જાદવપુર યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
Jadavpur University
যাদবপুর বিশ্ববিদ্যালয়
Jadavpur University Logo
પ્રકારPublic
સ્થાપના1955
કુલપતિH.E. The Governor of West Bengal
ઉપકુલપતિProfessor Pradip Narayan Ghosh
શૈક્ષણિક સ્ટાફ
850 (approx)
સ્નાતક વિદ્યાર્થીઓ5000 (approx)
અનુસ્નાતક વિદ્યાર્થીઓ4000 (approx)
સ્થાનKolkata, West Bengal, India
કેમ્પસJadavpur (Urban; 58 acres) and Salt Lake (Suburban; 26 acres)
એથ્લેટિક નામJU
વેબસાઇટJadavpur.edu

જાદવપુર યુનિવર્સિટી (જેયુ ) (હિન્દી: जादवपुर विश्वविद्यालय) (બંગાળી: যাদবপুর বিশ্ববিদ্যালয়) એ ભારતમાં એક શૈક્ષણિક અને સંશોધન સંસ્થા છે. તે કોલકતા, પશ્ચિમ બંગાળમાં આવેલ છે અને તેના બે કેમપ્સ છે - જાદવપુર ખાતે મુખ્ય કેમ્પસ અને સોલ્ટ લેક ખાતે નવું કેમ્પસ. જાદવપુર યુનિવર્સિટી અગ્રણી સંશોધન સંસ્થાઓ, જેમ કે ઇન્ડિયન એસોશિયેશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી અને સેન્ટઅલ ગ્લાસ એન્ડ સેરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે નજીકથી સંલગ્ન છે.

જેયુ, ભારતમાં એક ટોચની ઇજનેરી સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન એ તેને "શ્રેષ્ઠતાની સંભાવ્યતા" સાથેની દેશની યુનિવર્સિટીઓ પૈકીની એક નિર્દેશિત કરેલી છે. વધારામાં, જાદવપુર યુનિવર્સિટીને, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલદ્વારા બે વખત, ભારતમાં "ફાઇવ સ્ટાર યુનિવર્સિટી" તરીકે ક્રમાંકિત કરવામાં આવી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચિત્ર:Ju50.PNG
જાદવપુર યુનિવર્સિટીનું ગોલ્ડન જ્યુબિલિ ચિહ્ન

બ્રિટિશ શાસનના સમયમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન (એનસીઇ)ની સ્થાપના ઇ. સ. ૧૯૦૬માં રાષ્ટ્રિય કક્ષાએ સાહિત્યિક, વૈજ્ઞાનિક અને તકનીકી શિક્ષણ આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષ બંગાળના ઇતિહાસ માટે અગત્યનું હતું કેમ કે ત્યારે જ બંગાળ પ્રોવિન્સના લોર્ડ કર્ઝન, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા એક તરફ પૂર્વ બંગાળ (તે વિસ્તાર જે છેવટે ઇ. સ. ૧૯૭૧માં બનવાનો હતો બાંગ્લાદેશ) અને બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભાગલા કર્યા હતા. ઇ. સ. ૧૯૦૬માં, બંગાળી બુદ્ધજીવીઓના એક જૂથે (જેમાં સામેલ હતા, રબિન્દ્રનાથ ટાગોર, ઓરોબિન્દો ઘોષ, રાજા સુબોધ ચન્દ્ર મલિક અને બ્રજેન્દ્ર કિશોર રોયચૌધરી) નક્કી કર્યું કે તેઓ બંગાળના વિભાજનનો વિરોધ કરશે અને એક એવી સંસ્થા બનાવીને કે જે લોકોને ’રાષ્ટ્રિય ધોરણે અને રાષ્ટ્રિય નિયંત્રણ હેઠળ’ શિક્ષણ આપીને બ્રિટિશ શાસનને પડકાર આપશે. એનસીઇ તેના પ્રથમ અધ્યક્ષ રાસબિહારી ધોષના વડપણ હેઠળ સ્થાપિત થઇ હતી.

લગભગ તે જ દિવસે એક વિરોધી સંગઠન, ધ સોસાયટી ફોર પ્રમોશન ઓફ ટેકનીકલ એજ્યુકેશન ઇન બેંગોલ, તારાકાન્ત પાલિત,[૧] દ્વારા શરુ કરવામાં આવી અને તેના હેઠળ પચ્ચીસમી જુલાઇ, ૧૯૦૬ના રોજ બેંગોલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. આ બંને સંસ્થાઓ પરસ્પર કેટલાંક વર્ષો સુધી લડયા પછી એસપીટીઇને એનસીઇ સાથે ઇ. સ. ૧૯૧૦માં ભેગી કરી દેવામાં આવી અને બેંગોલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તેઓના હાથમાં આવી. ઇ. સ. ૧૯૨૧માં તે ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં કેમિકલ એન્જિનિયરિંગને અભ્યાસક્રમ તરીકે રજૂ કરનાર પ્રથમ શિક્ષણ સંસ્થા હતી. ઇ. સ. ૧૯૪૦ સુધીમાં, ઇન્સ્ટિટ્યૂટ પરોક્ષ રીતે એક સ્વતંત્ર યુનિવર્સિટી તરીકે કામ કરતી થઇ ગઇ હતી અને ઇ. સ. ૧૯૪૭માં ભારત દેશને આઝાદી મળ્યા પછી, વેસ્ટ બેંગાલ સ્ટેટ લેજીસલેચર એ, ભારત સરકારની સંમતિથી, ઇન્સ્ટિટ્યૂટને ( ચોવીસમી ડિસેમ્બર, ૧૯૫૫) થી સંપૂર્ણ સ્વાયતતા સાથે જાદવપુર યુનિવર્સિટીમાં તબદીલ કરવા માટે ૧૯૫૫નો જાદવપુર યુનિવર્સિટી નિયમ બનાવ્યો. તે દિવસથી આજદિન સુધી યુનિવર્સિટીએ તે તારીખને તેના કેલેન્ડરમાં કોન્વોકેશન દિવસ તરીકે ઉજવ્યો છે.

યુનિવર્સિટીનું ચિહ્ન[ફેરફાર કરો]

યુનિવર્સિટીનું ચિહ્ન એક ત્રણ-આગવાલું ફાનસ છે જે કમળના પત્તાઓથી ઘેરાયેલું છે. ફાનસ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રણ આગ - બૌદ્ધિક તાલીમ, લાગણીઓ અને વિચારશક્તિની રચના અને તત્ત્વજ્ઞાનના વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. બાહ્ય સિમા પર કમળના પત્તાઓ ફાઇન આર્ટ્સ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ચિહ્નની ડિઝાઇન સ્વ. નંદલાલ બોસે કરી હતી, જેઓ બેંગોલ સ્કુલ ઓફ આર્ટના અગત્યના સભ્ય હતા, જે શાંતિનિકેતનમાં રબિન્દ્રનાથ ટાગોરની વિશ્વા-ભારતી યુનિવર્સિટીના કલા ભવનના પણ એક શ્રેષ્ઠ માસ્ટર હતા. જ્યારે ડિસેમ્બર 24, 2005 ના રોજ યુનિવર્સિટીએ તેની સુવર્ણજયંતિ ઉજવી ત્યારે, તે પ્રસંગે એક ખાસ ચિહ્ન (ઉપર જુઓ) બનાવવામાં આવ્યું હતું, અને હેતુ "જાણવું એ વધવું છે’ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ તારીખ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનની શતાબ્દી પણ હતી.[૨]


કેમ્પસ[ફેરફાર કરો]

જાદવપુર યુનિવર્સિટી બે અદ્યતન કેપસોમાંથી સંચાલન કરે છે, એક જાદવપુરમાં(58 એકર) અને બીજું સોલ્ટ લેકમાં (26 એકર). તેણે તાજેતરમાં જાદવપુરમાં એક બંધ થયેલ સીએસઆઇઆર (CSIR) નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હાંસિલ કર્યું, જે કરનાર તે ભારતની પ્રથમ યુનિવર્સિટી બની. જાદવપુરના મુખ્ય કેમ્પ્સમાં મોટાભાગની ત્રણ ફેકલટીઓના વિભાગો આવેલાં છે - એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટ્સ જેના અતિતિક્ત છે જાદવપુર યુનિવર્સિટી કેન્દ્રિય લાયબ્રેરી અને બ્લુ અર્થ વર્કશોપ. સોલ્ટ લેક કેમ્પસમાંથી પાંચ એન્જિનિયરિંગ વિભાગો કાર્યરત છે. સોલ્ટ લેક કેમ્પસનું મુખ્ય ગ્રાઉન્ડ, ક્રિકેટ એસોસિયેશન ઓફ બેંગોલને ભાડે આપવામાં આવ્યું છે અને તે ઘણીવાર આંતર રાજ્ય અને આંતરિક રાજ્ય ક્રિકેટ મેચોનું યજમાન થાય છે. નવું નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું કેમપ્સ ખૂબ જરૂરી એવી નવી લેબોરેટરીઓની જ્ગ્યાઓમાં ઉમેરો કરશે તેવી અપેક્ષાઓ છે ખાસ કરીને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ અને કોપ્મ્યૂટર એન્જિનિયરિંગ વિભાગોંમાં.

હાલમાં, જાદવપુર યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીમાં તબદીલ કરવા માટે વિચારણા થઇ છે. [૩]

શિક્ષણ[ફેરફાર કરો]

જાદવપુર યુનિવર્સિટી પ્રાથમિક ધોરણે એકમ ધરાવતી યુનિવર્સિટી છે જેમાં એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટ્સ ફેકલટીઓ છે. જોકે કેટલીક તદવીદ સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે જેમ કે:

  • જાદવપુર વિદ્યાપીઠ કોલેજ ઓફ એજ્યુકેશન
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ
  • જે. ડી. બીરલા ઇન્સ્ટિટ્યૂટ
  • મરિન એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (તે હવે ફરી ઇન્ડિયન મેરિટાઈમ યુનિવર્સિટી સાથે સંલગ્ન થવાનું છે)

જેયુમાં દાખલો સ્પર્ધાત્મક છે, ખાસ કરીને એન્જિનિયરિંગ કોર્સો માટે. પૂર્વસ્નાતક વિદ્યાર્થીઓ ડબલ્યુબીજેઇઇ દ્વારા દાખલ કરવામાં આવે છે જે સમગ્ર ભારતભરના વિદ્યાર્થીઓ માટેની દાખલ થવાની પરિક્ષા છે. જેયુમાં કોઇ ડોમિસાઇલ કોટા નથી. અનુસ્નાતક વિદ્યાર્થીઓને જીએઅટીઇ દ્વારા દાખલ કરવામાં આવે છે.

ક્રમાંકનો[ફેરફાર કરો]

જ્યારે આઇઆઇટીઓ સિવાયની ભારતની મોટાભગની ઇજનેરી કોલેજો પૂર્વસ્નાતક શિક્ષણ પર ભાર આપે છે, જાદવપુર યુનિવર્સિટી ભારતભરમાં પ્રાથમિક ધોરણે તેની સંશોધનની પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે, અને તેની ઇન્જિનિયરિંગ ફેકલ્ટીને સમગ્ર ભારતમાં સંશોધન આઉટપૂટમાં 6 નંબરનો ક્રમ મળ્યો હતો.[૪]

કેટલાંક અન્ય ક્રમાંકનો નીચે મુજબ આપ્યા છે:

  • આઇએએસ,2009 દ્વારા જાદવપુર યુનિવર્સિટીને ભારતમાં 6ઠ્ઠો ક્રમ આપવામાં આવ્યો હતો [૧] અથવા [૨]
  • ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ભારતમાં 10 માં ક્રમે આવી હતી, 2009 (મિન્ટ સી-ફોર) [૩]
  • ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ભારતમાં 12 માં ક્રમે આવી હતી,, 2009 (આઉટલૂક) [૪]
  • ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ભારતમાં 11 માં ક્રમે આવી હતી (ઇન્ડિયા ટુડે 2007) [૫]
  • ફેકલ્ટી ઓફ આર્ટ્સ ભારતમાં 29 માં ક્રમે આવી હતી, (ઇન્ડિયા ટુડે 2008)
  • ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ભારતમાં 11 માં ક્રમે આવી હતી (ઇન્ડિયા ટુડે 2007) [૬]

નોંધપાત્ર શિક્ષકો

  • ત્રિગુણા સેન (મિકેનિકલ એન્જિનિયરિંગ) - 'ધ ફાધર ઓફ જાદવપુર યુનિવર્સિટી', યુનિવર્સિટીના પ્રથમ રેકટર અને વાઇસ-ચાન્સેલર, પછીથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર; રાજ્ય સભાના સાંસદ, શિક્ષણ, પેટ્રોલિયમ, કોલસા અને ખનિજોના યુનિયન મંત્રી; પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા
  • અમરત્ય સેન (અર્થશાસ્ત્ર) - પહેલાં ત્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના માસ્ટર & આલ્ફ્રેડ નોબેલની યાદમાં અર્થશાસ્ત્ર વિજ્ઞાનોના ધ બેન્ક ઓફ સ્વીડન પુરસકાર એવોર્ડના વિજેતા
  • બુદ્ધદેવ બસુ (તુલનાત્મક સાહિત્ય) - બંગાળી કવિ, નાટ્યકથાકાર, નવલકથાકાર, અનુવાદક અને નિબંધલેખક, તુલનાત્મક સાહિત્યવિભાગના સ્થાપક (એશિયામાં તેના પ્રકારની પ્રથમ, અને ભારતમાંની સંપૂર્ણ પૈકીની એકમાત્ર), સાહિત્ય અકાદમી એવોર્ડ, રબિન્દ્રા પુરસ્કાર અને પદ્મ ભૂષણ વિજેતા
  • ડેવિડ મેકકુચ્યોન (તુલનાત્મક સાહિત્ય) - પ્રોફેસરને ત્યાર પછી તુલનાત્મક સાહિત્યના વાચક, અંગ્રેજીમાં ભારતીય લેખનની પહેલ કરનાર.
  • સુધિન્દ્રનાથ દત્તા (તુલનાત્મક સાહિત્ય) - આગળ પડતા બંગાળિ કવિ, અનુવાદક અને વિદ્વાન
  • સુબોધ ચન્દ્ર સેન ગુપ્તા (અંગ્રેજી) - વિખ્યાત વિદ્વાન અને ટીકાકાર
  • અલોકરંજન દાસગુપ્તા-[૭] (તુલ્નાત્મક સાહિત્ય) - કવિ, ગોએથ મેડલ , સાહિત્ય અકાદમી અને આનંદા પુરસ્કાર વિજેતા
  • શંખા ઘોષ (બંગાળી) - બંગાળી કવિ, સાહિત્ય અકાદમી એવોર્ડ (બે વખત), રબિન્દ્રા પુરસ્કાર અને દેશીકોટ્ટમાના વિજેતા.
  • સુકુમારી ભટ્ટાચારજી (સંસ્કૃત અને તુલનાત્મક સાહિત્ય) - વિખ્યાત ઇતિહાસકાર અને વેદિક સંસ્કૄતિ અને હિન્દુત્ત્વ પરના વ્યાખ્યાનકર્તા
  • અજિત દત્તા (બંગાળી) - બંગાળી કવિ
  • નબાનિતા દેવ સેન (તુલ્નાત્મક સાહિત્ય) - પ્રવાસકથાઓ, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓના લેખક, સાહિત્ય અકાદમી અને પદ્મ શ્રી એવોર્ડના વિજેતા
  • માનાબેન્દ્ર બંધોપાધ્યાય (તુલનાત્મક સાહિત્ય) - અનુવાદક, સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા
  • અમિયા દેવ (તુલનાત્મક સાહિત્ય) - વિદ્યાસાગર યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર
  • સ્વપન મજમુદાર (તુલનાત્મક સાહિત્ય)- રબિન્દ્ર ભવન, શાંતિનિકેતનના ભૂતપૂર્વ ડાયરેક્ટર
  • સિબાજી બંધોપાધ્યાય (તુલનાત્મક સાહિત્ય) - બંગાળી સાહિત્યના વિખ્યાત ટીકાકાર અને ઇતિહાસકાર.
  • કેતકી કુશારી ડાયસન (અંગ્રેજી) - શિક્ષ્ણાત્મક અને નવરચના લેખક, આનંદા પુરસ્કારના વિજેતા (બે વખત)
  • માલિની ભટ્ટાચાર્ય (અંગ્રેજી) - નારીવાદી વિદ્વાન અને કાર્યકર, ભૂતપૂર્વ લોક સભા સાંસદ, નેશનલ કમિશન ફોર વુમનના સભ્ય
  • સુકાન્તા ચૌધરી (અંગ્રેજી) - વિખ્યાત સંક્રાંતિ વિદ્વાન, ટાગોરના અનુવાદક
  • સુપ્રિયા ચૌધરી (અંગ્રેજી) - વિખ્યાત સંક્રાંતિ વિદ્વાન, ટાગોરના અનુવાદક
  • સ્વપન ચક્રવર્તિ (અંગ્રેજી) - ડાયરેક્ટર, નેશનલ લાયબ્રેરી ઓફ ઇન્ડિયા
  • આનંદા દેબ મુખરજી (ભૂસ્તરશાસ્ત્ર) - વિખ્યાત વૈજ્ઞાનિક
  • આનંદા લાલ (અંગ્રેજી) - ટાગોરના અનુવાદક અને થિયેટરના ટીકાકાર
  • ઇન્દિરા ચૌધરી (અંગ્રેજી) - કન્સલટન્ટ દફતરદાર, ટ, Mumbai; winner of Rabindra Puraskar
  • રીમી. બી. ચેટરજી (અંગ્રેજી) - નવલકથાકાર અને અનુવાદક, વોડાફોન ક્રોસવર્ડ બૂક એવોર્ડ 2007 માટે નામાંકન.
  • શંકર ચેટરજી (ભૂસ્તરશાસ્ત્ર) - જીવાવશેષોના આભ્યાસી અને બંગાળી ભૂસ્તરવૈજ્ઞાનિક જેઓએ ડાયનાસોરના જમાનાના અંત સાથે સંલગ્ન ભારતીય છેડા અંગે વિશ્વભરમાં ચર્ચા શરુ કરી છે.

નોંધપાત્ર એલ્યુમનિ/અલુમને[ફેરફાર કરો]

સુબિર રાહા સુપ્રસિદ્ધ વ્યાપાર અગ્રણી જેને ખાસ કરીને ભારતીય તેલ ક્ષેત્રમાં અને સામાન્ય ધોરણે જાહેર ક્ષેત્રમાં પોતાની છાપ છોડી હતી અને ઓએનજીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને એમડી.

કબિર સુમન (પહેલાં સુમન ચટ્ટોપાધ્યાય) નવીન કક્ષાના બંગાળી ગાયક-કપોસર-ગીત લેખક, લોક સભાના ત્રિણમુલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ.

રિતુપર્નો ઘોષ ઘણાં બધા રાષ્ટ્રિય પોરસ્કાર વિજેતા ફિલ્મોના નિર્દેશક, સંવાદ- અને પટકથા-લેખક.

મૌસમી ભૌમિક બંગાળી ગાયક-કમ્પોસર- ગીત લેખક અને એથ્નો-મ્યુસિકોલોજીસ્ટ.

સોહિની હલ્દર અગ્રણી બંગાળી સ્ટેજ અભિનેત્રી અને રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા ફિલ્મ અભિનેત્રી.

પરાંઇતા મોન્ડલ, અરબાના-ચેમ્પેઇન ખાતે યુનિવર્સિટી ઓફ ઇલિએનોઇસ, યુએસએ ખાતે સહાયક પ્રોફેસર .

કુણાલ બાસુ નવલકથાકાર અને સેઇડ બિઝનેસ સ્કુલ ખાતે પ્રોફેસર.

સિદ્ધાર્થ દત્તા પ્રો વાઇસ-ચાન્સેલર જાદવપુર યુનિવર્સિટી.

ચિરંજિબ ભટ્ટાચારજી કેમિકલ ઇનજેરીના પ્રોફેસર જાદવપુર યુનિવર્સિટી.

દેબાશિર સરકાર અધ્યાપક, કેમિકલ ઇજનેરી વિભાગ યુનિવર્સિટી ઓફ કલકત્તા.

પાયલ સરકાર બંગાળી અભિનેત્રીએ તેની સ્નાતક પદવી જાદવપુર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી કરી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતમાં યુનિવર્સિટીઓની સૂચિ
  • ભારતમાં યુનિવર્સિટીઓ અને કોલેજો
  • ભારતમાં શિક્ષણ
  • ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ
  • યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન(ભારત)
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, જાદવપુર યુનિવર્સિટી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. હરિદાસ મુખરજી અને ઉમા મુખરજી, ધ ઓરિજિન્સ ઓફ ધ નેશનલ એજ્યુકેશન મુવમેન્ટ (કલકત્તા: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, 1992)
  2. અનાડા લાલ, રામા પ્રસાદ દે, અને અમ્રિતા સેન, ધ લેમ્પ ઇન ધ લોટસ: અ હિસ્ટરી ઓફ જાદવપુર યુનિવર્સિટી એચજે(કલકત્તા: જાદવપુર યુનિવર્સિટી, 2005)
  3. http://www.indianexpress.com/news/ju-makes-a-pitch-for-central-status-now/564410/
  4. http://www.ias.ac.in/currsci/aug102009/304.pdf

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Kolkata topics ઢાંચો:Universities in West Bengal

એજ્યુકેટી