અધેવાડા (તા. ભાવનગર)

વિકિપીડિયામાંથી
અધેવાડા (તા. ભાવનગર)
—  ગામ  —
અધેવાડા (તા. ભાવનગર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′00″N 72°04′27″E / 21.71676°N 72.07426°E / 21.71676; 72.07426
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

અધેવાડા (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભુગોળ[ફેરફાર કરો]

આ ગામ માલેશ્રી નદી (અથવા માલેશ્વરી) ના ઉત્તર કાંઠે આવેલું છે અને ભાવનગરથી ૩ માઇલ દક્ષિણે આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અધેવાડા ગોહિલ રામદાસજી વડે તેમના પુત્ર સાદુલજીને આપવામાં આવ્યું હતું અને તેમનાં વંશજો હજુ પણ જીવિત છે.[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

જાજડિયા હનુમાન અને ગુરૂ-ચેલાની પાદુકા સોમનાથ જતાં રસ્તામાં આવેલા પાંચ ગૌણ પવિત્ર સ્થળોમાંના ગણાય છે. અધેવાડા, હાથબ નજીક નિ:કલંક અથવા નકલંગ મહાદેવ, નાના ગોપનાથ, મોટા ગોપનાથ અને પીપાવાવમાં આવેલું લક્ષ્મી-નારાયણ મંદિર આ પાંચ સ્થળોમાં ગણાય છે. આ પાંચ સ્થળો ભાવનગર જિલ્લામાં આવેલા છે પરંતુ અન્ય ઘણાં સ્થળો સોમનાથ થી જુનાગઢ જતાં અને અન્ય સ્થળોએ આવે છે. જાજડિયા મહાદેવનું નામ નિર્જન એવા જાજડી ગામ પરથી પડ્યું છે અને મંદિર પણ અવાવરું સ્થળે આવેલું છે.[૧] હવે મંદિરને ઝાંઝરિયા હનુમાન મંદિર પણ કહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.



ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન