વલ્લવપુર

વિકિપીડિયામાંથી
વલ્લવપુર
—  ગામ  —
વલ્લવપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°57′06″N 73°37′43″E / 22.951536°N 73.628601°E / 22.951536; 73.628601
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો શહેરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, બાજરી, તુવર શાકભાજી

વલ્લવપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા શહેરા તાલુકામાં આવેલું એક ગામ છે. વલ્લવપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ઐતિહાસિક સમય માં સોલંકી રાજપૂતઓનું જૂનું સંસ્થાન હતું કે વીરપુરા સોલંકી (ચાલુક્ય રાજવંશ)ની જાગીર હતી જે મૂળ નદી કિનારે પૌરાણિક નગર પટાદર ને સર કરી વલ્લભપુર વસાવેલ જ્યાં હાલ પથ્થરથી બંધાયેલા શિવ મંદિર, હનુમાન મંદિર આવેલા છે.આ ઉપરાંત આ ગામ માં સોલંકી રાજવંશ ના કુળદેવી શ્રી ક્ષેમકલ્યાની માં નું મંદિર, ઠાકોર સાહેબ શ્રી દ્વારા બનાવેલ રામજીમંદિર,આવેલ છે આ ગામ મૂળ ચાર માઢ માં વહેંચાયેલ છે જેમાં મુખ્ય વકતાજી નો માઢ, જોરાજી નો માઢ, રાજાજી માઢ અને રામજી મંદિર વાળો માઢ આ ઉપરાંત ગામ માં રિયાસત સમયે મૂળ જૈન વણીક ના કેટલાક ઘર ઉપરાંત દરબાર (સોલંકી,ચાવડા,જાડેજા), માછી, બારીયા (કોડી), હરિજન ની વસ્તી રહેલ છે.