ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭

વિકિપીડિયામાંથી
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્ય અનુસાર મતવિભાજન, ૨૦૧૭

ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ૧૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ થઇ ગઇ, મતગણતરી ૨૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ, હાલના રાષ્ટ્રપતિની અવધી પૂર્ણ થવાનાં પાંચ દિવસ અગાઉ કરવામાં આવી હતી.[૧] ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પદ વધુમાં વધુ કેટલી વખત ગ્રહણ કરી શકાય તેની કોઈ ચોક્કસ સીમા બાંધેલી ન હોય, પદધારી રાષ્ટ્રપતિ પણ ફરી ઉમેદવારી માટે લાયક ગણાય છે.[૨]

અધિકૃત ઉમેદવારો[ફેરફાર કરો]

ચૂંટણીની કાર્યવાહી[ફેરફાર કરો]

રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ (મતદારગણ) દ્વારા કરવામાં આવે છે જે સંસદના બંન્ને ગૃહો, લોક સભા અને રાજ્ય સભાનાં ચૂંટાયેલા સભ્યો, ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પોંડિચેરીની ધારાસભાઓનાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા બનેલી હોય છે.[૫] ૨૦૧૭માં, મતદારગણમાં કુલ ૭૭૬ સાંસદ અને ૪૧૨૦ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. મતદારગણનાં કુલ મતોનું મુલ્ય ૧૦,૯૮,૮૮૨ છે. જેમાંથી બહુમતી માટે ૫,૪૯,૪૪૨ મતો જરૂરી ગણાશે. ૨૦૧૭ની પેટાચૂંટણીઓ અને રાજ્યોની ચૂંટણીઓ પછી એન.ડી.એ.ને આ બહુમતિ મતમાં આશરે ૨૦,૦૦૦ મતની ઘટ પડે છે.[૬]

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નિયુક્ત થવા માટે ઓછામાં ઓછા ૫૦ મતદાર દરખાસ્તકર્તા તરીકે અને ૫૦ મતદાર ટેકેદાર તરીકે હોવા જરૂરી છે. ચૂંટણી એકમાત્ર બદલી શકાતા મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્ત્વ અનુસાર યોજવામાં આવે છે. મતદાન ગુપ્ત મતદાન હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ભારતીય બંધારણના ૫૫ મી કલમ અનુસાર કરવામાં આવે છે.[૭][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Election Commission issues notification for President's election". The Hindu.
  2. ૨.૦ ૨.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-02.
  3. "രാംനാഥ് കോവിന്ദ് എൻഡിഎയുടെ സ്ഥാനാർഥി; എതിർപ്പുമായി പ്രതിപക്ഷം".[હંમેશ માટે મૃત કડી]
  4. "Prez polls: BJP picks Bihar governor Ram Nath Kovind".[હંમેશ માટે મૃત કડી]
  5. "Election of The President". Press Information Bureau. મેળવેલ 28 April 2016.
  6. "How BJP's UP Win Will Impact Presidential Election. Numbers Explained". NDTV. મેળવેલ 13 March 2017.
  7. Pratyogita Darpan. Upkar Prakashan. પૃષ્ઠ 167–. ISBN 9788174828156. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૬.