ઝુડગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનાવિરમગામ તાલુકામાં આવેલું એક ગામ છે. અહીં મુખ્યત્વે પટેલોની વસ્તિ છે. પહેલા આ ગામનું નામ કુબેરપુરા હતું પરંતુ અહીં તળાવનાં ખોદકામ દરમ્યાન ઝુંડિયા પીરની કબર મળી આવતા એનુ નામ ઝુંડ પડયું. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહિ કપાસ, બાજરી, જુવાર, એરંડા, જીરું તેમજ તરબુચની ખેતી થાય છે. ગામમાં પ્રાથમિક શાળા તેમજ દૂધની ડેરી અવેલી છે. અહિ ઝુંડિયા પીરની જગ્યા આવેલી છે, જ્યાં ગામ લોકો નાત-જાતનાં ભેદભાવ વગર દર શુક્રવારે દર્શન માટે આવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.