ખાંટિયાવાંટ

વિકિપીડિયામાંથી
ખાંટિયાવાંટ
—  ગામ  —
ખાંટિયાવાંટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°05′33″N 74°03′23″E / 22.09259°N 74.05648°E / 22.09259; 74.05648
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો કવાંટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, તુવર, શાકભાજી

ખાંટિયાવાંટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકામાં આવેલું એક ગામ છે. ખાંટિયાવાંટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે. ખાંટિયાવાંટ ગામમાં બે નદીઓ આવેલી છે; હેરણ નદી અને રામી નદી. ખાંટિયાવાંટ ગામ કવાંટથી ૧૧ કિ.મી. અને બોડેલીથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે. શ્રી પ્રતાપભાઈ હરિભાઈ રાઠવા ખાંટિયાવાંટ ગામમાં છેલ્લા ૧૫ વર્ષથી સરપંચ પદ નિભાવી રહ્યા છે.

સદીઓ પહેલા અહી ખાટિયા જાતીના ભીલ લોકો વસવાટ કરતા હતા જેના પરથી ખાંટિયાવાંટ ગામનું નામકરણ થયેલું છે.