વિચિત્રવિર્ય

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

વિચિત્રવિર્ય (સંસ્કૃત: विचित्रवीर्य) એ સત્યવતિ અને શાંતનુના નાના પુત્ર હતા. તેમના નિ:સંતાન મોટા ભાઇ ચિત્રાંગદના મૃત્યુ પછી તેઓ હસ્તિનાપુરના રાજા બન્યા.

તેમનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર સાવ નાની હતી તેથી ભીષ્મએ તેમના વતી શાશનવ્યવસ્થા સંભાળી. થોડા વર્ષો બાદ તેઓ જ્યારે લગ્ન કરવાની વય ના થયા તે સમય દરમિયાન કાશીના રાજાએ તેમની ત્રણ પુત્રીઓ માટે સ્વયંવરનુ આયોજન કર્યું. તેમની કાચિ ઉંમરને ધ્યાનમા લઇ ભીષ્મ પોતે જઇને સ્વયંવર જીતી કાશી નરેશની ત્રણે પુત્રીઓ; અંબા, અંબીકા તથા અંબાલીકાને વિચિત્રવિર્ય સાથે પરણાવવા હસ્તિનાપુર લઇ આવ્યા. સૌથી મોટી અંબા પહેલેથી જ મનોમન અન્યને વરી ચુકી હોવાથી ફક્ત અંબીકા તથા અંબાલીકા ને વિચિત્રવિર્ય સાથે પરણાવવામા આવી.

લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબીકા તથા અંબાલીકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.

બીજી ભાષાઓમાં