દીવા (તા.અંકલેશ્વર)
દેખાવ
| દીવા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 21°37′35″N 73°00′55″E / 21.626424°N 73.015198°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | ભરૂચ |
| તાલુકો | અંકલેશ્વર |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| ખેતપેદાશો | કપાસ, તુવર, શાકભાજી |
દીવા (તા.અંકલેશ્વર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકામાં આવેલું એક મહ્ત્વનું ગામ છે. દીવા ગામ ને જુના દીવા ગામ તરીકે પણ ઓળખે છે. દીવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામની શરુઆતમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં આશ્રમ પણ આવેલો છે. આ મંદિરની સામે મોટું મેદાન છે, જ્યાં ખાસ કરીને ક્રિકેટ રમાય છે. આ ઉપરાંત ગામની પૂર્વ દિશામાં રામજી મંદિર તેમ જ ઉત્તર દિશામાં મહાદેવજીનું મંદિર આવેલું છે. ગામની વસ્તી આશરે ૧૦૦૦૦ જેટલી છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |