અંકલેશ્વર
દેખાવ
અંકલેશ્વર | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 21°37′36″N 72°56′58″E / 21.6267°N 72.9494°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | અંકલેશ્વર |
વસ્તી (૨૦૦૧)[૧] | |
• કુલ | ૧૪૦૮૩૯ |
પિનકોડ | ૩૯૩૦૦૧ |
વાહન નોંધણી | GJ-16 |
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
ઉદ્યોગો
[ફેરફાર કરો]અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![]() | આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |