સોરઠ પ્રાંત

વિકિપીડિયામાંથી
બ્રિટિશ વસાહતીકાળ દરમ્યાન કાઠિયાવાડના પ્રાંતો દર્શાવતો નક્શો, ૧૮૫૫

સોરઠ એ વસાહતીકાળનો સૌરાષ્ટ્ર દ્વિપકલ્પનો એક પ્રાંત હતો. સોરઠ શબ્દ આ ક્ષેત્રના ગ્રીક શબ્દનો મુસ્લીમ અપભ્રંશ છે.[સંદર્ભ આપો]

બ્રિટિશ રાજમાં કાઠિયાવાડના રજવાડાઓના સમુહને ચાર પ્રાંતોમાં વહેંચવામાં આવ્યો હતો અને સોરઠ એ દ્વિપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત હતો, અન્ય પ્રાંતો પશ્ચિમમાં હાલાર, ઉત્તરમાં ઝાલાવાડ અને અગ્નિ દિશામાં ગોહિલવાડ (ભાવનગર) હતા.[૧]

હાલના સમયના પોરબંદર અને જુનાગઢ જિલ્લા હેઠળનો વિસ્તાર મળી સોરઠ પ્રાંત બનતો હતો.

આ પ્રાંતનું ક્ષેત્રફળ 5,217 square miles (13,510 km2) હતું, તેમાં ૧૧૯૩ ગામડાઓનો સમાવેશ હતો. ઈ.સ. ૧૯૦૧માં તેની જનસંખ્યા ૫,૭૫,૨૮૮ હતી અને તેની ઉપજ રૂ. ૫૩,૯૯,૩૪૯ જેટલી હતી જેમાંથી બ્રિટિશ સરકારને વડોદરાના ગાયકવાડ અને/અથવા જુનાગઢ રજવાડા પાસેથી રૂ. ૨,૧૫,૦૬૦ કર મળતો હતો. 

રજવાડા[ફેરફાર કરો]

તેના તોપની સલામી ધરાવનાર રજવાડાં:

  • પ્રથમ કક્ષા: જુનાગઢ રજવાડું, ખિતાબ - નવાબ, વારસાગત સલામી - ૧૩ તોપ (૧૫- તોપ સ્થાનીય અને નીજી)
  • દ્વિતીય કક્ષા: પોરબંદર રજવાડું, ખિતાબ મહારાજા રાણા સાહેબ, વારસાગત સલામી -૧૩ તોપ

તેના તોપની સલામી ન ધરાવતા અન્ય મુખ્ય રજવાડાં:

આ સિવાય એકલ ગામડાના ગરાસ:

તેમાં તાલુકાદાર રહિત અન્ય ત્રણ થાણા હતાં: ધાસા, જેતલસર અને શાહપુર.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lee-Warner, William (1913). "Kathiawar". Journal of the Royal Society of Arts. 61 (3145): 391–405. JSTOR 41340543.