ભંડારીયા (તા. ભાવનગર)

વિકિપીડિયામાંથી
ભંડારીયા (તા. ભાવનગર)
—  ગામ  —
ભંડારીયા (તા. ભાવનગર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′13″N 72°07′53″E / 21.586981°N 72.131493°E / 21.586981; 72.131493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ભંડારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉચચતર માધયમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભંડારીયા મૂળ કામળીયા આહીરોનું રજવાડું હતું.[૧]

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતી ભાષાના સાહિત્યકાર દિનકર જોષીનો જન્મ આ ગામમાં થયો હતો.

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

ભંડારીયા તેના પથ્થરો માટે જાણીતું છે. ભંડારીયામાં આ પથ્થરોથી માલેશ્રી નદી પર એક પુલ બાંધવામાં આવેલો છે જે ભાવનગર થી મહુવા વચ્ચેના માર્ગ પર આવેલો છે.[૨]

નજીકની ટેકરીઓ જે ખોખરા પર્વતમાળાનો ભાગ છે, તેને માળનાથની ટેકરીઓ કહે છે. તેના પર માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પાણીનો કુંડ આવેલો છે. ભંડારીયાની નજીકની ટેકરીઓના નામ કલવીરા, રોજમાળ, ભીનમાળ, કાન ફાટા અને કુર્મા છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Imperial Gazetteer2 of India, Volume 15, page 165 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. મેળવેલ 2020-09-03.
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨.

આ લેખ પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશો ધરાવે છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન