ભારતીય ચૂંટણી પંચ
| Election Commission of India | |
|---|---|
| ભારતીય ચૂંટણી પંચ | |
| भारत निर्वाचन आयोग | |
| સંસ્થા નિરીક્ષણ | |
| રચના | ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ (જે ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે) |
| અધિકારક્ષેત્ર | ભારત |
| મુખ્ય મથક | નવી દિલ્હી 28°36′50″N 77°12′32″E / 28.61389°N 77.20889°E |
| સંસ્થાના સત્તાધારીઓ | શ્રી જ્ઞાનેશ કુમાર, મુખ્ય ચૂંટણી આયુક્ત ડૉ. સુખબીર સિંહ સાંધુ, ચૂંટણી આયુક્ત ડૉ. વિવેક જોશી, ચૂંટણી આયુક્ત "માનનીય પંચ". ભારતીય ચૂંટણી પંચ. મેળવેલ 16 November 2025. |
| વેબસાઈટ | |
| eci | |
| ભારત |
આ લેખ આ શ્રેણી સંબંધિત છે: |
|
|
|
|
અન્ય દેશ • પ્રવેશદ્વાર:રાજનીતિ પ્રવેશદ્વાર:ભારત સરકાર |
ભારતીય ચૂંટણી પંચ (અંગ્રેજી:Election Commission of India, હિન્દી: भारत निर्वाचन आयोग), ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત્ત, સંવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે. ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે.[૧] સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.
ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સંરચના
[ફેરફાર કરો]આયોગમાં હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત જ એકમાત્ર સભ્ય હતા. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્યની રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક-સભ્યની રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્યની રચના બની.[૨]
હાલમાં, મુખ્ય ચૂંટણી આયુક્ત શ્રી જ્ઞાનેશ કુમારઅને અન્ય ચૂંટણી આયુક્તો ડૉ. સુખબીર સિંહ સાંધુ તથા ડૉ. વિવેક જોશીછે..[૩]
ચૂંટણી આયુક્તોની નિમણૂક તેમજ કાર્યપ્રણાલી
[ફેરફાર કરો]મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ અથવા ૬૫ વર્ષની આયુ, જે વહેલું હોય, તે પ્રમાણેનો હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ અથવા ૬૨ વર્ષની આયુ, જે વહેલું હોય, તે પ્રમાણેનો હોય છે. ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે. મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ચૂંટણીપંચની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "A Constitutional Body". Election Commission of India.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "अक्सर पूछे जाने वाले प्रश्न – निर्वाचन तन्त्र". Election Commission of India.
- ↑ . Election Commission of India https://eci.gov.in/about/about-eci/.
{{cite web}}: Missing or empty|title=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |