કૃષ્ણ
વિકિપીડિયા થી
કૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે.
હિંદુ સંસ્કૃતિમાં વૈષ્ણવ ધર્મ ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વર વાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ ધર્મનાં દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. [૧][૧][૨][૩][૪][૫][૬] વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલેકે કૃષ્ણ અથવા વિષ્ણુ[૭][૮] સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.[૮][૯]
કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર ગોવાળીયા તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી (વાંસળી) સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે (શ્રીમદ્ ભાગવતમ્ માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરિકે તેમની છબી સિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગુઢ ફીલોસોફીનું જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય (જેમકે ભગવદ્ ગીતામાં).[૮]ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.[૧૦]
કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. [૧૧][૯] ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકિકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશ એક સરખુંજ હોય છે.[૧૦] આમાં કૃષ્ણનાં દિવ્ય અવતારની વાતો, તેમનાં નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરૂ (અર્જુનનાં સંદર્ભમાં) તરિકેની વાતોનો સમાવેશ કરી શકાય.[૭]
વૈષ્ણવ ધર્મમાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતરો પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ ધર્મનાં લગભગ બધાંજ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાજ અવતારોનાં મુળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુનાં પૂર્ણ અવતાર તરિકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.[૧] કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં (જેમકે ગૌડિય વૈષ્ણવ),[૧][૨] વલ્લભ સંપ્રદાય (પુષ્ટિ માર્ગ) અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને સ્વયં ભગવાન તરિકે પૂજવામાં આવે છે અને તેમને બધાજ અવતારોનાં મુળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.[૩][૪]
શ્રી કૃષ્ણ ને જગદગુરુ કહેવામા આવે છે.
[ફેરફાર કરો] ટિપ્પણી
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Guy ૨૦૦૫, પાન ૩૯ 'રૂઢીચુસ્ત ગૌડીય વૈષ્ણવોનાં મત મુજબ.... કૃષ્નનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવાતો દિવ્ય સ્વરૂપ સ્વયં સ્થિત છે એટલેકે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હુબહુ તેમનાં મુળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્નનાં મુળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમનાં આવેશ રૂપમાં કૃષ્ણ વિવિધ સ્વરૂપે અવતરે છે, પોતાનાં મુળ રૂપનાં જુદા જુદા અંશ સાથે.'
- ↑ ૨.૦ ૨.૧ કેનેડી, એમ.ટી. (૧૯૨૫). ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ. એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ.
- ↑ ૩.૦ ૩.૧ ડેલ્મોનીકો, એન. (૨૦૦૪). "ધી હીસ્ટરી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ". ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ. Retrieved on ૨૦૦૮-૦૪-૧૨.
- ↑ ૪.૦ ૪.૧ ઓઝા, પી.એન. (૧૯૭૮). આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર. બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ.
- ↑ ભાગવત પુરાણ ૧.૩.૨૮ "ઉપર જણાવેલાં બધાજ અવતારો ભગવાનનાં અંશાવતાર છે, અથવાતો અંશાવતારનાં અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે."
- ↑ જુઓ મૅકડૅનીયલ, જુન, "ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વીલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ" બૅક ૨૦૦૫, p. 39
- ↑ ૭.૦ ૭.૧ ગૌર ગોવિંદ સ્વામી, એ.સી. ભક્તિવેદાંત (૨૦૦૧, ગોપાલ જીવ પ્રકાશનનું ઇમેલ મીની-પાક્ષિક). "કૃષ્ણ ઓર વિષ્ણુ?". Retrieved on 2008-04-12.... બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કૃષ્ણને ચાહો છો તો બરાબર છે અને જો તમે વિષ્ણુને ચાહો છો તો પણ બરાબર છે. પરંતુ, તે બંને ને અંતે મળતું પરિણામ એક સરખુ ના હોઇ શકે. માટે, આપે પસંદ કરવાનું છે કે કોના પ્રત્યે પ્રેમ રાખવો. કૃષ્ણ સો ટકા છે, તો વિષ્ણુ ચોરાણુ ટકા છે. માટે, જો તમે આ ચોરાણુ ટકાને પ્રેમ કરવા કે ભજવા ચાહો છો તો કશો વાંધો નહી, તે પણ લગભગ કૃષ્ણ જ છે. પરંતુ કૃષ્ણ સો ટકા છે, પૂર્ણમ્. (જુઓ: ભક્તિ રસામૃત સિંધુ કૃષ્ણની વધારાનિ લાક્ષણિકતાઓ)
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ એલ્કમેન, એસ.એમ.; ગોસ્વામી, જે. (૧૯૮૬). જીવ ગોસ્વામીસ તત્ત્વસંદર્ભ: એ સ્ટડી ઓન ધ ફીલોસોફીકલ એન્ડ સેક્ટેરીયન ડેવલોપમેન્ટ ઓફ ધ ગૌડીય વૈષ્ણવ મુવમેન્ટ. મોતીલાલ બનારસી દાસ પબ્લીશર્શ.
- ↑ ૯.૦ ૯.૧ રીચાર્ડ થોમ્પ્સન, પી.એચ.ડી. (ડીસેમ્બર ૧૯૯૪). "રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝ્મ". Retrieved on 2008-04-12.
- ↑ ૧૦.૦ ૧૦.૧ મહોની, ડબલ્યુ.કે. (૧૯૮૭). "પર્સ્પેક્ટિવ્સ ઓન કૃષ્ણઝ વેરિયસ પર્સનાલિટિઝ". હિસ્ટરી ઓફ રીલીજન્સ ૨૬ (૩): ૩૩૩-૩૩૫. Retrieved on 2008-04-12.
- ↑ Chaitanya Charitamrita Madhya 20.165
|
|||||||
|
|||||||||||
ઢાંચો:હિંદુ દેવી દેવતા અને શાસ્ત્રો
ંઍઋ ંઍઋ ંઍઋ ઈં ફૂછ઼્ઈણ્ઙ્ ઋઍટ્આઋડૅડ્ ંઍઋ ંઍઋ ંઍઋ ટ્ઃઈષ્ ટ્ઃઈણ્ઙ્ ઈષ્ ષૉ ષ્ટૂप्ઈડ્!!!!!!