જુનારાજ (તા.નાંદોદ)
| જુનારાજ | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 23°40′57″N 73°57′26″E / 23.682519°N 73.95729°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | નર્મદા |
| તાલુકો | નાંદોદ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
જુનારાજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. જુનારાજ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
અહીં પહેલાંના સમયમાં રાજપીપળા રાજ્યનું મુખ્ય મથક હોવાને કારણે આ ગામનું નામ જુનારાજ પડ્યું છે, જેની સાક્ષી રૂપે અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ પુરાતન કિલ્લાના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે. ચોમાસા દરમ્યાન કરજણ બંધમાં પાણી પૂર્ણ સ્તરે ભરાય જાય ત્યારે આ મંદિર તેમ જ કિલ્લો પાણીમાં ડૂબી જાય છે.
આ ગામમાં ઈ. સ. ૧૯૮૭ના વર્ષ સુધી તાલુકામથક રાજપીપળા થી અહીં જવાનો પાકો સડક માર્ગ હતો તેમ જ રાજ્ય પરિવહન નિગમની બસ દિવસમાં ત્રણ વાર આવતી હતી પરંતુ કરજણ નદી પર બંધનું ઉદ્ઘાટન થયા પછી આ ગામની ત્રણ બાજુ પાણી ભરાયેલ છે. આજના સમયમાં પણ આ ગામ બસ સુવિધા, વિજળી સુવિધાથી વંચિત છે. જો કે હાલમાં (ઈ. સ. ૨૦૧૪) કરજણ બંધના જળાશયની ફરતેથી કાચા સડક માર્ગ દ્વારા આ ગામ નાનાં વાહનો પહોંચતાં થયાં છે, પરંતુ એસટી બસ આવતી નથી. ગામમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન પરિસરિય કેન્દ્ર[૧] શરૂ કરવામાં આવેલ છે, જ્યાં સહેલાણીઓ માટે રહેવાનાં તંબુ તેમ જ કોટેજની વ્યવસ્થા, અલ્પાહાર-ભોજન સહિત કરવામાં આવેલ છે. આ જગ્યા પર રહેવા જવા માટે રાજપીપળા વન વિભાગની કચેરી ખાતેથી યોગ્ય સંમતિ લેવી પડે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://www.sandesh.com/article.aspx?newsid=2897891%5B%5D જુનારાજ ખાતે આજે વનવિભાગ દ્વારા પરિસરીય પ્રવાસન કેન્દ્રનું લોકાર્પણ
| ||||||||||||||||
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


