ગુરૂ શિખર

વિકિપીડિયામાંથી
ગુરૂ શિખર
गुरू शिखर
અરવલ્લી પર્વતમાળા ગુરૂ શિખર પરથી
શિખર માહિતી
ઉંચાઇ1,722 m (5,650 ft)
અક્ષાંસ-રેખાંશ24°38′59.5″N 72°46′34.5″E / 24.649861°N 72.776250°E / 24.649861; 72.776250
ભૂગોળ
ગુરૂ શિખર is located in રાજસ્થાન
ગુરૂ શિખર
ગુરૂ શિખર
પિતૃ પર્વતમાળાઅર્બુદા પર્વતમાળા, અરવલ્લી

ગુરૂ શિખર, અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાનનું સૌથી ઉંચુ શિખર છે. તેની ઊંચાઇ ૧,૭૨૨ મીટર (૫,૬૭૬ ફીટ) છે.[૧] માઉન્ટ આબુથી તે ૧૫ કિમી દૂર આવેલું છે અને ત્યાંથી રસ્તો લગભગ ટોચ સુધી જાય છે.[૨] તેનું નામ વિષ્ણુના અવતાર ગુરૂ દત્તાત્રેય ના નામ પરથી પડ્યું છે. તેમને સમર્પિત ગુફા ટોચ પર આવેલી છે અને તેમની માતા - અનસુયા, અત્રિની પત્નિ, ની ગુફા પણ નજીકમાં આવેલી છે.[૩]

મંદિરની બાજુમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા સંચાલિત માઉન્ટ આબુ વેધશાળા આવેલી છે. આ વેધશાળામાં ૧.૨મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન આવેલું છે અને અન્ય ખગોળશાસ્ત્રીય  પરીક્ષણો પણ થાય છે.[૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુરૂ શિખર પર આવેલી ગુફાનું નાનું પ્રવેશદ્વાર.

અગ્નિવંશી એવો દાવો કરે છે તેઓ ગુરૂ શિખર પરના યજ્ઞના હિંદુ દેવ અગ્નિના વંશજ છે. ચાર રજપૂત કૂળો અગ્નિવંશી હોવાનું ગણાય છે: ચૌહાણ, પરમાર, સોલંકી, અને પરિહાર.[સંદર્ભ આપો]

અર્બુદ વંશના રાજપૂતો પરમાર કહેવાય છે અને તેઓ ગુરૂ શિખર પરના અગ્નિકુંડમાંથી પ્રગટ્યા હોવાનું મનાય છે. ૧૭૭૮માં ભારતના છેલ્લા હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે પ્રહલાદનની પુત્રી સાથે લગ્ન કરવા માટે આ રસ્તો પાર કર્યો હોવાનું મનાય છે. પ્રહલાદન એ પ્રહલાદનપુરનો સ્થાપક હતો, જે છેલ્લી ૨-૩ સદીથી પાલનપુર કહેવાય છે. પ્રહલાદન ધારવર્ષ પરમારનો નાનો ભાઇ હતો, જે અર્બુદ, માઉન્ટ આબુનો શાસક હતો.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kohli, M.S. (2004), Mountains of India: Tourism, Adventure, Pilgrimage, Indus Publishing, pp. 29, ISBN 978-81-7387-135-1, http://books.google.com/books?id=GIs4zv17HHwC&pg=PA29 
  2. Singh, Sarina (2009), India 13, Lonely Planet, p. 230, ISBN 978-1-74179-151-8, http://books.google.com/books?id=vK88ktao7pIC&pg=PA230 
  3. "Guru Shikhar - Highest Point of Aravali in Rajasthan". Mount Abu Official website. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૫.
  4. Astronomy & Astrophysics Division (A&A) સંગ્રહિત ૨૦૧૬-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન .