લખાણ પર જાઓ

વદરાડ (તા. પ્રાંતિજ)

વિકિપીડિયામાંથી
વદરાડ
  ગામ  
વદરાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°26′22″N 72°51′11″E / 23.439433°N 72.853131°E / 23.439433; 72.853131
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો પ્રાંતિજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

વદરાડ (તા. પ્રાંતિજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. વદરાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં રાજ્ય સ્તરનું શાકભાજી માટેનું ઇન્ડો-ઇઝરાયેલ પ્રોજેક્ટનું સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર પ્રોટેક્ટેડ કલ્ટીવેશન એન્ડ પ્રીસીજન ફાર્મીગ તથા બાગાયત રોપા ઉછેર કેંદ્ર આવેલું છે.[][] આ સેન્ટર પરથી શાકભાજીના ધરુ તથા રોપાનું વિતરણ કરવામાં આવે છે તેમજ ખેડુતોને તાલીમ પણ આપવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ". ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇઝરાયલના રાજદૂતની વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્મિત રાજયના સૌ પ્રથમ સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલનું ઉદ્દઘાટન". ૧૬ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]