સાત્યકિ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
Satyaki in Javanese Wayang

યદુવંશી સાત્યકિ (સંકૃત: सत्यकि) એક મહાન યોદ્ધા હતો જેને યુયુધાન ના નામ પરથી પણ ઓળખવામાં આવે છે.

સાત્યકી એ કૃષ્ણ ભક્ત અને અર્જુનનો મિત્ર છે જેને અર્જુન સાથે જ દ્રોણ પાસે યુદ્ધ કૌશલ શીખ્યું હતું. તે વ્રિષ્ણી કુળમાં શીણીના પરિવારમં જન્મ્યો હતો. તે સત્યકનો પુત્ર હતો. તેણે કૌરવો વિરુદ્ધ ખૂજ સાતત્ય અને ઉત્સાહથી કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોનો સાથ આપ્યો હતો. યુદ્ધ પહેલાં શાંતિ સંદેશ લઈને કુરુ રાજધાની ગયેલા શ્રીકૃષ્ણ સાથે સાત્યકી પણ ગયો હતો. પન આસંદેશ દુર્યોધને નકારી કાઢ્યો હતો. કુરુક્ષેત્રમાં સત્યકી અને કૃતવર્મા આ બનેં યાદવ વીરો એ વિરુદ્ધ ખેમામાં ભાગ લીધો. સત્યકી પાંડવો તરફથી લડ્યાં જ્યારે કૃતવર્મા કૌરવો સાથે જોડાયાં. સત્યકી ખૂબજ બહાદુર વીર હતો અને એક વખત તો તેણે ૧૦૧ વખત દ્રોણના ધનુષ્ય તોડી પાડ્યાં હતાં. યુદ્ધન ૧૪મા દિવસે ભૂરીશ્રવ(જેની સાથે તેને પહેલેથી જ લાંબા સમયથી ચાલ્યો આવતો કૌટુંબિક ક્લેશ હતો) સામે ખૂબ ઘમાસાણ યુદ્ધ કર્યું. લાંબા અને રક્ત રંજીત યુદ્ધને લીધે સત્યકી થાકી ગયો. ભૂરીશ્રવે તેના પર પ્રહાર કર્યે રાખ્યાં અને તેને યુદ્ધભૂમિમાં ઘસડવા લાગ્યો. આ બાબતે કૃષ્ણે અર્જુનને સાવધાન કર્યો. ભૂરીશ્રવ સત્યકીને મારવા તૈયારી કરે છે પણ અર્જુન તેના તીર દ્વારા ભૂરીશ્રવની ભુજા કાપી સાત્યકીને બચાવે છે. ભૂરીશ્રવ તેને સાવધ કર્યા વગર તેના પર હુમલો કરવાથી રોક્કળ કરીૢ અર્જુન યોદ્ધાના નામ પર કલંક છે. તેના જવાબમાં અર્જુને કહ્યું સંરક્ષણ રહિત સાત્યકી પર હુમલો કરવો પણ એક હિન કાર્ય છે તેને આગળ કહ્યું કોઈ પન ભોહે પોતાના મિત્ર અને સાથી લડવૈયા એવા સાત્યકીને બચાવવું એ તેનું પહેલું કર્તવ્ય છે. સાત્યકી પોતાની તંદ્રામાંથી ગબહારા આવી ચપળતાથી શત્રુને પરવશ કરીએ દે છે. હાજર સૌ આ કરણને ધિક્કરે છે પણ સૌ એ પણ જાણે છે કે કૃષ્ણના બળે જ સાત્યકી ભૂરીશ્રવનો અંત આણી શક્યોૢ એ જે થવાનું જ હતું. સાત્યકી અને કૃતવર્મા બનેં યુદ્ધમાંથી ઉગરી ગયાં. રાતના સમયે પાંડવોના પુત્ર અને પાંચાલોની હત્યામાં અશ્વત્થામા અને કૃપાચાર્ય સાથે કૃતવર્મા પણ શામિલ હતો. યુદ્ધના ૩૬ વર્ષ પછી સાત્યકી અને કૃતવર્મ યાદવો મદિરા પીને આપસમાં ઝઘડવા લાગ્યાં. સૂતેલા સૈનિકો પર પ્રહાર કરવા બદ્દલ સાત્યકી કૃતવર્માની નિંદા કરવા લાગ્યો અને નિશસ્ત્ર ભૂરીશ્રવનો શિરચ્છેદ કરવા બદ્દલ ભૂરીશ્રવ સાત્યકીને કોસવા લાગ્યો. આ ઝઘડો ખૂબ જ વધી મરામારી થઈ અને ગાંધારીના શાપ અનુસાર યાદવકુળનો નાશ થયો. કૃષ્ણની ઈચ્છા હતી કે તેમનો અવતાર કાળ પૂરો થાય ત્યાં સુધી સર્વ યાદવ કુળ પૃથ્વી પરથી નામશેષ્ થઈ જાયૢ આથી પૃથ્વી પરથી પાપીૢઆક્રમક લડવૈયાનો લોપ થાય જે કુરુક્ષેત્રના યુદ્ધનો અન્ય બૃહદ ઉદ્દેશ હતો.


[ફેરફાર કરો] બાહ્ય કડિઓ