ઉલૂપી

વિકિપીડિયામાંથી

મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપી (સંસ્કૃત: उलूपी) ના પ્રેમલગ્ન અર્જુન સાથે થયા હતા. હિંદુ મહાકાવ્ય મહાભારત અનુસાર ઉલૂપી અર્જુનની એક પત્ની હતી. જ્યારે અર્જુન મણિપુર ગયો હતો ત્યારે નાગ રાજકુમારી તેના તરફ આકર્ષિત થઈ. તેણે અર્જુનને વિષ બાધીત કરી તેનું અપહરણ કરાવ્યું અને તેના આવાસમાં મંગાવ્યો. ત્યાં તેણે ઈચ્છાહીન અર્જુનને પોતાને પત્ની તરીકે સ્વીકાર કરવા વિવશ કર્યો. તે ઈરવનની માતા હતી.

પાછળથી તેણે શોકાતુર અર્જુનની પત્ની ચિત્રાંગદાને જોઈ અર્જુનને પુન:જીવિત કરી આપ્યો. તેને અર્જુન અને ચિત્રાંગદાના પુત્ર બબ્રુવાહનને ઉછેરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. બબ્રુવાહન દ્વારા જ્યારે અર્જુનનો વધ કરી નખાયો ત્યારે પણ તેણે અર્જુનને પુન:પ્રાણ અપાવ્યાં. ભીષ્મના વધ પછી જ્યારે ભીષ્મના ભાઈઓએ અર્જુનને શાપ આપ્યો ત્યારે ઊલૂપિએ જ તેને શાપ મુક્ત કરાવ્યો.