શહીદ ભગતસિંહ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર શહીદ ભગતસિંહનું અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો.

માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે એસેમ્બલીમાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારને હતું કે કંઈક નવાજૂની થશે એટલે એક દિવસ પહેલા ૨૩મી માર્ચે સૂરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીય વાત નિયમો વિરુદ્ધની હતી. અમને ફાંસી નહિ ગોળીએ ઠાર કરો એવું કહી ચૂકેલા ક્રાન્તિવીરોને ફાંસી પછી, ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે. હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

આ શહીદોની અનેક રોમાંચક કથાઓ છે. ફાંસી દેવાયા પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું હતું ઃ 'વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૃખડાં હો... જી... વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર ઃ ઇંધણ તો ય ઓછા પડયાં હો જી...!'

આજે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રભક્તિની વાતો તો ખૂબ થાય છે પરંતુ જેમની શહીદીના કારણે આજે અનેક રાજકારણીઓને સત્તાનો રાજમાર્ગ સાપડી ગયો છે તેવા એકેય જણ શહીદોને અંજલિ આપતા કાર્યક્રમમાં ડોકાતા સુધ્ધા નથી. બીજી તરફ યુવા પેઢી સામે ભગતસિંહ જ નહી અનેક નામી- અનામી શહીદોની વિગતો પણ રજૂ નથી થતી એટલે સ્થિતિ એવી થઈ છે કે, એ ઘટનાક્રમો, આઝાદીની તમન્ના અને તેના માટેની જાનફેસાની ઈતિહાસના ગ્રંથોના જર્જરિત પાનાંઓમાં સમેટાઈ રહે છે.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં