વ્યાસ
વિકિપીડિયા થી
વ્યાસ (સંસ્કૃત: व्यास) મોટાભાગની હિંદુ પરંપરાઓમાં કેંદ્રીય અને સન્માનનીય સ્થાન ધરાવે છે. તેઓ તેઓ ઋષિ પરાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પૂત્ર છે. ઘણી વખત તેમને વેદવ્યાસ (જેણે વેદોની રચના કરી છે તે.) અને જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા એક દ્વિપ પર જન્મ્યા હોવાથી કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. તેમને વેદ અને તેની પછીની પૂર્તિઓ જેમકે પુરાણ આદિના રચયિતા તરીકે તેમને વંદનીય માનવામાં આવે છે. ઘણી વૈષ્ણવ પરંપરાઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. તેઓ વિશ્વના આઠ ચિરંજિવી (અમર)માંનાં એક છે જે સામાન્ય હિંદુ માન્યતા અનુસાર હજી પણ વિહરમાન છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] મહાભારતમાં
વ્યાસ સૌ પ્રથમ વખત મહાભારતના લેખક અને એક મહત્ત્વપૂર્ણ પાત્ર તરીકે સામે આવે છે. તેઓ સત્યવતી(કે જે એક નાવચાલક કે માછીમારની પુત્રી હતાં)અને એક ભટકતાં સાધુ પરશારાના પુત્ર હતાં. તેઓનો જન્મ યમુના નદીના એક દ્વીપ પર થયો હતો. તે અત્યારના ઉત્તરપ્રદેશના જલાઉ જિલ્લામાં માનવામાં આવે છે. ઘણા એમ પણ માને છે કે તેઓ અત્યારના ઉત્તર ઓરિસ્સામાં આવેલી કોયલ શંખા અને બ્રામ્હણી નદીના સંગમ પર વસેલા રાઉરકેલામાં જન્મ્યાં હતાં તે જગ્યાનું નામ તેમના નામથી વેદવ્યાસ રાખવામાં આવ્યું હતું. તેઓ શ્યામ વર્ણના હોવાથી તેમને કૃષ્ણૢ અને દ્વીપ પર જન્મેલા હોવાથી દ્વૈપાયન એમ કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. વ્યાસ કૌરવઓ અને પાંડવોના દાદા હતાં. વિચિત્રવીર્ય દ્વારા દત્તક લીધેલા ધૃતરાષ્ટ્ર અને પાંડુ બનેંને તેમણે ઉછેર્યાં. દાસી થકી તેમને એક અન્ય પુત્ર પણ હતો જેનું નામ વિદુર હતું.
[ફેરફાર કરો] વેદવ્યાસ
પરંપરાગત રીતે માનવામાં આવે ચે કે વ્યાસે એકેકા મોટા વેદને ચાર ભાગમાં વર્ગીકૃત કર્યાં. આથી તેઓ વેદ વ્યાસ અર્થાત્ 'વેદોના વિભાજક' તરીકે ઓળખાયા. આ વિભાજનથી વેદોના જ્ઞાનને વધુ લોકો સમજી શક્યાં. વ્યાસ નો અર્થ છે વહેંચવું/જુદા પાડવું અથવા વર્ણવવું. એ વાત ચર્ચાનો વિષય છે કે વ્યાસ એ એક વ્યક્તિ હતાં કે એક જૂથ (સમૂહ) હતું જેણે આ વિભાજનની ક્રિયા પાર પાડી. વિષ્ણુ પુરાણમાં વ્યાસ વિષે એક રસપ્રદ વાત કહેવાઈ છે. વિશ્વ વિષેની હિંદુઓની માન્યતા એવી છે કે આ વિશ્વનો પરંપરાથી જન્મ અને વિલય થતો રહે છે. આવા દરેક ચક્રમાં મનુઓ હોય છેૢ દર એક માનવંતરનો એક. તેમાં ૪ યુગો હોય છે જેમાં ગુણોનો લોપ થતો રહે છે. દ્વાપર યુગ આમાંનો ત્રીજો યુગ છે. વિષ્ણુ પુરાણ (૩.૩) દર ત્રીજા યુગમાંૢ વિષ્ણુ પોતે વ્યાસ સ્વરૂપે માનવ જાતના કલ્યાણ માટેૢ વેદોનું વિભાજન કરે છે. આ યુગના માનવીઓની મર્યાદિત ખંતૢ શક્તિ અને નૈતિકમૂલ્યોનો ઉપયોગ તેમને સમજવાની ક્ષમતા અનુસાર તેમણે વેદ વ્યાસ રૂપે વેદના ચાર ભાગ કર્યાં. વર્તમાન માનવાંતર અને તેની શાખાઓ જ્યાં તેઓ સિખ આપતાં તેમનો પન હિસાબ ઉપલબ્ધ છે. વૈવાસ્વત માનવાઅંતરમાં ૨૮ વખત વેદોને મહાન ઋશિઓ દ્વારા ગોઠવવામાં આવ્યાં છે. અને ત્યાર પછી આઠ અને પછી વીસ વ્યાસ દેવ થયા જેમણે વેદને ચાર ભાગમાં વહેંચ્યા. પહેલું વિભાજન સ્વયંભુ (બ્રહ્માજી પોતે) દ્વારા અને દ્વીતિય વિભાજન પ્રજાપતિ....અને તે રીતે ૨૮ વખત.
[ફેરફાર કરો] મહાભારતના રચેતા
પરંપરાથી વ્યાસ આ મહાકાવ્યના રચયિતા તરીકે ઓળખાય છે. પણ તેઓ આમાં એક મહત્ત્વનું પાત્ર પણ છે. તેમની માતાએ પાછળથી હસ્તિનાપુર નરેશ સાથે લગ્ન કર્યાં હતાં. અને તેમને બે પુત્ર થયાં. આ બનેં પુત્ર વારસ વગર મરણ પામ્યાં. આથી પ્રાચીન નિયોગ પરંપરા જેને અનુસાર જો વ્યક્તિ નિસંતાન મૃત્યુ પામે તો કોઈ પુરુષ તેની વિધવાના સંતાનનો પિતા થઈ શકે. વ્યાસની માતાએ તેમેને પુત્ર વિચિત્રવીર્ય વતી તેની વિધવા પત્નીઓ અંબા અને અંબાલિકા દ્વારા સંતાન ઉત્પતિની વિનંતિ કરી. અને આ રીતે તેમેને બે રાજકુમાર જન્મ્યા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ. વ્યાસે અંબા અને અંબાલિકાને તેમની પાસે એકલા આવવા જણાવ્યું. પહેલાં અમ્બિકા આવીૢ પણ લજા અને ભય ને કારણે તેણે પોતાની આંખો મીચી દીધી. વ્યાસે સત્યવતીને કહ્યું તેનું બાળક આંધળુ જન્મશે. પાછળથી આ બાળકનું નામ ધૃતરાષ્ટ્ર રાખવામાં આવ્યું. હવે સત્યવતીએ અંબાલિકાને મોકલી અને શાંત રહેવા જણાવ્યું. પ્ણ ભયની મારી તેનો ચહેરો ફીક્કો પડી ગયો. વ્યાસે તેને કહ્યું કે આ બાળક ક્ષય રોગથી પીડાશે અને તે રજ્ય ચલાવવા અયોગ્ય થશે. આ બાળકનું નામ પાંડુ રાખવામાં આવ્યું. વ્યાસે પાછળથી સત્યવતીને ફરી એક વખત કોઈ એકને મોકલવા ખ્યું જેથી સ્વસ્થ બાળક જન્મી શકે. આ વખતે અંબા અને અંબાલિકાએ તેમના સ્થાને તેમની દાસીને મોકલી આપી. દાસી ઘણી જ શાંત અને સ્વસ્થ રહી અને તેને સ્વસ્થ બાળક જન્મ્યો જેનું નામ વિદુર પાડવામાં આવ્યું. આ ત્રણે જો કે તેમના કાયદેસરના પુત્ર ન હતાંૢ તેમને પોતાની પત્ની પિંગળા (જાબાલે ઋષિની પુત્રી)થી શુક નામનો પુત્ર હતો જેને તેમનો ખરેખરનો આધ્યાત્મિક વરસદાર મનાય છે. આમ તે મહાભારતમાં લડનારા બનેં પક્ષ પાંડવો અને કૌરવોના દાદા હતા. તેઓ વાર્તામાં પ્રસંગોપાત યુવરાજોના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પ્રગટ થાય છે. મહાભારતના પ્રથમ પુસ્તકમાં અવું વર્ણન છે કે વ્યાસજીએ પુસ્તક લખવા માટે ગણેશજી ની મદદ માંગીૢ પણ ગણેશજી એએ શર્તે મદદ કરવા તૈયાર થયાં કે વ્યાસજીએ ક્યાંય અટક્યા વગર કથા વર્ણન કરવું. વ્યાસજીએ સામી શરત રાખી કે ગણેશજી એ વર્ણવેલી ગાથાને સમજ્યા પછી જ લખવી. આ વાત ખયાલ આપે છે કે મહાભારતના અમુક પદ શામાટે અત્યંત ગૂંચવણ ભર્યા છે. જ્યારે ઋષીને વિરામ જોઈતો તેઓ એક અઘરું પદ મૂકી દેતાં.
[ફેરફાર કરો] વ્યાસ રચિત જય
વ્યાસની જયૢ મહાભરતના કેન્દ્રૢ ધૃતરાષ્ટ્ર (કુરુ રાજાૢ કૌરવોના પિતાૢજેઓ કુરુક્ષેત્રમાં પાંડવોના વિરોધિ હતાં) અને સંજયૢ તેમનો સલાહકાર અને સારથિૢ વચ્ચેના સંવાદ સ્વરૂપે છે. સંજય કુરુક્ષેતત્રમાં ૧૮ દિવસ લડાયેલા યુદ્ધની પ્રત્યેક ઘટનાનું વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્ર કોઈક વાર પ્રશ્નો અને શંકા પૂછે છેૢ ક્યારેક યુદ્ધ દ્વારા થનારા પોતના પુત્રોૢ મિત્રો અને સંબંધીઓના વિનાશ પર વિલાપ કરે છે. સંપૂર્ણ ભારતવર્ષને વિનાશક એવા યુદ્ધનું પોતે એક કારણ છે તે જાણી પોતાને દોષિત માને છે. શરુઆતમાં સંજય પૃથીના વિવિધ ખંડ અને અન્ય ગ્રહોની માહિતી આપે છે. છેવટે તે પોતાનું ધ્યાન ભારતવર્ષ પર કેંદ્રીત કરે છે. તે પ્રત્યેક રાજ્યૢ પ્રાંતૢ શહેરૢ નગરૢ ગામડાંૢ નદીઓૢ પર્વતો વગરેની માહિતી આપે છે. તે દરેક દિવસે બનેં સેનાઓ દ્વારા અપનાવાયેલી વ્યુહ રચનાૢ દરેક યુદ્ધાની વીરગતીની અને યુદ્ધની અન્ય માહિતી આપે છે. હિંદુઓનો પવિત્ર ગ્રંથૢ ભાગવદ ગીતાૢ વ્યાસના જયના ૧૮ પ્રકરણમાં છે. આમ વ્યાસની કૃતિ જયા ભૂગોળૢ ઈતિહાસૢ યુદ્ધ કૌશલૢ ધર્મ અને મૂલ્યો જેવા વિવિધ વિષયોને સ્પર્શે છે.
[ફેરફાર કરો] ઉગ્રશ્રવ સૌતી નું મહાભારત
ઉગ્રાશ્રવ સૌતિ (જે સૌનક ઋષિની સભામાંના વ્યાવસાયિક કથાકાર હતાં) દ્વારા વ્યાસની કૃતિના અંતિમ તબક્કાને મહાભારત નામે વર્ણનાત્મક રૂપ આપવાઅમાં આવ્યું. ભરત અને જય સાથે સમાવી મહાભારતની રચના થઈ.
[ફેરફાર કરો] લખાણો
મહાભારતમાં એક પરંપરા એવે આવે છે જેમાં વ્યાસ તેમની રચનાને લખવા કે કોતરવા માંગતા હતાં બ્રહ્માજી આવીને વ્યાસને ગણપતિની મદદ લેવા કહ્યું. વ્યાસ દ્વારા વર્ણવેલાં પદોને ગણપતિ યાદ કરે કરી પત્ર પર ઉતારે છે. આવી રીતે મહાભારત લખાઈ. ગણપતિ વ્યાસની વર્ણન કરવાની ગતિ સાથે તાલ ન મેલાવી શક્યાં અને ઘણાં અક્ષરો અને પદો સુદ્ધાં છૂટી જાય છે.
મહાભારતના પૂરાણા ભાગો લગભગ ઈ.સ. પૂર્વે 4થી સદીના માનવામાં આવે છે.જ્યારે ભારતમાં લેખન ની શરૂઆત થઈ.
જોકે અમૂક એવા પુરાતાત્વીક અવશેષો (જેવા કે સ્ટૈલિ અને ચિતરેલા રાખોડી પાત્ર) મળ્યાં છે જે લગભગ ઈ.સ. પૂર્વે ૭૦૦ થી ૧૧૦૦ જેટલાં જૂના છે. બ્રાહ્મી લીપીના વપરાશના પુરાવા પણ ઓછમાં ઓછ લગભગ ઈ.સ.. પૂર્વે ૬૦૦ વર્ષ જેટલાં જૂના માનવામાં આવે છે. લેખનનો સૌપ્રથમ વખત ઉપયોગ કરાતા કોવાથી મહાભારત લખવામાં ગણપતિ દ્વારા અનુભવાયેલી કઠિનાઈ વાસ્તવિક હોવાની પૂરેપૂરી શક્યતા છે. કેમકે લેખન કળા તેમની માટે નવતર હોય અને પાઠક ખૂબ જ ઝડપથી અવિરત પઠન કરતા હોય. પાઠક માટે પણ થોભી થોભીને બોલવું શક્ય ન હતું કેમકે તેઓને સ્મૃતિમાં આવતી અને તેઓ પઠન કરતાં. પ્રાચીન કાલીન ભારતમાં અમુક રાજ્યોમાં રાજા રાજ્ય કરતાં જ્યારે અમુક રાજ્યોમાં લોકો દ્વારા નિયુક્ત સત્તાધીશ એટલેકે ગણપતિ દ્વારા રાજ્ય ચલાવાતું. કુમ્ભોજ અને અમુક હદે દ્વારકા આવા જનપદ કે પ્રજસત્તક હતાં. ગણપતિ કે જેમણે મહાભારતનું લેખન કાર્ય કર્યું તે આવી જ કોઇૢ લેખન કળામાં પ્રશિક્ષિત વ્યક્તિ હોવી જોઈએ.
[ફેરફાર કરો] પુરાણોમાં
ભલે બધાં નહિ પણ ૧૮ જેટલાં પુરાણ લખવાનું શ્રેય પણ વ્યાસે મેળવ્યું છે. ભાગવત પુરાણ નામના મહત્ત્વપૂર્ણ પુરાણના સૂત્રધાર(લેખક) તેમના પુત્ર શુક હતાં.
ભાગવત પુરાણના ૧૧મ અધ્યયનમાં લખ્યું છે ૰ એક વખત વિશ્વામિત્રૢ આસિતૢ કણ્વૢ દુર્વાસાૢ ભૃગુૢ અંગીરાૢ કશ્યપૢ વામદેવૢ અત્રીૢ વસિષ્ઠ આદિ સાધુગણ નારદમુની સહિત યદુકુળના રાજા કૃષ્ણના ઘરે ઊતર્યાં હતાં. યદુકુળના બાળકો રમતાં રમતાં તેમની પાસે આવ્યાં. તેમાં જામ્બવતીના પુત્રે સ્ત્રીના વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના પગે પડીૢ ઢોંગ કરતાં ઉદ્ધતાઈથી પૂછ્યું આ કાળી આંખોવાળી ગર્ભવતી સ્ત્રીને પુત્રની ઈચ્છા છે. ઓ જ્ઞાની મહાત્મા તેને જાતે પૂછતાં શરમ આવે છે માટે આપની દિવ્ય દ્રષ્ટીથી શું આપ કહેશો કે તે પુત્રને જન્મ આપશે કે નહિ સાધુઓ આવી મજાકથી છંછેડાઈ ગયાં અને કહ્યુંૢ હે રાજન તે એક ગદાને જન્મ આપશે જે આખા કુળનો નાશ કરશે.
[ફેરફાર કરો] બૌદ્ધ ધર્મમાં
બૌધત્વમાં વ્યાસ કાન્હા-દિપાયન(તેમના નામનો પાલી અનુવાદ) તરીકે કાન્હા-દિપાયન જાતક અને ઘટ જાતક એવી બે કથાઓમાં આવે છે.પહેલામાં તે બોધિસત્વ તરીકે પ્રગટ થાય છે. જો કે તેનો તેમંણે રચિત હિંદુ રચનાઓ સાથે કોઈ સંબંધ નથીૢ પછીનામાં મહાભારતની એક મહત્ત્વપૂર્ણ ઘટનાને સમાંતર છે.
મૌસલ પર્વના ૧૬મા પુસ્તકૢ વૃશ્ણિઓ(વ્યાસના નામેરી અને વિષ્ણુના અવતાર કૃષ્ણના અનુગામીઓ)નો અંતૢનું વર્ણન આપેલ છે. એક દિવસ વૃષ્ણી કુમારોએ વિશ્વામિત્રૢ કણ્વૢ અને નારદ મુનીને દ્વારીકા આવતાં જોયાં, તેમના હાથમાં દંડ જોઈને તે વીરોએ સમ્બને સ્ત્રી રૂપ ધારણ કરાવી અને મુનીઓ તરફ આવ્યાં અને કહ્યુંૢ હે ઋષિઓ અમર્યાદિત શક્તિના ધારક વભૃની આ પત્ની પોત્ર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. શું તમે ખાત્રી પુર્વક ખી શકશો કે આ વખતે કોનો જન્મ થશે આ રીતે તેમેની સાથે પ્રપંચ થવાથી ઋષીઓએ કહ્યુંૢ વાસુદેવનો વંશજ શમ્બ એક અગ્નિશીલ લોખંડ્નો મસળિયો પેદા કરશે જે વૃશિણિઅને અંધકોનો નાશ કરશે. ઘાત જાતકમાં આ જ વાતને અન્ય વળાંક છે. વૃશિણિઓ કુમારો કન્હા-દિપાયનની શક્તિઓને ચકાસણી કરવા માંગતા હતાં અને તેથી તેમણે સંતની ટિખળ કરી. તેમણે યુવાન કુમારના પેટપર તકિયો બાંધ્યો અને તેને ઋષી પાસે લઈ જઈ પૂછ્યું કે બાળકનો જન્મ ક્યારે થશે તેમણે જવાબ આપ્યો કે આજથી સાતમા દિવસે તેમ્ની સામે ઉભેલી વ્યક્તિ અકીકના વૃક્ષની ગાંઠને જન્મ આપશે. જે વાસુદેવના કુળનો નાશ કરશે. યુવાનો તેમની ઉપર લપકી પડ્યાં અને તેમની હત્યા કરી. પણ છેવટે તેમની વાણી સત્ય પડી. નોંધવા જેવી વાત છે કે ઘ્ટ જાતકમાં તેઓ બોધિસત્વ નથી.
[ફેરફાર કરો] બ્રમ્હસૂત્ર ના રચેતા
બ્રહ્મ સૂત્રની રચના બદ્રયનને ફાળે છે. જે હિદુ પરંપરાનો સર્વોચ્ચ રત્ન- વેદાંત ના રચેતા તરીકે શિરપાવે છે. જે દ્વીપ પર વ્યાસનો જન્મ થયો તેની પર બાદરના ઘણાં વૃક્ષો હોવાથી તેઓ બદ્રયન તરીકે ઓળખાયા. ભલે પારંપારીક રીતે એમ મનાય છે કે બદ્રયન એટૅલે કે વ્યાસે જ સૂત્રોની રચના કરી છે પણ ઘણાં ઈતિહાસકારો માને છે કે તે બનેં ભિન્ન ભિન્ન વ્યક્તિ છે.
[ફેરફાર કરો] યોગ ભાષ્યના રચેતા
પતંજલીએ દ્વારા રચિત યોગ સૂત્ર પર ટિપ્પણિ રૂપે છે. આની રચનાનું શ્રેય પણ વ્યાસને મળે છે પણ આવાત અશક્ય બને જો વ્યાસ ચિરંજીવી ન હોય. કેમકે આ રચના ખૂબ પાછળથી રચાઈ.
[ફેરફાર કરો] કડિઓ
- The Mahabharata of Krishna-Dwaipayana Vyasa, translated by Kisari Mohan Ganguli, published between 1883 and 1896
- The Arthashastra, translated by Shamasastry, 1915
- The Vishnu-Purana, translated by H. H. Wilson, 1840
- The Bhagavata-Purana, translated by A. C. Bhaktivedanta Swami Prabhupada, 1988 copyright Bhaktivedanta Book Trust
- The Jataka or Stories of the Buddha's Former Births, edited by E. B. Cowell, 1895
[ફેરફાર કરો] સ્ત્રોત
- Mahabharata of Krishna Dwaipayana Vyasa, English translation by Kisari Mohan Ganguli
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] બાહ્ય કડિ઼ઓ
- Srîmad Bhagavatam (Bhagavata Purana), The Story of the Fortunate One (complete)
- The Mahābhārata Ganguli translation, full text at sacred-texts.com
- The Vishnu Purana Full text of the H.H. Wilson translation at sacred-texts.com
- Vedanta Sutras of Vyasa with Shankara Bhashya
- Srila Vyasadeva by Stephen Knapp
- Akshamala: A Vedantic Thesaurus in Telugu by Mangu Koneti Rao (1905-1996)
- Maharshi Vyasa
|
|||||||||||
