ગાંભુ (તા. બહુચરાજી)

વિકિપીડિયામાંથી
ગાંભુ
—  ગામ  —
ગાંભુનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′50″N 73°11′54″E / 22.313925°N 73.198451°E / 22.313925; 73.198451
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો બહુચરાજી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

ગાંભુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા બહુચરાજી તાલુકામાં આવેલું એક ગામ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ ગામ પાસે સોલંકી રાજા કર્ણ દ્વારા બાંધવામાં આવેલ કર્ણસાગર તળાવના અવશેષો આવેલાં છે. આ ગામ ઇતિહાસમાં ગાંભુયત નામે પણ ઓળખાતું હતું. જૈન સાધુ શીલગુણસૂરિ અહીં રહ્યા હતા અને ચાવડા વંશના રાજા વનરાજનો ગુપ્તવાસ અહીં વીત્યો હોવાની માન્યતા છે.[૧] [૧]

હરિભદ્રસૂરિકૃત નેમિનાહ-ચરિઉ મુજબ વનરાજ ચાવડાના રાજ્યાભિષેક સમયે ગાંભુય ગામના (મૂળે શ્રીમાલ/ભીનમાલના) પ્રાગ્વટ વંશના વૃદ્ધ જૈન વેપારી ઠકકુર નિન્નયને પાટણ રહેવા અને રાજદરબારમાં મંત્રી બનવા અને તેમના પુત્ર લાહરને દંડપતિ બનવા જણાવ્યું હતું.[૨][૩][૪][૧]

જાણીતા સ્થળો[ફેરફાર કરો]

ગંભીરા પાર્શ્વનાથ જૈન દેરાસરની પ્રતિમાઓ

આ ગામ જૈન ધર્મનું યાત્રાધામ છે. અહીં ગંભીરા પાર્શ્વનાથનું જૈન દેરાસર આવેલું છે. ૨૦૨૨માં અહીં ખોદકામ દરમિયાન અગિયાર જૈન પ્રતિમાઓ મળી હતી જે ૧૧મી-૧૨મી સદીની હતી.[૫]

ખોદકામમાં નીકળેલી ૧૧મી સદીની જૈન પ્રતિમા

સવલતો[ફેરફાર કરો]

ગામમાં એક પ્રાથમિક અને ત્રણ માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાકઘર છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Rajyagor, S. B., સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. પૃષ્ઠ 791.
  2. Choudhary, Gulab Chandra (1963). Political History of Northern India: from Jain Sources (c. 650 A.D. to 1300 A.D.). Sohanlal Jaidharma Pracharak Samiti. પૃષ્ઠ 201–202.
  3. Pradhan, Sulagna (2017). "Three Merchants of Thirteenth Century in Gujarat: Beyond Business". Proceedings of the Indian History Congress. 78: 275 – JSTOR વડે.
  4. Ghosal, S. N. (1956). "Dr. H. Jacobi's Introduction to the Sanatkumāracaritam (Translated from Original German)". Journal of the Oriental Institute. 6: 7.
  5. "વારસો:ગાંભુમાં પુન: ખોદકામમાં જૈન પ્રભુની વધુ 7 પ્રતિમાઓ નીકળી". દિવ્ય ભાસ્કર. 2022-10-01.