વિદુર

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

વિદુર (સંસ્કૃત: विदुर) કૌરવો તથા પાડ઼વોના કાકા તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના ભાઇ હતા. તેમનો જન્મ મહર્ષિ વેદવ્યાસ તથા રાણી અંબિકાની દાસી થી થયો હતો. એક માન્યતા મુજબ તેઓ ધર્મરાજના અવતાર પણ માનવામાં આવે છે. તેઓ નીતિમા પારંગત અને રાજકારણમા પરમ પ્રવિણ હતા. હસ્તિનાપુર રાજ્યના તેઓ પ્રધાનમંત્રી હતા. પાડવો માટે ભગવાન શ્રિ કૃષ્ણ પછી સૌથી વધુ વિષ્વસ્ત સલાહકાર પણ હતા.

[ફેરફાર કરો] જન્મ

અંબિકા કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં વચ્ચેની પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માં આવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબીકા તથા તેની નાની બહેન અંબાલિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.


ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની. આ સમાચાર સાંભળી સત્યવતી વ્યથીત થયા અને ફરીથી તેણે ઋષિ વેદવ્યાસને અંબિકા પાસે જવા કહ્યું. પરંતુ અંબિકાએ સ્વયં ન જતા પોતાની દાસીને ઋષિ પાસે મોકલી. અને આમ દાસીથી પરમ વિદ્વાન વિદુરનો જન્મ થયો.