ભાલકા તીર્થ
દેખાવ
ભાલકા તીર્થ | |
---|---|
ભાલકા તીર્થ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ગીર સોમનાથ |
દેવી-દેવતા | કૃષ્ણ |
સંચાલન સમિતિ | શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત |
સ્થાન | |
સ્થાન | વેરાવળ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E |
વેબસાઈટ | |
somnath.org |
ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.
મહત્વ
[ફેરફાર કરો]સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ ભગવાન શ્રીકૃષ્ણને જરુ નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.[૧][૨]
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
આવાગમન
[ફેરફાર કરો]સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.[૩]
છબીઓ
[ફેરફાર કરો]-
ભાલકા ખાતે મંદિર પર સ્થાપિત સૂચનાઓ
-
ભાલકા ખાતે મંદિર
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Bhalka Tirth". Somnath Trust. મૂળ માંથી 2015-03-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
- ↑ "Gujarat Tourism". Gujarat Tourism. મૂળ માંથી 2015-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
- ↑ "Addl trains chief demand at rly meet". Times of India. જાન્યુઆરી ૨૯, ૨૦૧૫. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૫.