મનીષા જોષી

વિકિપીડિયામાંથી
મનીષા જોષી
કોલોસીયમ, રોમ, ખાતે જૂન ૨૦૧૫માં
કોલોસીયમ, રોમ, ખાતે જૂન ૨૦૧૫માં
જન્મનું નામ
મનીષા લક્ષ્મીકાંત જોષી
જન્મ (1971-04-06) 6 April 1971 (ઉંમર 52)
ગોધરા, માંડવી (કચ્છ), ગુજરાત
વ્યવસાયકવયિત્રી, પત્રકાર
ભાષાગુજરાતી, કચ્છી
રાષ્ટ્રીયતાભારતીય, અમેરિકન
માતૃ શિક્ષણ સંસ્થા
સહી

મનીષા જોષી (જ. ૬ એપ્રિલ ૧૯૭૧) ગુજરાતી ભાષાના કવયિત્રી અને પત્રકાર છે. કંદરા (૧૯૯૬), કંસારા બજાર (૨૦૦૧), કંદમૂળ (૨૦૧૩), અને થાક (૨૦૨૦) એ તેમના પ્રકાશિત કવિતાસંગ્રહ છે. તેઓ હાલમાં કેલિફોર્નિયામાં રહે છે.

જીવનપરિચય[ફેરફાર કરો]

મનીષા જોષીનો જન્મ ૬ એપ્રિલ ૧૯૭૧ના રોજ કચ્છ જિલ્લાના માંડવી નજીક નાનકડા ગામ ગોધરામાં તારા જોશી અને લક્ષ્મીકાંત જોશીને ત્યાં થયો હતો. ૧૯૮૯માં અંજાર ખાતે એચએસસી પૂરું કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા ગયા હતા. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી અનુક્રમે ૧૯૯૨ અને ૧૯૯૫માં અંગ્રેજી સાહિત્યમાં બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. ૧૯૯૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી માસ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા પણ મેળવ્યો હતો. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમણે સિતાંશુ યશશ્ચન્દ્ર, ગણેશ દેવી અને બાબુ સુથાર સહિત તેમના કોલેજના પ્રોફેસરો દ્વારા લખાયેલા પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો અને ગુલામ મોહમ્મદ શેખ, પ્રબોધ પરીખ, લાભશંકર ઠાકર, નીતિન મહેતા, જયદેવ શુક્લા અને ભોળાભાઈ પટેલ જેવા અન્ય ગુજરાતી લેખકો સાથે પરિચય થયો હતો.[૧]

તેમણે મુંબઈ અને લંડનમાં પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર તરીકે કામ કર્યું હતું. લગ્ન બાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયા હતા. હાલમાં તે કેલિફોર્નિયાના બર્કલેમાં રહે છે.[૧][૨]

સર્જન[ફેરફાર કરો]

મનીષા જોષીએ એચએસસીની પરીક્ષાઓ બાદ ૧૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું હતું. તેમની કવિતાઓ ધ વુલ્ફ, ઇન્ડિયન લિટરેચર, ન્યૂ ક્વેસ્ટ, શબ્દસૃષ્ટિ, પરબ, નવનીત સમર્પણ, કવિતા, તથાપી, સહચર્ય વાર્ષિકી, એતદ, સમીપે, વહી અને સંધિ સહિત અનેક અંગ્રેજી અને ગુજરાતી ભાષાના સામયિકોમાં પ્રકાશિત થઈ હતી.[૧][૩]

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ કંદરા ૧૯૯૬માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચન્દ્રકાન્ત ટોપીવાળાની પ્રસ્તાવના સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રબોધ પરીખ અને ચિનુ મોદી સહિત અનેક ગુજરાતી લેખકોએ તેની વિવેચનાત્મક પ્રશંસા કરી હતી. તેમની કવિતાઓનો બીજો સંગ્રહ કંસારા બજાર ૨૦૦૧માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ ત્રીજો સંગ્રહ કંદમૂળ ૨૦૧૩માં પ્રકાશિત થયો હતો. તેમની કેટલીક કવિતાઓનું અંગ્રેજી અને હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.[૩] તેમની કવિતા સૂચક અને અતિવાસ્તવિક ચિત્રશાસ્ત્ર દ્વારા લક્ષણિત છે.[૪]

૨૦૨૦માં તેમનો ચોથો કાવ્યસંગ્રહ થાક પ્રકાશિત થયો હતો.[૫]

પુરસ્કાર[ફેરફાર કરો]

તેમના કવિતા સંગ્રહ કંદમૂળને ગુજરાત સાહિત્ય અકાદમીનું ૨૦૧૩ નું પ્રથમ ઇનામ મળ્યું હતું. આધુનિક ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે તેમને ૧૯૯૮માં સંસ્કૃતિ પ્રતિષ્ઠાન દ્વારા સંસ્કૃતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Jadeja, Gopika (November–December 2016). "The Sadness of a Stoic: A Conversation with Manisha Joshi". Indian Literature. New Delhi: Sahitya Akademi. 60 (6): 126–133, 204. ISSN 0019-5804. JSTOR 44754717. closed access publication – behind paywall
  2. Tripathi, Salil (2018-02-16). "A new generation of poets from Gujarat is keeping a rich poetic legacy alive". LiveMint. મૂળ સંગ્રહિત માંથી 17 February 2018 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-16.
  3. ૩.૦ ૩.૧ Kudchedkar, Shirin (2004). Just Between Us: Women Speak About Their Writings. Delhi: Women Unlimited and Women’s World. પૃષ્ઠ 231–246. ISBN 81-88965-15-4.
  4. Jadeja, Gopika (2013). "Noises from the Sabarmati: Poetry from Gujarat". The Wolf (magazine). ક્રમાંક 29. London. પૃષ્ઠ 47. ISSN 1755-3458.
  5. રામાવત, શિશિર (11 November 2020). "ટેક ઓફ: ગાંડો સૂરજ અગ્નિ ઓક્યા કરે…". દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 11 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 November 2020.