મયાસુર

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

મયાસુર (मयासुर) અથવા મય (मय) એ દાનવોનો રાજા તથા એક મહાન શિલ્પી હતો. તેની રાજધાનીનું નામ મય રાષ્ટ્ર હતું જે અત્યારે મેંરુતના નામે ઓળખાય છે. રાવણની ગુણવાન તથા પરંમ સુંદરી પત્નિ મંદોદરી, તેની પુત્રી હતી.


અનુક્રમણિકા

[ફેરફાર કરો] ત્રિપુર

મય દાનવે ત્રણ અપ્રતિમ પુર (નગરો)ની રચના કરી હતી જે ઉડી઼ પણ શકતા હતા. આ ત્રણે નગરો સમૃદ્ધ, શક્તિશાળી તથા દુનિયા પર પ્રભુત્વ ધરાવતા હતા. પરંતુ આ નગરોનો પાપાચાર વધતા ભગવાન શિવે તેનો નાશ કર્યો પણ મયને જીવનદાન આપ્યું કારણ કે તે શિવભક્ત હતો.


[ફેરફાર કરો] રામાયણમાં

હનુમાનજી એ જ્યારે લંકા ધ્વંસ કર્યો ત્યારે રાવણે મયાસુરની મદદથી લંકા પુનઃ રચિ.


[ફેરફાર કરો] મહાભારતમાં

ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રિકૃષ્ણ તથા અર્જુન સાથે થયુ ત્યારે તે હાર પામ્યો અને શ્રિકૃષ્ણ તેને અભય દાન આપ્યું. શ્રિકૃષ્ણએ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થમા એક ભવન ના નિર્માણ માટે આજ્ઞા કરી. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન બન્યાવ્યો જે મયસભા તરીકે વિખ્યાત થયો.


[ફેરફાર કરો] બાહ્ય કડિઓ