મઢડા (તા. સિહોર)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાસૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાનાસિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, તેમ જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે.પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. મઢડા ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા અને એટીએમ પણ આવેલ છે.ગામમાં ભારતમાતા નું મંદિર આવેલું છે.પરિવહન માટે રેલવે સ્ટેશન પણ આવેલું છે.ગામમાં ઘણા મંદિરો અને મઢો પણ આવેલા છે નવદુર્ગા માં નો ભગવતીબાપુ નો આશ્રમ પણ આવેલો છે. તથા કચ્છી જૈન વેપારી દ્વારા સ્થાપીત ભારતમંદીર આવેલુ છે જેમની મુલાકાત ગાંધીજી દ્વારા આઝાદી સમયે લેવાઈ હતી,લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.