ખાખરીયા (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
ખાખરીયા
—  ગામ  —
ખાખરીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′45″N 71°59′37″E / 21.745868°N 71.993566°E / 21.745868; 71.993566
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ખાખરીયા (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગીયાર) તાલુકાઓ પૈકીના એક એવા સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ભાવનગર થી સિહોર જતા મુખ્ય રસ્તા પરથી સિહોરથી ચાર કિલોમિટર પહેલા જમણી તરફનાં ફાંટા પરથી જઇ શકાય છે. ખાખરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં જમરૂખ અને દાડમની વાડીઓ પણ ઘણી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ખાખરીયાથી એક રસ્તે રાજપરા (ખોડીયાર) તરફ પણ જવાય છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન