સહદેવ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

સહદેવ(સંકૃતઃ सहदेव) પાડું તથા માદ્રીનો પુત્ર હતો. સહદેવ તથા નકુલ અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. અન્ય ભાઇયોની જેમ સહદેવને પણ દ્રૌપદીથી એક પુત્ર પ્રાપ્ત થયો હતો. તેણે શકુની ને મારવાની શપથ લીધી હતી. પાંડવોના ગુપ્તાવાસ દરમ્યાન તેઓ વિરાટ રાજાના મત્સ્ય રાજ્યની ગૌશાળામાં ગૌપાલક તરીકે રહ્યો હતો. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે કરશે.ગંધાર રાજાૢ શકુનીની હત્યા કરશે જેણે તેમની જીવન શૈલી તેમનાથી છીનવી લીધી હતી. યુદ્ધના છેલ્લેથી બીજા દિવસે તેણે શકુનીનો વધ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.


Sahadeva as seen in the Javanese shadow puppet play (wayang)

સહદેવ એક મહાન જ્યોતિષી પણ હતો. મહાભારતની ઘટનાઓને તે પહેલેથી જ જાણી જતો પણ તેને શાપ મળેલ હતો કે જો એ ભવિષ્ય ભાંખશે તો તેના માથાંના ચૂરા થઈ જશે. આથી અન્ય ભઈઓની સરખામણી માં તેનું પાત્ર શાંત છે. અન્ય ભાઈઓની જેમ નકુળ અને સહદેવ કુશળ તલવારબાજ હતાં. તેનો વિવાહ જરાસંઘની પુત્રી સાથે થયાં હતાં. તેના સાળાનું નામ પણ સહદેવ હતું તે કૃષ્ણનો એક મહાન ભક્ત પણ હતો. કૃષ્ણએ એકવાર તેને પૂછ્યું કે યુદ્ધ અટકાવવા શું કરવું જોઈએ. ત્યારે તેણે જવાબ આપ્યોૢ કૃષ્ણને બાંધીને કારાવાસમાં નાખવા જોઈએૢ પાંડવોને દુર્યોધન સાથે જંગલમાં મોકલી દેવા જોઈએ અને કર્ણને રાજા બનાવી દેવો જોઈએ. જ્યારે કૃષ્ણએ તેને બાંધી બતાવવાનું આહવાન આપ્યું ત્યારે તેણે ધ્યાન ધરી કૃષ્ણની બાળક તરીકે કલ્પન કરી અને તેને બાંધી દીધાં. સહદેવના તંદ્રીક ધ્યાનમાંના બંધનમાંથી કૃષ્ણ છૂટી ન શક્યાં અને તેને દિવ્ય દ્રષ્ટીનું વરદાન આપ્યું અને સહદેવે તેમેને બંધન મુક્ત કર્યાં.



[ફેરફાર કરો] બાહ્ય કડિઓ