કૃપ
વિકિપીડિયા થી
સંસારના આઠ ચિરંજીવીઓ માના એક, કૃપ હસ્તિનાપુરના રાજ પુરોહિત અને દ્રોણના સાળા હતા. તેમની સહોદર બહેન કૃપિના વિવાહ દ્રોણ સાથે કરવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ શરદવન તથા તેમની માતાનું નામ જનપદિ હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ કૌરવો તરફથી લડ્યા હતા અને યુદ્ધ પછી તેઓ પરીક્ષિતના આચાર્ય બન્યા હતા.
જન્મ અને કાર્ય મહર્ષી ગૌતમને શરદવન નામે એક પુત્ર હતો. શરદવન તીર સાથે જન્મ્યો હતો અને જન્મજાત ધનુર્ધર હતો. પોતાના બાળપણથી જ વેદોના અભ્યાસ કરતાં તેમને ધનુર્વિધ્યામાં વધારે રુચિ હતી. તેઓ ધ્યાન કરતા અને તેમણે સર્વ પ્રકારના યુદ્ધ કૌશલમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. તે એટલા મહાન ધનુર્ધર હતા કે કોઈ તેમને હરાવી શકવા સમર્થ ન હતું. આથી દેવોમાં ભયની લાગની ફરી વળી ખાસ કરીને ઈંદ્ર ખૂબજ ભયગ્રસ્ત હતાં. તેમણે આ સક્ષમ ઋષીની સાધના ભંગ કરવા સ્વર્ગમાંથી એક સુંદર અપ્સરાને મોકલી. જનપદી નામની તે અપ્સરા તેમની પાસે આવી અને ભાત ભાતની કળા અજમાવી તેમને આકર્ષવા લાગી. આવી સુંદર અપ્સરાને જોઈ શરદવનપોતાના પર નિયંત્રણ ગુમાવવા લાગ્યાં. જેમકે તેઓ મહાન સંત હતા તેઓ પોતાના મનની ઈચ્છઓ અને ભાવનાઓ પર કાબુ જાળવી શક્યા પણ તેમની એકાગ્રતા તૂટી ગઈ અને તેમના હાથમાંથી ધનુષ્ય બાણ છટકી ગયાં. તેમનું વીર્ય રસ્તાની બાજુપર આવેલ ઝાંખરા પર પડી જેના બે ટુકડાં થયાં જેમાંથી એક બાળક અને એક કન્યા ઉત્પન્ન થયાં. ઋષી તે આશ્રમ છોડી વનમાં તપસ્યા કરવા ચાલ્યાં ગયાં. સંજોગવસાત- રાજા શંતનુ- પાંડવોના પરદાદા- તે સમયે ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં અને તેમણે રસ્તામાં બે બાળકોને પડેલાં જોયા. તેમને જોઈ- એક જ નજરે રાજા ઓળખી ગયાં કે આ મહાન ધનુર્ધારી બ્રાહ્મણની જ સંતાન છે. તેમને તેમને કૃપા અને કૃપી નામ આપ્યું અને તેમને પોતાના મહેલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે આ વિષે શરદવનને ખબર પડી ત્યારે તે મહેલમાં આવ્યો- પોતાની ઓળખ આપી અને બાળકોના જે સંસ્કાર હોય તે કર્યાં. તેમણે બાળકોને ધનુર્વિધ્યા-વેદ અને અન્ય શાસ્ત્રોનો અને વિશ્વના રહસ્યોનું ગ્યાન આપ્યું. આ બાળકો મોટા થઈ યુદ્ધકળામાં પારંગત બન્યા- આ બાળક આગળ જઈ કૃપાચાર્ય નામે ઓળખાયા જેમને બાળ રાજ કુમારોને યુદ્ધકળા શીખવવાનું કાર્ય સોંપવામાં આવ્યું.
|
|||||||||||