) કુજુલા કડફાશીશ (Kujula Kadphises) પાસેથી લઈ લીધો હતો. પર્શિયાનું સસ્સાનીડ (Sassanid)સામ્રાજ્ય જે ગુપ્ત વંશનું સમકાલિન હતું તેનો વિસ્તાર હાલના પાકિસ્તાન સુધી થયો હતો જ્યા ભારતીય અને પર્શિયન સસ્કૃતિ (Persian culture)એ ઈન્ડો સસ્સાનીડ (Indo-Sassanid) સંસ્કૃતિને જન્મ આપ્યો હતો.

ભારતનો રોમ સાથે વેપાર[ફેરફાર કરો]

દક્ષિણ ભારત (South India)ના પુડુકોટાઈ (Pudukottai) ખાતેથી રોમના સમ્રાટ ઓગસ્ટસ (Augustus)ની છાપ વાળો સિક્કો મળ્યો છે.

ભારત અને રોમ વચ્ચે ઈસ પુર્વે પહેલી સદી દરમિયાન વેપાર ઓગસ્ટસે (Augustus) [[ઈજિપ્ત|જ્યારે ઈજિપ્ત (Egypt) જીતી]] (his conquest) લીધું ત્યારે ભારત (India) સાથે રોમનો વેપાર 1 સીઇની આજુબાજુ શરૂ થયો હતો.

સ્ટ્રાબો (Strabo)(II.5.12.[૩૦])મુજબ ઈસ પુર્વે 130માં ઈયુડોક્સ ઓફ સાઈરીકસ (Eudoxus of Cyzicus)દ્વારા શરૂ કરવામાં આવેલો વેપાર સતત વધતો રહ્યો હતો. ઓગસ્ટસ (Augustus)ના સમયે દર વર્ષે માયોસ હોરમોસ (Myos Hormos)ખાતેથી120 વહાણો ભારત જતા હતાઆ વેપાર માટે ઘણા બધા સોનાનો ઉપયોગ થતો હતો જે કુશાનો (Kushans)દ્વારા પોતાના સિક્કા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો જે અંગે પ્લીની (Pliny)( NH VI .101)એ તેનીફરિયાદ કરી છે.

"India, China and the Arabian peninsula take one hundred million sesterces from our empire per annum at a conservative estimate: that is what our luxuries and women cost us. For what percentage of these imports is intended for sacrifices to the gods or the spirits of the dead?"

— Pliny, Historia Naturae 12.41.84.[૩૧]

આ વેપાર અને તેના રૂટ અંગે પહેલી સદીમાં લખાયેલી પેરીપલ્સ ઓફ એરિથેરિયન પેરિપલ્સ (Periplus of the Erythraean Sea)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુપ્તવંશ[ફેરફાર કરો]

ગુપ્ત સામ્રાજ્ય (Gupta Empire)
ગુપ્ત સામ્રાજ્યના મહાન વારસા (Legacy of the Gupta Empire)માં કાલિદાસ (Kalidasa) દ્વારા લખાયેલું સંસ્કૃત નાટક (Sanskrit play)અભિજાનસશાંકુત્લ (Abhijñānaśākuntala)નો સમાવેશ થાય છે.

ચોથી અને પાંચમી સદી દરમિયાન ઉત્તર ભારતમાં ગુપ્ત વંશ (Gupta Dynasty) શાસન કરતો હતો. ભારતના સુર્વણ યુગ (Golden Age) ગણાતા આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ પુનરુજ્જીવન (renaissance)પામ્યો હતો હિન્દુ સંસ્કૃતિ, વિજ્ઞાન, રાજકીય વહીવટીતંત્ર નવી ઉંચાઈઓએ પહોંચ્યું હતું. ગુપ્ત વંશના મહાન રાજાઓમાં ચંદ્રગુપ્ત પહેલો (Chandragupta I), સમુદ્રગુપ્ત (Samudragupta), અને ચંદ્રગુપ્ત (Chandragupta II) બીજોનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પુરાણો (Puranas) આ સમય દરમિયાન જ રચાયા હોઈ શકે છે. મધ્ય એશિયામાંથી આવેલા હુણો (Huns)એ કરેલા હુમલાને કારણે આ વંશનો અંત આવ્યો હતો. છઠ્ઠી સદીમાં આ ગુપ્ત સામ્રાજ્યના અંત બાદ ફરીથી ભારત એકવાર નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયું હતું.જો કે, બધા નાના રાજ્યો છુટા પડ્યા બાદ પણ મગધના નાના હિસ્સા પર ગુપ્ત વંશના રાજા રાજ કરતા હતાઆ ગુપ્ત વંશના રાજાઓને અંતે વર્ધન રાજા હર્ષે (Harsha) હટાવ્યા. જેણે સાતમી સદીના મધ્યમાં નવું સામ્રાજ્ય ખડૂં કર્યું હતું.

હેપથાલિટ્સ (Hephthalite)ગ્રુપના ભાગ એવા શ્વેત હુણો (Huns)એ અફઘાનિસ્તાનમાં પાંચમી સદીની મધ્યમાં સ્થિર થયા હતા. તેઓનું પાટનગર બામયાન (Bamiyan) શહેર હતું. હુણોના આક્રમણે ગુપ્ત વંશનો અંત આણ્યો હતો. જેને ભારતીય ઇતિહાસકારો ઉત્તર ભારતનો સુર્વણકાળ ગણે છે. તેમ છંતા, આ પરિવર્તનની મોટાભાગના ડેક્કન (Deccan)અને દક્ષિણ ભારત પર કોઈ અસર થઈ ન હતી.

નાના રજવાડા- ક્લાસિક એજ[ફેરફાર કરો]

ભારતનો સુર્વણ યુગ ગુપ્ત વંશની શરૃઆતથી ચાલુ થયો હતો જે સાતમી સદીમાં હર્ષ (Harsha)ના શાસન દરમિયાન પુનરૃરજીવન પામ્યો હતો, આવા યુગનો અંત દક્ષિણના વિજયનગર સામ્રાજ્ય (Vijayanagar Empire)ના પતનથી અંત આવ્યો. 13મી સદીમાં ઉત્તર તરફથી આક્રમણ વધતા આ સામ્રાજ્યનો અંત આવ્યો. આ સમયગાળા દરમિયાન હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્માં ઘણી પ્રગતિ થઈ હતી.આ સમયગાળા દરમિયાન કળા ક્ષેત્રમાં પણ સારીએવી પ્રગતિ થઈ હતી.

કનોજ (Kanauj) ટ્રાયેંન્ગલ વિવિધ સામ્રાજ્યો (empire)નું કેન્દ્રીય બિંદુ હતું. જેમાં ડેક્કન (Deccan)ના રાષ્ટ્રકુટા (Rashtrakuta), માલવા (Malwa)ના પ્રિતહાર (Pratihara) અને કનૌજ (Kannauj) અને બંગાળ (Bengal)ના પલ્લ (Pala)નો સમાવેશ થાય છે.

ગુપ્ત વંશના પતન બાદ સાતમી સદી દરમિયાન કનૌજ (Kannauj)નો રાજા હર્ષે ઉત્તર ભારતને સંગઠીત કરવામાં સફળ રહ્યો હતો.તેના મૃત્યુ બાદ તેના સામ્રાજ્યનો અંત આવ્યો હતો.7મી થી 9મી સદી દરમિયાન ઉત્તર ભારત પર ત્રણ રાજવંશોએ રાજ કર્યું જેમાં માલવા (Malwa)ના પ્રતિહારો (Pratihara), ત્યાર બાદ કનૌજ (Kannauj), બંગાળ (Bengal)ના પલ્લો (Pala) અને ડેક્કન (Deccan)ના રાષ્ટ્રકુટા (Rashtrakuta)નો સમાવેશ થાય છે. સેના વંશે (Sena dynasty) પલ્લોના સામ્રાજ્ય પર કબ્જો જમાવ્યો હતો જ્યારે પ્રતિહારો નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયા હતા. આ સમય દરમિયાન ઉદ્ધભવેલા કેટલાક સામ્રાજ્યો જેમા રાજપુતો (Rajputs)નો સમાવેશ થાય છે તેઓ છેક બ્રિટિશ સામ્રાજ્યથી લઈને ભારતની આઝાદી સુધી સત્તા ટકાવી રાખઈ હતી.પહેલું રાજપુત સામ્રાજ્ય છઠ્ઠી સદીમાં રાજસ્થાન (Rajasthan)માં ઉદભવ્યું હતું અને નાના નાના રાજપૂત રાજવંશોએ ઉત્તર ભારત પર સત્તા જમાવી હતી. આ ચૌહાણ (Chauhan) રાજપૂતોમાંથી પ્રથ્વીરાજ ચૌહાણ (Prithvi Raj Chauhan)મુસ્લિમ આક્રમણને હટાવવા માટે ખાસા પ્રખ્યાત છે.શાહી (Shahi) રાજવંશે પુર્વીય અફઘઆનિસ્તાન, ઉત્તર પાકિસ્તાન અને કાશ્મીર પર સાતમી સદીના મધ્ય થી લઈને 11મી સદીના પ્રારંભ સુધી રાજ કર્યુ હતું.બૃહદ ઉત્તર ભારતનો ખ્યાલ રાજા હર્ષના મૃત્યુ બાદ અંત આવ્યો હતો તો દક્ષિણમાં તેની શરૂઆત થઈ હતી. ચાલુક્ય (Chalukya) સામ્રાજ્યે દક્ષિણ અને મધ્ય ભારત પર 550 થી 750 દરમિયાન બદામી (Badami) , કર્ણાટક (Karnataka) અને ફરીથી 970 થી 1190 દરમિયાન કલ્યાણી (Kalyani), કર્ણાટકથી રાજ્ય ચલાવ્યું દક્ષિણમાં કાંચીના પલ્લવ (Pallavas) તેમના સમકાલિન હતા. ચાલુક્ય સામ્રાજ્યની પડતીની સાથે જ તેમના ખંડિયા રાજ્યો જેવા કે હેલેબિડ (Halebid)ના હોયસાલાસ (Hoysalas), વારંગલના કાકટીયા (Kakatiya), દેવગીરીના સેઉના યાદવ (Seuna Yadavas of Devagiri), અને દક્ષિણના કાલાચુરી (Kalachuri)ઓ સામ્રાજ્યના ટુકડા 12મી સદીની મધ્ય દરમિયાન કરી દીધા હતા.બાદમાં મધ્ય યુગ દરમિયાન, ઉત્તર તામિલનાડુ (Tamil Nadu)માં ચોલા (Chola) સામ્રાજ્ય અને કેરળ (Kerala)માં ચેરા (Chera) સામ્રાજ્યનો ઉદભવ થયો હતો. 1343 સુધીમાં આ બધા રજવાડાઓનો વિજયનગર સામ્રાજ્ય (Vijayanagar empire)નાએ અંત આણ્યો હતો. દક્ષિણના આ સામ્રાજ્યોઓએ તેઓનો પ્રભાવ ઈન્ડોનેશિયા (Indonesia) સુધી પાથર્યો હતો અને દક્ષિણ પુર્વ એશિયાના ઘણા મોટા ભાગ પર કબ્જો જમાવ્યો હતો. દક્ષિણ ભારત (South India)ના બંદરો હિંદ મહાસાગર (Indian Ocean) દ્વારા રોમ સામ્રાજ્યો (Roman Empire) સાથે મરીમસાલાનો રોમનો સાથે વેપાર કરતા હતા. આ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ પુર્વ એશિયા અને પુર્વ એશિયા[૩૨] સુધી વેપાર થતો હતો.[૩૩] 14મી સદીના પ્રારંભ સુધી અખબારોમાં સાહિત્ય અને સ્થાપત્યનો સારો એવો વિકાસ થયો હતો.આ ગાળઆ દરમિયાન દિલ્હીના સુલતાને દક્ષિણ પર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. હિન્દુ રાજ્ય એવા વિજયનગર વંશ અને મુસ્લિમ શાસકો( બાહમાની (Bahmani) રજવાડું) વચ્ચે સંધર્ષ થયો હતો. આ સંધર્ષને કારણે બન્નેની સંસ્કૃતિઓ વિદેશી સંસ્કૃતિની લાંબી અસર પડી હતી.ઉત્તર ભારતમાં સ્થિર તેમજ દિલ્હીથી સત્તા ચલાવતા દિલ્હીના સુલતાનો દ્વારા વારંવાર આક્રમણને કારણે વિજયનગર સામ્રાજ્ય (Vijaynagar Empire)ની પડતી શરૂ થઈ હતી.

મુસ્લિમ સુલાતન[ફેરફાર કરો]

બીજાપુર (Bijapur)માં આવેલો ગોળ ગુંબજ (Gol Gumbaz) અર્વાચીન સમયમાં બેન્ઝેન્ટાઈનના હોગીયા સોફિયા (Hagia Sophia)ના ડોમ બાદ વિશ્વમાં બીજા નંબરનો ડોમ છે.

આરબોના આક્રમણ (Arab invasion) બાદ ભારતનું પ્રાચીન પશ્ચિમી પડોશી પર્શિયા (Persia) ભારત પર આક્રમણ કરવા માટે સૈન્ય તૈયાર કરી રહ્યું હતું.પર્શિયામાં ત્યારે ખુબ જ વિકસિત સંસ્કૃતિ હતી જ્યા વિશ્વની પહેલી હિરાની ખાણ હતી તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. ઉત્તર ભારતના રજવાડાઓ દ્વારા થોડો પ્રતિકાર થયા બાદ ઈસ્લામી શાસન(સલ્તનત (Sultanates))ની સ્થાપના થઈ હતી જે ઉત્તર ઉપખંડમાં કેટલીક સદીઓ સુધી ચાલ્યું હતું. પણ, તુર્કોના આક્રમણ (invasions) પહેલા મુસ્લિમની વેપારી પ્રજા દક્ષિણ ભારતમાં વિકાસ પામી હતી. ખાસ કરીને કેરળમાં જ્યા તેઓ અરેબિયન પેનીસુએલામાંથી હિંદ મહાસાગર દ્વારા નાના જુથોમાં આવીને વસ્યા હતા.જો કે, અબ્રાહમ (Abraham) મધ્યપુર્વો (Middle East)ના ધર્મનો વિકાસ થયો દક્ષિણ ભારતમાં ત્યારે ધાર્મિક (dharmic)હિન્દુ સંસ્કૃતિ અસતિત્વ ધરાવતી હતી જેમાં કેટલીક વાર સુધારા માટે ચળવળ પણ ચાલતીબાદમાં, બાહમાની સલ્તનત (Bahmani Sultanate) અને ડેક્કન સલ્તનત (Deccan Sultanates) દક્ષિણમાં ફુલીફાલી હતી.

દિલ્હી સલ્તનત[ફેરફાર કરો]

ઈંટો દ્વારા બનેલી મિનારત (minaret)માં વિશ્વમાં સૌથી ઉંચી કુતુબ મિનાર (Qutub Minar)નું બાંધકામ ગુલામ વંશ (Slave dynasty)ના કુતુબુ-ઉદ-દીન ઐબકે (Qutb-ud-din Aybak)કરાવ્યું હતું.

ઉત્તર ભારત પર 12 અને 13મી સદી દરમિયાન તુર્કો (Turkic)અને પસ્તુનો (Pashtun)એ આક્રમણ કરીને દિલ્હીસલ્તનત (Delhi Sultanate) સ્થાપી હતી. 13મી સદીની શરૂઆતમાં ત્યાં રાજપૂત રાજાઓનું રાજ હતું. [૩૪]બાદમાં ઉત્તર ભારત (northern India)ના મોટાભાગ પર કે જ્યા એક વખત ગુપ્ત વંશનું રાજ્ય હતું ત્યા સુધી ગુલામ વંશે (Slave dynasty) આધિપત્ય જમાવ્યું. જ્યારે ખીલજી વંશે (Khilji Empire)મધ્ય ભારત (central India)નો મોટોભાગ જીતી લીધો હતો. પરંતુ ભારતીય ઉપખંડના મોટા હિસ્સાને તેઓ જીતવામાં અસફળ રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિના પુર્નરૂથાન દરમિયાન સુલ્તનત ઈન્ડો મુસ્લિમ સંસ્કૃતિના મિશ્રણે ભારતના સ્થાપત્યમાં, સંગીતમાં, સાહીત્ય, ધર્મ અને કપડામાં મોટી અસર છોડી હતી. અનુમાન લગાવવામાં આવે છે કે ઉર્દું (Urdu)(વિવિધ તુર્કિશ ભાષામાં ઉર્દુનો અર્થ "રખડું જમાતનું ટોળું" અને "ટોળાનો પડાવ" થાય છે.)નો જન્મ આ દિલ્હી સલ્તનતના સમયમાં થયો હોય શકે છે.કારણ કે મુસ્લિમ શાસકોના શાસન દરમિયાન સંસ્કૃત, પ્રાકૃત, પર્શિયન, તુર્કી, એરેબિક બોલી બોલતા લોકો દિલ્હીમાં વસતા હતા.દિલ્હી સલ્તનતએ એકમાત્ર ઈન્ડો ઈસ્લામિક સામ્રાજ્ય છે જેંમા મહિલાઓ શાસક તરીકે બિરાજી હતી. રઝીયા સુલતાને (Razia Sultan)(1236-1240) દિલ્હી પર શાસન ચલાવ્યું હતું.

તુર્ક મોંગલ (Turco-Mongol) રાજા તૈમુર (Timur)એ1398માં દિલ્હી (Delhi)થી ઉત્તર ભારત પર શાસન ચલાવતા તઘલક (Tughlaq)વશના સુલતાન (Sultan) નાસિર-ઉદ-દિન મહોમંદ પર આક્રમણ કર્યુ હતું. [૩૫] 17 ડિસેમ્બર (December 17) 1398 (1398)ના રોજ સુલતાનની હાર થઈ હતી. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને ભારે કત્લેઆમ આદરીને ચાલ્યો ગયો.

મુઘલ યુગ[ફેરફાર કરો]

17મી સદી સુધી મુઘલ સામ્રાજ્ય (Mughal Empire)એ દિલ્હી પર શાસન કર્યું હતું.
મુઘલો દ્વારા તાજ મહેલ (Taj Mahal)નું નિર્માણ કરાયું.

1526માં, તાર્તર તૈમુર અને ચંગીઝખાનના વશં જ એવા બાબરે ખૈબરઘાટના રસ્તે આવીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી જેને 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું. [૩૬]1600 સુધીમાં મુઘલ વંશ ભારતીય ઉપખંડના મોટાભાગ પર શાસન કર્યું. પરંતુ 1707 બાદ તેના પતનની શરૂઆત થઈ હતી 1857ના વિપ્લવ બાદ તેનો સંપુર્ણપણે અંત આવ્યો. આ વિપ્લવને અંગ્રેજ ઇતિહાસકારો 1857નો બળવો પણ કહે છે. આ સમયગાળા દરમિયાન ઉપખંડમાં વસતી હિન્દુ વસ્તીમાં ઘણું સામાજીક પરિવર્તન આવ્યું હતું. કારણ કે તેઓના શાસકો મુઘલ ધર્મે મુસ્લિમ હતા. ઘણા મુઘલ બાદશાહો સહિષ્ણુ,હતા તો કેટલાક હિન્દુ સંસ્કૃતિને યોગ્ય પ્રોત્સાહન પણ આપતા. જો કે આ સમય દરમિયાન હિન્દુઓના કેટલાક ઐતિહાસિક મંદીરોનો નાશ કરવામાં આવ્યો હતો તો બિન મુસ્લિમ લોકો પર ભારે કર લાદવામાં આવ્યો હતો. મુઘલ સામ્રાજ્ય જ્યારે પુર્ણ કલાએ વિકસ્યું હતું ત્યારે તેનો વિસ્તાર મૌર્ય સામ્રાજ્ય જેટલો હતો. આ ગાળા દરમિયાન ઘણા નાના નાના રાજવાડાઓ વિકસ્યા હતા અને સત્તા વધારવાનો પ્રયાસ કરતા હતા જેને કારણે મુઘલ સામ્રાજ્યની પડતી શરૂ થઈ. જો કે, ભારત પર સૌથી વધુ સમય સુધી મુઘલોએ રાજ કર્યું હતું તે હકીકત છે. 1739માં, નાદેરશાહે કર્નાલના રણસંગ્રામ (Battle of Karnal)માં મુઘલ સૈન્યને હાર આપી હતી. વિજય બાદ નાદિરશાહે દિલ્હી પર આતંક વરસાવ્યો હતો અને મોટાપાયે લુંટફાટ કરી હતી. ઘણા ખજાનાની સાથે તે મયુરાસન (Peacock Throne) પણ લઈ ગયો હતો. [૩૭]

મુઘલ કાળ દરમિયાન મુઘલ સામ્રાજ્યની શક્તિને કારણે તે તેના ખંડિયા રાજાઓ પર કાબુ મેળવતા હતા, પરંતુ કેટલાક રાજ્યો સતત વિકસિત થઈ રહ્યા હતા જેવા કે મરાઠા સંઘ જેઓએ સતત નબળા અને લોકવિરોધી બની રહેલા મુઘલ સામ્રાજ્ય સામે લડત આરંભી હતી.પોતાના સામ્રાજ્યને ટકાવી રાખવા ઘણી વખત મુઘલ સામ્રાજ્ય ક્રુર પધ્ધતિઓ અપનાવતું હતું. જો કે તેઓએ પહેલા ભારતીય સંસ્કુતિ સાથે ઐક્ય સાધ્યું હતું જેના કારણે તેઓ ભારતમાં સફળ થયા હતા. તેઓ પહેલા દિલ્હી પર ટુંકુ શાસન કરનાર સુલ્તાનો આમ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. આ બાબતે અકબર ધ ગ્રેટ (Akbar the Great) આ બાબતે સૌથી સફળ રાજા હતો. અકબરે જૈન ધર્મના પવિત્ર દિવસ દરમિયાન પશુઓની હત્યા "અમારી" કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ તેણે બિનમુસલમાનો પર લાગેલો જજિયા વેરો નાબુદ કર્યો હતો. ભારતમાં વધુ સ્થિર થઈ શકે તે માટે મુઘલ બાદશાહોએ ભારતમાં રહીને ભારતના શાહી ઘરાનાની મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, આ ઉપરાંત તેઓએ એક અલગ પ્રકારનું ઈન્ડો-સરાસેનિક (Indo-Saracenic) સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. પરંતુ ઓરંગઝેબ તેના પુર્વગામી બાદશાહો કરતા અલગ હતો. તેણે જુના બાદશાહો દ્વારા શરૂ કરેલી ઘણી પરંપરાઓ તોડી દીધી અથવા બંધ કરી દીધી હતી. ઓરંગઝેબે (Aurangzeb) તેના પહેલાના બાદશાહો દ્વારા અપનાયેલી નીતિઓને બદલીને મુસ્લિમ તરફી અને હિન્દુ વસ્તીને અન્યાય કરતી નીતિઓ અપનાવી દીધી હતી.

મુઘલો પછીના પ્રાદેશિક રજવાડા[ફેરફાર કરો]

1760 (1760)માં મરાઠા સામ્રાજ્ય (Maratha Empire).ભારત (India)નું છેલ્લું હિન્દુ (Hindu) સામ્રાજ્ય.
હરમિંદર સાહિબ (Harmandir Sahib)અથવા ધ ગોલ્ડન ટેમ્પલ.

મુઘલ કાળ બાદ મરાઠાઓની સાથે સાથે અન્ય નાના રાજવાડાઓ પણ વિકાસ પામ્યા(આ રાજ્યો મુઘલોના ખંડિયા રાજ્યો હતો.) આ સમય દરમિયાન યુરોપીયન દેશોએ પણ ભારતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.(જુઓ કોલો શિવાજી દ્વારા મરાઠા સામ્રાજ્યની રચના અને વિસ્તાર કરવામાં આવ્યો. 18મી સદી સુધી નાના મરાઠા રજવાડાને પેશ્વાઓ (Peshwa)ના શાસન નીચે મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. 1760, સુધી મરાઠા સામ્રાજ્ય ભારતીય ઉપખંડમાં સારૂં એવું ફેલાઈ ચુક્યું હતું. અફઘાન સરદાર અહમદશાહ અબ્દાલી (Ahmad Shah Abdali)એ મરાઠાઓને પાણીપતના ત્રીજા સંગ્રામ (Third Battle of Panipat)માં હરાવીને મરાઠાઓની આગેકુચને રોકી દીધી હતી. ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ (Third Anglo-Maratha War)માં બ્રિટિશરો (British)એ છેલ્લા પેશ્વા બાજી રાવ બીજાને હરાવ્યો હતો.

1400માં દક્ષિણ ભારતમાં આવેલા મૈસુર રજવાડાની સ્થાપના વોડેયાર (Wodeyar) વંશે કરી હતી. વોડેયાર સામ્રાજ્યને હૈદર અલી (Hyder Ali) અને તેના પુત્ર ટીપુ સુલતાન (Tippu Sultan) દ્વારા હરાવ્યું. તેઓના શાસન દરમિયાન મૈસુરને શ્રેણીબંધ્ધ યુદ્ધ (series of wars) ખેલવા પડ્યા હતા ઘણા મરાઠાઓ સામે તો ઘણા અંગ્રેજો સામે. અંગ્રેજો સામેના યુદ્ધમાં ફેન્ચો (French) દ્વારા કેટલીક સહાય પણ કરવામાં આવી હતી. ગોલકોન્ડા (Golconda)ની કુતુબશાહી વંશ (Qutb Shahi dynasty) દ્વારા હૈદરાબાદની સ્થાપના 1591માં થઈ હતી. મુઘલોના ટુંકા શાસન દરમિયાન આસિફ જહા (Asif Jah) નામના એક મુઘલ અધિકારીએ હૈદરાબાદ 1724માં કબ્જો જમાવ્યો અને પોતાને હૈદરાબાદનો નિઝામ-અલ- મુલ્ક ઘોષિત ર્યો તેઓ બાદ 1724 થી 1948 સુધી હૈદરાબાદ પર નિઝામ (Nizam)નામના રાજાઓએ રાજ કર્યું. મૈસુર અને હૈદરાબાદ અંગ્રેજોના સમય દરમિયાન ઘણા સમુદ્ધ રાજ્યો બન્યા હતા.

પંજાબ રાજ્ય પર શીખ (Sikh) ધર્મના લોકોએ રાજ કર્યુ હતું. હાલમાં તે પંજાબ રાજ્ય તરીકે ઓળખાય છે. અંગ્રેજો દ્વારા ભારતીય ઉપખંડમાં છેલ્લે પંજાબ પર કબ્જો જમાવવામાં આવ્યો હતો. શીખ સામ્રાજ્ય (Sikh Empire) માટે એંગ્લો-શીખ યુદ્ધ (Anglo-Sikh wars)પડતી સમાન હતું. 18મી સદીની આસપાસ હાલનું નેપાળ ગોરખા શાસકો દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. અને શાહ અને રાણા રાજવંશે તેની અલગ ઓળખ જાળવી રાખી હતી.

અંગ્રેજ ઇતીહાસકાર સામે આક્ષેપ[ફેરફાર કરો]

ભારતનો ઇતીહાસ લખવાનો મોટો શ્રેય સર વીલીયમ જોન્સ, એલેક્ષજેંડર કુનીઘમ(Alexander Cunningham) અને બીજા અંગ્રેજ અધીકારીને જાય છે, તેમની ઉપર ભારતીય ઇતીહાસની ઘટનાને ખોટો સમય આપવાનો અને ઇતીહાસને નુક્શાન કરવાનો આક્ષેપ છે. તેમાના આપેલા સમય વધારે આધુનીક છે. નારાયણ સાસ્ત્રી[૩૮], એન.જગન્નનાથરાવ[૩૯], એમ. ક્રીષ્નામચાર્યાર[૪૦], કોટા વેનકટચલમ[૪૧], પંડીત ભગવાદત્તા, ડી.એસ. ત્રીવેદી [૪૨]એ વીરોધ કર્યો છે.તેમને પ્રમાણે નવો સમય  અને ઘટના ક્રમ નીચે મુજબ આપવામા આવે છે.

ભારતીય ઇતીહાસનો સમય અને ઘટના
ઘટના સમય
1 ભીષ્મ પીતામહનો જ્ન્મ ઇ. સ. પુર્વ 3396[૪૩]
2 વેદ વ્યાસનો જન્મ ઇ. સ. પુર્વ 3374[૪૪][૪૫][૪૬]
3 વૈશ્મપયાન ઋષીનો સમય ઇ. સ. પુર્વ 3300[૪૭]
4 યાજ્ઞવાલક્ય ઋષીનો સમય ઇ. સ. પુર્વ 3280
5 કાન્વા ઋષીનો સમય ઇ. સ. પુર્વ 3250
6 બોધયાના ઋષીનો સમય ઇ. સ. પુર્વ 3200[૪૮][૪૯][૫૦]
7 સપ્તઋષી મંડળનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ઇ. સ. પુર્વ 3176
8 શક્રપ્રસ્થમાં (હસ્તીનાપુરનો અડધોભાગ) યુદ્ધીષ્ઠીરનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 3176
9 ચોપાટની રમતમાં યુદ્ધીષ્ઠીરનુ હારી જવુ ઇ. સ. પુર્વ 3151
10 ભીમશેન દ્વારા કીચકનો વધ ઇ. સ. પુર્વ 3139
11 માહાભારત યુદ્ધનો સમય ઇ. સ. પુર્વ 3138[૫૧][૫૨][૫૩]
12 હસ્તીનાપુરની ગાદી ઉપર યુદ્ધીષ્ઠીરનો રાજ્યઅભીષેક ઇ. સ. પુર્વ 3138
13 યુદ્ધીષ્ઠીર સવંતનો આરંભ ઇ. સ. પુર્વ 3138
14 રાજા પરીક્ષીતનો જન્મ ઇ. સ. પુર્વ 3138
15 અયોધ્યાની ગાદી ઉપર ઇક્ષ્વાકુ વંશના રાજા બ્રીહતક્ષણનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 3138
16 મગધની ગાદી ઉપર રાજા સોમધનો રાજ્યઅભીષેક ઇ. સ. પુર્વ 3138
17 નેપાલની ગાદી ઉપર રાજા ગલીનો રાજ્યઅભીષેક ઇ. સ. પુર્વ 3138[૫૪]
18 કાશમીરની ગાદી ઉપર ગોનંદા-2નો રાજ્યઅભીષેક ઇ. સ. પુર્વ 3139 અને 6 મહીના
19 શ્રી કૃષ્ણનુ પૃથ્વી છોડી જાવુ ઇ. સ. પુર્વ 3102[૫૫][૫૬]
20 કળીયુગનો આરંભ ઇ. સ. પુર્વ 3102[૫૭]
21 દ્વારકાનગરી દરીયામાં ડુબી ઇ. સ. પુર્વ 3102
22 યદુવંશનો નાશ ઇ. સ. પુર્વ 3102
23 રાજા પરીક્ષીતનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 3101
24 પાંચ પાડવનુ હીમલય તરફ પ્રયાણ અને યુદ્ધીષ્ઠીરનો સ્વર્ગઆરોહણ ઇ. સ. પુર્વ 3076
25 સપ્ત ઋષી સવંતનો આરંભ ઇ. સ. પુર્વ 3076
26 રાજ પરીક્ષીતનુ મૃત્યુ ઇ. સ. પુર્વ 3041[૫૮]
27 રાજા જનમેજય(પરીક્ષીતના પુત્ર)નો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 3041[૫૯]
28 ભગવાન બુદ્ધનો જન્મ ઇ. સ. પુર્વ 1887[૬૦][૬૧][૬૨]
29 ભગવાન બુદ્ધનુ નીર્વાણ ઇ. સ. પુર્વ 1880[૬૩][૬૪][૬૫]
30 મગધની ગાદી ઉપર મહાપદ્મ નંદાનો રાજ્યઅભીષેક ઇ. સ. પુર્વ 1634[૬૬][૬૭]
31 મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 1534[૬૮][૬૯]
32 અશોક રાજાનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 1472
33 અશોક સીલાલેખમાં લખેલ યવન રાજા અમતીયોકનો સમય ઇ. સ. પુર્વ 1472-3
34 વ્યાકરણ સાસ્ત્રી પાનિનીનો સમય ઇ. સ. પુર્વ 1400
35 મૌર્ય સામ્રાજ્યના શલીસુક રાજાના રાજ્યનો અંત ઇ. સ. પુર્વ 1320
36 નાગર્જુનનો સમય ઇ. સ. પુર્વ 1294
37 પુષ્યમીત્ર શુંગાનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 1218
38 પતંજલી ઋષીનો સમય ઇ. સ. પુર્વ 1218
39 મહાવીર સ્વામીનો જન્મ ઇ. સ. પુર્વ 599
40 કુમારીલા ભટ્ટનો જન્મ ઇ. સ. પુર્વ 557[૭૦]
41 મહાવીર સ્વામીનો નીર્વાણ ઇ. સ. પુર્વ 528
42 આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ. પુર્વ 509[૭૧]
43 આદી શંકરાચાર્યનો ઉપનયન શંસ્કાર ઇ. સ. પુર્વ 504
44 આદી શંકરાચાર્યના પીતા શીવગુરૂનુ મૃત્યુ ઇ. સ. પુર્વ 501
45 આદી શંકરાચાર્યનો સન્યાસ ઇ. સ. પુર્વ 499
46 આદી શંકરાચાર્યના માતા આર્યઅંબાનુ મૃત્યુ ઇ. સ. પુર્વ 493
47 આદી શંકરાચાર્યના ગુરૂ ગોવીંદ ભગવદપદનો નીર્વાણ ઇ. સ. પુર્વ 493
48 આદી શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટની મુલાકાત ઇ. સ. પુર્વ 493
49 કુમારીલા ભટ્ટનુ મૃત્યુ ઇ. સ. પુર્વ 493 [૭૨]
50 મદનમીશ્રાનો સન્યાસ ઇ. સ. પુર્વ 491
51 દ્વારકા પીઠની સ્થાપના ઇ. સ. પુર્વ 491
52 આદી શંકરાચાર્યનુ નેપાલમાં ભ્રમણ ઇ. સ. પુર્વ 488
53 હીમાલયમાં જ્યોથીર મઠની સ્થાપના ઇ. સ. પુર્વ 486
54 ગોવર્ધન મઠ(પુરી) ની સ્થાપના ઇ. સ. પુર્વ 485
55 સારદા મઠ (શ્રીંગેરી) ની સ્થાપના ઇ. સ. પુર્વ 484
56 કામકોટી મઠની સ્થાપના ઇ. સ. પુર્વ 482
57 આદી શંકરાચાર્યનો નીર્વાણ ઇ. સ. પુર્વ 477
58 ગુપ્ત રાજવંશના ચંદ્રગુપ્તનો રાજ્ય અભીષેક ઇ. સ. પુર્વ 327
59 ગુપ્ત કાળનો આરંભ ઇ. સ. પુર્વ 327
60 સીકંદરનો ભરત ઉપર હુમલો ઇ. સ. પુર્વ 326
61 ઉજૈનના રાજા વીક્રમઆદીત્યનો જન્મ ઇ. સ. પુર્વ 101[૭૩]
62 વીક્રમ સવંતનો આરંભ ઇ. સ. પુર્વ 57
63 કાલીદાસ, વરાહમીહીર વગેરે નવ રત્નનો સમય ઇ. સ. પુર્વ 57
64 શાલીવાહાન સવંતનો આરંભ ઇ. સ. 78
65 ભટ્ટોટપાલનો સમય ઇ. સ. 338
66 ભાસ્કરાચાર્ય ઇ. સ. 486
67 રાજા ભોજનો રાજ્ય અભીષેક ઇ. સ. 638
68 રામાનુજઆચાર્ય ઇ. સ. 1017
69 માધ્વાચાર્ય ઇ. સ. 1119
70 રામાનુજાચાર્યનુ નીર્વાણ ઇ. સ. 1137
71 પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમદ ઘોરીનુ યુદ્ધ ઇ. સ.1193

વસાહતી કાળ[ફેરફાર કરો]

વોસ્કો ડી ગામા (Vasco da Gama)એ 1498માં શોધેલો ભારત આવવાનો દરિયાઈ માર્ગે ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માટે માર્ગ મોકળો કર્યો હતો. [૭૪]આ બાદ પોર્ટુગીઝો (Portuguese)એ ગોવા (Goa), દમણ (Daman), દિવ (Diu) અને મુંબઈ (Bombay)માં પોતાના વેપાર કેન્દ્ર સ્થાપ્યા. તેઓ બાદ ડય (Dutch)અને અંગ્રેજો (British) આવ્યા હતા. તેઓએ અને ફ્રેન્ચો (French)એ દેશના પશ્ચિમ કિનારે સુરત (Surat)[૭૫]માં વેપાર કેન્દ્ર સ્થાપ્યા ભારતીય રાજ્યોમાં અંદરો અંદરની લડાઈએ યુરોપીયન વેપારીઓને ભારતમાં પગપેસારો કરવાની તક આપી જેથી તેઓ ભારતમાં પગપેસારો કરી શક્યા. દેશના દક્ષિણ અને પુર્વ ભારત પર કેટલાક હિસ્સાઓ પર આ યુરોપીયનોએ કબજો જમાવ્યો હતો. ત્યાર બાદ બધા જ યુરોપીયનો પોતાની સત્તા અંગ્રેજો સામે ગુમાવતા રહ્યા. ફ્રેન્ચો પોન્ડિચેરી (Pondicherry) અને ચાંદેરનાગરો (Chandernagore), ડચ લોકો ત્રાવણકોર (Travancore) અને પોર્ટુગીઝો ગોવા (Goa) ,દમણ (Daman), દિવ (Diu),પર સત્તા ટકાવી શક્યા.

બ્રિટિશ રાજ[ફેરફાર કરો]

મુઘલ બાદશાહ જહાંગીર દ્વારા 1617માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (British East India Company)ને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી. [૭૬]અધિકારની રૂએ (de-jure)માં બંગાળ પર રાજ કરતો મુઘલ બાદશાહ ફારૂખ શૈયારે (Farrukh Siyar) દસ્તક અથવા બંગાળ (Bengal)માં 1717માં કર વગર વેપાર કરવાની પરવાગી આપી. [૭૭]બંગાળ પ્રાંતનો ખરેખર (de facto) રાજા એવો બંગાળનો નવાબ (Nawab of Bengal) સિરાજ ઉદ દૌલા (Siraj Ud Daulah)એ અંગ્રેજોને આ પ્રકારની પરમીટ આપવાનો વિરોધ કર્યો. આ કારણે 1757માં પ્લાસીનું યુદ્ધ (Battle of Plassey) ખેલાયું જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યની આગેવાની રોબર્ટ ક્લાઈવે (Robert Clive)લીધી હતી અને નવાબના સૈન્યને હરાવ્યું હતું. આ દ્વારા ભારતમાં અંગ્રેજોએ પગપેસારો કર્યો. બાદમાં કંપનીએ ક્લાઈવને 1757માં બંગાળનો ગવર્નર બનાવ્યો. [૭૮]બક્સના યુદ્ધ (Battle of Buxar)બાદ 1764માં કંપનીએ મુઘલ બાદશાહ શાહ આલમ બીજા (Shah Alam II)પાસેથી બંગાળમાં વહીવટીતંત્ર પર કાબુ મેળવી લીધો. આ અંગ્રેજોના શાસનની શરૂઆત હતી. ત્યાર બાદ અંગ્રેજોએ મોટાભાગના ભારત પર કબ્જો જમાવ્યો. અંગ્રેજોએ 200 વર્ષથી ચાલી આવતા મુઘલ વંશનો અને તેના શાસનનો અંત આણ્યો. [૭૯] બંગાળના વેપારની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈજારાશાહી મેળવી લીધી હતી. કાયમી સમાધાન (Permanent Settlement)તરીકે કહેવાતી જમીનકર પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો જેમાં જાગીર જેવું માળખું હતું. (જુઓ બંગાળમાં જમીનદાર (Zamindar))1859 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય ઉપખંડના મોટભાગ પર કબજો મેળવ્યો હતો. જેમાં હાલના પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થઈ જાય છે. આ નીતિને ઘણી વખત ભાગલા પાડો અને રાજ કરોની નીતિ (Divide and Rule) તરીકે ઓળખાવાય છે. અંગ્રેજોએ દેશી રાજ્યોની એક બીજા પ્રત્યેનો દ્રેષ અને દુશ્મનાવટનો ઉપયોગ કરીને દેશ પર રાજ મેળવ્યું. બ્રિટિશ રાજ (British Raj) દરમિયાન ભારતમાં દુકાળ (famines in India) પડ્યા જે સરકારની નીતિઓને કારણે પડ્યાનું મનાય છે. કેટલાક દુકાળ તો ભયંકર હતા જેમાં 1876-78ના દુકાળમાં (Great Famine of 1876–78) 60.1 લાખથી 11.30 કરોડ લોકો મૃત્યુ પામ્યા [૮૦]જ્યારે 1899-1900ના ભારતીય દુકાળ (Indian famine of 1899–1900)માં 1.25 લાખ થી 10 લાખ લોકો મૃત્યુ પામ્યા. [૮૦]

બ્રિટિશ કંપનીના કુશાસન સામે પહેલો વિરોધ 1857ના વિપ્લવ (Indian Rebellion of 1857) તરીકે બહાર આવ્યો. ઘણી વખત વિપ્લવને ભારતીય બળવો કે સિપાઈઓનો બળવો અથવા સ્વતંત્રતાનું પહેલું યુદ્ધ ગણવામાં આવે છે. આ વિપ્લવને દાબીને એક વર્ષમાં ફરીથી બ્રિટિશ કંપનીએ પોતાનું શાસન મજબૂત બનાવી દીધુ હતું.આ બળવામાં આગેવાની લેનાર છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર (Bahadur Shah Zafar)ને બર્મા ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તેમના બાળકોના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા જેથી મુઘલ કાળનો અંત આવ્યો હતો. વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વહીવટ બ્રિટિશ તાજ (British Crown)દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતને બ્રિટિશ વસાહત બનાવીને તેનો વહિવટ કરવામાં આવ્યો હતો. આ બાદ જમીનો વહીવટ બ્રિટીશ સરકાર દ્વારા કરવામાં આવતો હતો જ્યારે બાકી અન્ય શાસકો પણ રાજ કરતા હતા જેઓને પ્રિન્સલી સ્ટેટ (Princely states) કહેવાતા હતા.

ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ[ફેરફાર કરો]

1937માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને જવાહરલાલ નેહરુ. (Jawaharlal Nehru)
રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore)નોબલ પારિતોષિત જીતનાર (Nobel laureate) પહેલાએશિયન (Asia)હતા.જેઓએ ભારતનું રાષ્ટ્રીય ગાન (India's national anthem) લખ્યું હતું.

ભારતના સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફ પહેલા કદમ તરીકે વાઈસરોયને સલાહ આપવા માટે સલાહાકાર મંડળની નિમણુંક કરવામાં આવી હતી. [૮૧]ભારતભરમાં ધારાસભાઓ ઉભી કરવામાં આવી હતી જે દ્વારા ધારાસભામાં લોકોના પ્રતિનિધિઓ હાજર રહીને લોકોની સમસ્યાઓ ધારાસભામાં રજૂ કરતા હતા. આ ધારાસભાઓને પ્રાદેશિક ધારાસભાઓ પણ કહેવાતી હતી.[૮૨]1920થી બ્રિટિશ શાસન વિરુદ્ધ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા નેતાઓએ લોકોને સાથે રાખીને સામુહીક ચળવળ શરૂ કરી. ભારતીય ઉપખંડમાં આ સમય દરમિયાન ક્રાંતિકારી પ્રવૃતિઓ પણ થતી રહી હતી. ક્રાંતિકારી અને રાજકીય પ્રવૃતિઓને કારણે ભારતને 1947માં બ્રિટીશ રાજમાંથી આઝાદી મળી હતી. પણ માત્ર એક વર્ષ બાદ ગાંધીજીની હત્યા થઈ.જો કે, ભારતને આઝાદ કરવા માટે તેઓએ પોતાની જીંદગી સમર્પિત કરી દીધી હતી.

આઝાદી અને ભાગલા[ફેરફાર કરો]

સ્વતંત્રતાની ઇચ્છા સાથે હિંદુ અને મુ્સ્લિમ વચ્ચેના તણાવમાં પણ સતત વધારો થઇ રહ્યો હતો.મુસ્લિમ લઘુમતિ કોમ હતી અને સંપૂર્ણપણે હિંદુ સરકાર રચાશે તેવી સંભાવનાને કારણે તેમને સ્વાતંત્રતાને લઇને સાવચેત બનાવી દીધા હતા, આ કારણે તે હિંદુ શાસન સામે અવિશ્વાસ તરફ પણ વળ્યા હતા.૧૯૧૫માં, મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karamchand Gandhi)એ મધ્યસ્થી કરતાં બે જૂથ વચ્ચે પોતાની નેતાગીરી વડે એકતા માટે અપિલ કરી હતી, જે દેશને આઝાદી તરફ લઇ ગઇ હતી. ગાંધીજી (Gandhi)ની અસરને કારણે ભારત અહિંસક ચળવળથી આઝાદી મેળવવામાં સફળ રહ્યું, જેનાથી ગાંધીજી તરીકે વિશ્વને એક અસાધારણ નેતા મળ્યા હતા.તેમણે દૃષ્ટાંત પૂરું પાડતી નેતાગીરીથી ખાદી વસ્ત્રોનો ઉપયોગ કરી બ્રિટીશ કાપડ ઉદ્યોગના પાયા હચમચાવી નાખ્યા હતા. આ ઉપરાંત દાંડીકૂચથી પોતાનું મીઠું બનાવી બ્રિટીશ ઈજારાશાહીનો વિરોધ નોંધાવ્યો હતો.ભારતીયોએ તેમને મહાત્મા કે મહાન આત્માનું નામ આપ્યું, જે બંગાળના કવિ રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) દ્વારા સૌપ્રથમ સૂચવવામાં આવ્યું હતું. બ્રિટીશરોએ 1947 સુધી ભારત છોડી દેવાની ખાતરી આપી

ભારતને બ્રિટીશ ઇન્ડિયા (British India) માંથી 1947માં આઝાદી મળી, જો કે ભારતના બે ભાગલા (partitioned) પડ્યાં એક ભાગ હતો ભારત (Union of India) અને બીજો હતો પાકિસ્તાનના તાબાનો મુલ્ક (Dominion of Pakistan) પંજાબ અને બંગાળ (Bengal)ના પ્રાંતના ભાગલા દરમિયાન પંજાબ, બંગાળ, દિલ્હી સહિત દેશના અન્ય કેટલાક ભાગમાં શિખ, હિંદુ અને મુસ્લિમ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યા હતા, જેમાં પાંચ લાખ લોકોના મોત[૮૩] થયા હતા. આ સમયગાળા દરમિયાન સમકાલીન ઐતિહાસિક સમયનું સૌથી મોટું અંદાજે 1 કરોડ 20 લાખ હિંદુ, મુસ્લિમ, શીખ લોકોનું સ્થળાંતર નવા સર્જાયેલા ભારત અને પાકિસ્તાન[૮૩]માં થયું હતું.

વધુ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Achaemenians". Jona Lendering, Livius.org. મેળવેલ 2008-01-09.
  2. Plutarchus, Mestrius (1919). Plutarch's Lives. London: William Heinemann. પૃષ્ઠ Ch. LX. ISBN 0674991109. મેળવેલ 2008-01-09. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  3. "History in Chronological Order". Government of Pakistan. મૂળ માંથી 2010-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-09.
  4. "Pakistan". Library of Congress. મેળવેલ 2008-01-09.
  5. Mudur, G.S (March 21, 2005). "Still a mystery". KnowHow. The Telegraph. મેળવેલ 2007-05-07. Check date values in: |date= (મદદ)
  6. "The Hathnora Skull Fossil from Madhya Pradesh, India". Multi Disciplinary Geoscientific Studies. Geological Survey of India. 20 September 2005. મૂળ માંથી 2007-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-07. Check date values in: |date= (મદદ)
  7. Gaur, A. S. (July 10, 1999). "Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences". Current Science. 77 (1): 180–185. ISSN 0011-3891. મેળવેલ 2007-05-06. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  8. "Palaeolithic and Pleistocene of Pakistan". Department of Archaeology, University of Sheffield. મેળવેલ 2007-12-01.
  9. Murray, Tim (1999). Time and archaeology. London; New York: Routledge. પૃષ્ઠ 84. ISBN 0415117623. CS1 maint: discouraged parameter (link)
  10. Coppa, A. (6 April 2006). "Palaeontology: Early Neolithic tradition of dentistry" (PDF). Nature. 440: 755–756. doi:10.1038/440755a. મેળવેલ 2007-11-22. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  11. ૧૧.૦ ૧૧.૧ Possehl, G. L. (1990). "Revolution in the Urban Revolution: The Emergence of Indus Urbanization". Annual Review of Anthropology. 19: 261–282. doi:10.1146/annurev.an.19.100190.001401. ISSN 0084-6570. મેળવેલ 2007-05-06. Unknown parameter |month= ignored (મદદ); CS1 maint: discouraged parameter (link)
  12. Kenoyer, Jonathan Mark (2005). The Ancient South Asian World. Oxford University Press. ISBN 0195174224. OCLC 56413341. મૂળ માંથી 2012-11-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-06. Unknown parameter |month= ignored (મદદ); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  13. Rendell, H. R. (1989). Pleistocene and Palaeolithic Investigations in the Soan Valley, Northern Pakistan. British Archaeological Reports International Series. Cambridge University Press. પૃષ્ઠ 364. ISBN 0860546918. OCLC 29222688. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  14. Jarrige, C. (1995). Mehrgarh Field Reports 1975 to 1985 - from the Neolithic to the Indus Civilization. Dept. of Culture and Tourism, Govt. of Sindh, and the Ministry of Foreign Affairs, France. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  15. Feuerstein, Georg (1995). In search of the cradle of civilization: New light on ancient India. Wheaton, Illinois: Quest Books. પૃષ્ઠ 147. ISBN 0835607208. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  16. Kenoyer, J. Mark (1998). The Ancient Cities of the Indus Valley Civilization. Oxford University Press. ISBN 0195779401. OCLC 231832104 38469514 Check |oclc= value (મદદ).
  17. ભારતીય પુરાતત્વશાખા, એક સમીક્ષા.1958-1959.આલમગીરપુર ખાતે ઉત્ખન્નદિલ્હી: આદિપાષાણએસયુઆરવી. ભારત, પીપી.51-52.
  18. Leshnik, Lawrence S. (1968). "The Harappan "Port" at Lothal: Another View". American Anthropologist, New Series,. 70 (5): 911–922. doi:10.1525/aa.1968.70.5.02a00070. ISSN 1548-1433. મેળવેલ 2007-05-06. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: extra punctuation (link)
  19. Kenoyer, Jonathan (15 September 1998). Ancient Cities of the Indus Valley Civilization. USA: Oxford University Press. પૃષ્ઠ p96. ISBN 0195779401. |pages= has extra text (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  20. ભારતઃ શહેરીકરણનું પુનરાગમન12 મે (May 12)2007 (2007)માંથી ફરીથી મેળવવામાં આવેલું
  21. Valmiki (1990). Goldman, Robert P (સંપાદક). The Ramayana of Valmiki: An Epic of Ancient India, Volume 1: Balakanda. Ramayana of Valmiki. Princeton, New Jersey: Princeton University Press. પૃષ્ઠ 23. ISBN 069101485X. Unknown parameter |month= ignored (મદદ)
  22. ૨૨.૦ ૨૨.૧ Krishna Reddy (2003). Indian History. New Delhi: Tata McGraw Hill. પૃષ્ઠ A11. ISBN 0070483698.
  23. http://p2.www.britannica.com/eb/article-9074639/Vaisaliવૈશાલી[હંમેશ માટે મૃત કડી], એન્સાયક્લોપેડીયા બ્રિટાનિકા (Encyclopedia Britannica)
  24. વિટઝેલ, પહેલાની સંસ્કૃતિકુરુ રાજ્યની ઉત્પતિ અને તેનો વિકાબી.કોલવર(ઈડી.)રીચેટ, સટાટ, અનેલ વરવોલટિંગ ઈમ કીસીચેન ઈન્ડેનપ્રાચીન ભારતમાં રાજ્ય, કાયદા મુચેનઃ આર. ઓલ્ડરબર્ગ 1997,27-52 = ઈલેક્ટ્રોનિક જર્નલ ઓફ વેદિક સ્ટીઝ, વોલ.1,4 ડિસેમ્બર 1995, [૧] સંગ્રહિત ૨૦૨૦-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન
  25. Krishna Reddy (2003). Indian History. New Delhi: Tata McGraw Hill. પૃષ્ઠ A107. ISBN 0070483698.
  26. મેરી પાટ ફિશર(1997), લિવિંગ રીલીઝીયસ એન એન્સાયક્લોપેડીયા ઓફ ધ વર્લ્ડ ફેઈથ.આઈ.બી ટાઉરીંસઃ લંડન આઈએસબીએન 1860641482. જૈન ધર્મના મહત્વના શિક્ષક મહાવીર હતા જેઓ ગૌતમ બુદ્ધના સમકાલિન હતા.મહાવીર ભગવાનનું મૃત્યુ ઈસા પુર્વે 526માં થયું હતું
  27. મેરી પાટ ફિશર(1997), લિવિંગ રીલીઝીયસ એન એન્સાયક્લોપેડીયા ઓફ ધ વર્લ્ડ ફેઈથ.આઈ.બી ટાઉરીંસઃ લંડન આઈએસબીએન 1860641482. જૈન ધર્મ મુખ્યત્વે વેદ પર આધારીત ન હતો. જૈન ધર્મને લગતા ઘણા પુસ્તકો હજૂ પણ ઉપલબ્ધ છે.પ્રાચીન હિન્દુ અને બૌધ્ધ ગ્રંથોમાં જૈન ધર્મ મહાવીર (Mahavira) પહેલા જ પ્રસરેલો હતો તેમ દર્શાવાયું છે.પેજ 115
  28. Department of Ancient Near Eastern Art (2004). "The Achaemenid Persian Empire (550–330 B.C.E)". Timeline of Art History. New York: The Metropolitan Museum of Art. મેળવેલ 2007-05-19. Unknown parameter |month= ignored (મદદ)
  29. Fuller, J.F.C. (February 3, 2004). "Alexander's Great Battles". The Generalship of Alexander the Great (Reprint આવૃત્તિ). New York: Da Capo Press. પૃષ્ઠ 188–199. ISBN 0306813300. Check date values in: |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  30. "મને તે ગાલુસ (Gallus) (સરકારી અધિકારી) સાથે હું ઈજિપ્તની નાઈલ (Nile) નદી સુધી ગયા બાદ સાઈન (Syene)સુધી ચડાણ કર્યું જ્યાંથી ઈથોપિયા (Ethiopia) દેખી શકાતું હતું. મેં જોયું કે માયોસ હોરમોસ (Myos Hormos)થી ભારત જવા માટે 120 જેટલા વહાણો તૈયાર હતા. પોટેમીસ (Ptolemies)ના શાસન હેઠળ ભારત સાથે વેપાર કરવા મામટે થોડા જ પ્રવાસો કરવામાં આવ્યા હતા. " સ્ટ્રાબો 11 5.12. સોર્સ
  31. "minimaque computatione miliens centena milia sestertium annis omnibus India et Seres et paeninsula illa imperio nostro adimunt: tanti nobis deliciae et feminae constant. quota enim portio ex illis ad deos, quaeso, iam vel ad inferos pertinet?" Pliny, Historia Naturae 12.41.84.
  32. મિલર.જે. ઈન્સ. (1969)ધ સ્પાઈસ ટ્રેડ ઓફ ધ રોમન એમ્પાયરઃ 29 બી. સી. ટું એ. ડી. 641.ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસસેન્ડપાઈપર બુક માટે વિશેષ આવૃતિ1998આઈએસબીએન 0-19-814264-1.
  33. ભારતના પ્રાચીન શહેર માટે શોધબીબીસી ન્યુઝ (BBC News)જુન 22 (June 22), 2007 (2007)ના રોજ ફરીથી મેળવવામાં આવ્યું.
  34. "બતુતાઝ ટ્રાવેલઃ દિલ્હી, કેપિટલ ઓફ મુસ્લિમ ઇન્ડિયા". મૂળ માંથી 2008-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-25.
  35. "તૈમુર-ભારત પર ચડાઈ". મૂળ માંથી 2007-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-06.
  36. "1600 સુધી ઈસ્લામિક વિશ્વ, મહાન ઈસ્લામિક સામ્રાજ્યનો ઉદભવ( ધ મોગલ એમ્પાયર)". મૂળ માંથી 2013-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-06.
  37. રાજમાં ઈરાન
  38. The age of Sankara by T. S Narayana Sastry.ASIN B0006D2Q5I
  39. The age of the Mahabharata war by N Jagannadha Rao ASIN B00089B6N8
  40. History of Classical Sanskrit Literature by M. Krishnamachariar ISBN 9788120802841
  41. The plot in Indian chronology by Kota Venkatachalam. ASIN B0007JSXGC
  42. A Survey of numismatic research. 2–3. 1978–1984. પૃષ્ઠ 761.CS1 maint: date format (link)
  43. Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200
  44. Creators of Mathematical and Computational Sciences By Ravi Agarwal, Syamal Sen, p.38 ASIN B0157QYIPO
  45. Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200
  46. The Origin and History of Mathematics by V. Lakshmikantham, S. Leela, J. Vasundhara Devi.p.37ISBN 978-1904868477
  47. Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200
  48. Creators of Mathematical and Computational Sciences By Ravi Agarwal, Syamal Sen, p.40 ASIN B0157QYIPO
  49. Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.200
  50. The Origin and History of Mathematics by V. Lakshmikantham, S. Leela, J. Vasundhara Devi.p.37ISBN 978-1904868477
  51. Astronomical dating of the Mahabharata war by Ekkirala Vedavyas, p.12
  52. Notable Horoscopes By B. V. Raman, p.6
  53. Age of Bhārata War edited by Giriwar Charan Agarwala, p105
  54. Glimpses of Bhāratiya history by Rajendra Singh Kushwaha, p.36
  55. Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of many names, By Lavanya Vemsani Ph.D. p.8
  56. The Agni and the Ecstasy By Steven J. Rosen, p.151
  57. The Agni and the Ecstasy By Steven J. Rosen, p.151
  58. Chronology of Ancient Hindu History, Volume 1, p.13
  59. Chronology of Ancient Hindu History, Volume 1, p.13
  60. From Bharata to India: Volume 1: Chrysee the Golden By M. K. Agarwal,p.136
  61. Comparative Health Systems: Global Perspectives By Professor and Medical Social Scientist School of Health Sciences Central Michigan University Michigan Visiting Professor St George's University Grenada West Indies James A Johnson, p.239
  62. Historic Dates by Velandai Gopalayyar Ramachandran, N. Mahalingam, p.42
  63. From Bharata to India: Volume 1: Chrysee the Golden By M. K. Agarwal,p.136
  64. Comparative Health Systems: Global Perspectives By Professor and Medical Social Scientist School of Health Sciences Central Michigan University Michigan Visiting Professor St George's University Grenada West Indies James A Johnson, p.239
  65. Historic Dates by Velandai Gopalayyar Ramachandran, N. Mahalingam, p.42
  66. History of Tamilakam. Darkness at horizon by T. V. Kuppuswamy (Prof.), Shripad Dattatraya Kulkarni, Shri Bhagavan Vedavyasa Itihasa Samshodhana Mandira (Bombay, India), p.5
  67. Chronology of Ancient Hindu History, Volume 1, p.68
  68. Beginnings of Life, Culture, and History by Shripad D. Kulkarni, p.318
  69. Journal of the Andhra Historical Society, Volumes 21-24, p.18
  70. Essentials of Spiritualism: Propounds Broadly Viswa Dharma, p.5
  71. Kanchipuram: Land of Legends, Saints and Temples By P.V.L. Narasimha Rao, p.32
  72. Age of Buddha, Milinda & Amtiyoka and Yugapurana by Kota Venkatachelam, p.22
  73. Chronology of north Indian kings by Rai Gyan Narain Prasad, p.15
  74. "Vasco da Gama: Round Africa to India, 1497-1498 CE". Internet Modern History Sourcebook. Paul Halsall. 1998. મૂળ માંથી 2011-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-07. Unknown parameter |month= ignored (મદદ)ફ્રોમઃ ઓલિવર જે. થેચર, ઈડી. ધ લાઈબ્રેરી ઓફ ઓરિજિનલ સોર્સ(મિલવાઉકેઃ યુનિવર્સિટી રીસર્ચ એક્સટેન્સન કું., 1907) વોલ પાંચઃ 9થી 16મી સદી. પી.પી26-40
  75. "Indian History - Important events: History of India. An overview". History of India. Indianchild.com. મૂળ માંથી 2011-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-07.
  76. "The Great Moghul Jahangir: Letter to James I, King of England, 1617 A.D." Indian History Sourcebook: England, India, and The East Indies, 1617 CE. Internet Indian History Sourcebook, Paul Halsall. 1998. મૂળ માંથી 2014-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-07. Unknown parameter |month= ignored (મદદ)ફ્રોમઃ જેમ્સ હાર્વે રોબિનસન (James Harvey Robinson)ઈડી, રીડીંગ ઈન યુરોપીયન હિસ્ટ્રી, 2 વોલ.બોસ્ટનઃ ગિન એન્ડ કું. 1904-1906), વોલ ટુઃ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ પ્રોટેસ્ટંટ રીવોલ્ટ ટું ધ પ્રેસ્ટન્ટ ડે. પીપી ((Boston: Ginn and Co., 1904-1906), Vol. II: From the opening of the Protestant Revolt to the Present Day, pp.)333-335
  77. "KOLKATA (CALCUTTA) : HISTORY". Calcuttaweb.com. મૂળ માંથી 2007-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-07.
  78. Rickard, J. (1 November 2000). "Robert Clive, Baron Clive, 'Clive of India', 1725-1774". Military History Encyclopedia on the Web. historyofwar.org. મેળવેલ 2007-05-07. Check date values in: |date= (મદદ)
  79. Prakash, Om. "The Transformation from a Pre-Colonial to a Colonial Order: The Case of India" (PDF). Global Economic History Network. Economic History Department, London School of Economics. પૃષ્ઠ 3–40. મેળવેલ 2007-05-07.
  80. ૮૦.૦ ૮૦.૧ ડેવિસ, મિકેવિક્ટોરિયન કાંડ1.વેરસો, 2000.આઈએસબીએન 1859847390 પેજ સાત સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "mikedavis" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  81. Mohsin, K.M. "Canning, (Lord)". Banglapedia. Asiatic Society of Bangladesh. મેળવેલ 2007-05-07. Indian Council Act of 1861 by which non-official Indian members were nominated to the Viceroy's Legislative Council.
  82. "Minto-Morley Reforms". storyofpakistan.com. Jin Technologies. June 1 2003. મેળવેલ 2007-05-07. Check date values in: |date= (મદદ)
  83. ૮૩.૦ ૮૩.૧ Symonds, Richard (1950). The Making of Pakistan. London: Faber and Faber. પૃષ્ઠ 74. OCLC 1462689. ASIN B0000CHMB1. at the lowest estimate, half a million people perished and twelve million became homeless

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]