મોઢેરા
મોઢેરા | |
— ગામ — | |
![]() સૂર્ય મંદિર, મોઢેરા
| |
અક્ષાંશ-રેખાંશ | 23°34′57″N 72°07′50″E / 23.5826361°N 72.1305281°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
વસ્તી | ૬,૩૭૩[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે[૨], જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.[૨] સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.[૩][૪][૨]
ગામમાં જ્ઞાનેશ્વરી/ધર્મેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.[૫] મોઢેરા વાવ અગિયારમી સદીની છે ત્યારે તેનો મંડપ દસમી સદીનો છે.[૬] હવા મહેલ ઊંચા સ્થળે આવેલો છે જે રેતિયા પથ્થરનો બનેલો મંડપ છે. તેની સપાટ છતને છ ભિત્તીય સ્તંભો અને બાર અન્ય સ્તંભોનો ટેકો છે. આ પૈકી કેટલાક સ્તંભોના મથાળે કિચક કોતરેલા છે. તેની પાછલી દીવાલમાં જાળી મુકેલ છે જ્યારે ઓટલાની ધારે ભૌમિતિક ભાત કોતરેલી છે. તે પૂર્વેના સૌલંકીકાલીન સ્થાપત્યના અવશેષોમાંથી બંધાયેલો હોય તેમ લાગે છે.[૭]
-
સૂર્ય મંદિર
-
મોઢેશ્વરી માતાજીનું મંદિર
-
મોઢેશ્વરી માતાજીનું મંદિર અંદરથી
-
ધર્મેશ્વરી વાવ
-
હવા મહેલ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Modhera Village Population - Becharaji - Mahesana, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Subodh Kapoor (૨૦૦૨). The Indian Encyclopaedia: Meya-National Congress. Cosmo Publications. pp. ૪૮૭૧–૪૮૭૨. ISBN 978-81-7755-273-7.
- ↑ Hasmukh Dhirajlal Sankalia (૧૯૪૧). The Archaeology of Gujarat: Including Kathiawar. Natwarlal & Company. pp. ૮૪–૯૧. મૂળ માંથી ૨૦૧૫ પર સંગ્રહિત.
{{cite book}}
: Check date values in:|archive-date=
(મદદ) - ↑ "Sun-Temple at Modhera (Gujarat)". મૂળ માંથી 2016-04-29 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Jutta Jain-Neubauer (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. p. ૭. ISBN 978-0-391-02284-3.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Jutta Jain-Neubauer (1 January 1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. p. 57. ISBN 978-0-391-02284-3.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?". Zee News Gujarati. મેળવેલ 2025-03-22.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]