એસ. જયશંકર
એસ. જયશંકર | |
|---|---|
| ૩૦મા વિદેશમંત્રી | |
પદ પર | |
| Assumed office ૩૦ મે ૨૦૧૯ | |
| પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
| પુરોગામી | સુષ્મા સ્વરાજ |
| રાજ્ય સભાના સાંસદ | |
પદ પર | |
| Assumed office ૫ જુલાઈ ૨૦૧૯ | |
| પુરોગામી | અમિત શાહ |
| બેઠક | ગુજરાત |
| ૩૧મા વિદેશ સચિવ | |
| પદ પર ૨૮ જાન્યુઆરી ૨૦૧૫ – ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ | |
| પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
| પુરોગામી | સુજાતા સિંઘ |
| અનુગામી | વિજય કેશવ ગોખલે |
| અંગત વિગતો | |
| જન્મ | સુબ્રહ્મણ્યમ જયશંકર ૯ જાન્યુઆરી ૧૯૫૫ નવી દિલ્હી, ભારત |
| રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
| જીવનસાથી | ક્યોકો જયશંકર |
| સંતાનો | 3 |
| માતૃ શિક્ષણસંસ્થા | સેંટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી (બી.એ., એમ.એ.) જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય, એમ.ફિલ., પી.એચડી. |
| વ્યવસાય | સનદી સેવક, રાજદ્વારી, રાજકારણી |
| પુરસ્કારો | પદ્મશ્રી (૨૦૧૯) |
સુબ્રહ્મણ્યમ જયશંકર (જન્મ ૯ જાન્યુઆરી ૧૯૫૫) એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે, જેઓ ૩૦ મે ૨૦૧૯થી ભારત સરકારના વિદેશ મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને ૫ જુલાઈ ૨૦૧૯થી રાજ્યસભામાં સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે અગાઉ જાન્યુઆરી ૨૦૧૫થી [૧][૨][૩] જાન્યુઆરી ૨૦૧૮ સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી.
તેઓ ૧૯૭૭માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમની ૩૮ વર્ષથી વધુની રાજદ્વારી કારકિર્દી દરમિયાન, તેમણે સિંગાપોરમાં હાઈકમિશનર (૨૦૦૭-૦૯) અને ઝેક રિપબ્લિકમાં રાજદૂત (૨૦૦૧-૦૪), ચીનમાં રાજદૂત (૨૦૦૯-૧૩), અને અમેરિકામાં રાજદૂત(૨૦૧૪-૧૫) સહિત ભારત અને વિદેશમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી. જયશંકરે ભારત-યુએસ નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નિવૃત્તિ પછી જયશંકર ટાટા સન્સમાં વૈશ્વિક કોર્પોરેટ અફેર્સના પ્રમુખ તરીકે જોડાયા.[૪] ૨૦૧૯માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[૫] ૩૦ મે ૨૦૧૯ના રોજ તેમણે મોદીના બીજા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં.[૬] તેમને ૩૧મે ૨૦૧૯ના રોજ ભારતના વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી તરીકે વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ ભૂતપૂર્વ વિદેશ સચિવ છે.[૭][૮]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ACC Appointment, Press Information Bureau, 29 January 2015
- ↑ "MEA | About MEA : Profiles : Foreign Secretary". www.mea.gov.in. મેળવેલ 7 February 2018.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ S Jaishankar, is the new foreign secretary, Hindustan Times, 29 January 2015
- ↑ "Tata Sons announces appointment of new president, Global Corporate Affairs". Tata. 23 April 2018. મૂળ માંથી 25 May 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 May 2018.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Former Indian foreign secretary Subrahmanyam Jaishankar to be conferred with Padma Shri". Times Now. 25 January 2019. મૂળ માંથી 3 મે 2022 પર સંગ્રહિત. મેળવેલ 29 January 2019.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Roche, Elizabeth (30 May 2019). "S Jaishankar: Modi's 'crisis manager' sworn-in as union minister". Mint (અંગ્રેજીમાં). મેળવેલ 30 May 2019.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "S. Jaishankar: From Backroom to Corner Office, the Rise of Modi's Favourite Diplomat". The Wire. 1 June 2019. મેળવેલ 9 July 2020.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Narendra Modi Government 2.0: Former foreign secretary S Jaishankar appointed as Minister of external affairs Affairs". cnbctv18.com. 31 May 2019. મેળવેલ 4 June 2019.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)