ચોરીવાડ (તા. વડાલી)

વિકિપીડિયામાંથી
ચોરીવાડ
—  ગામ  —
ચોરીવાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°56′34″N 73°02′16″E / 23.942912°N 73.037764°E / 23.942912; 73.037764
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો વડાલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, હોસ્પિટલ
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ
બટાટા, દિવેલી, શાકભાજી

ચોરીવાડ (તા. વડાલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા વડાલી તાલુકામાં આવેલું એક ગામ છે. ચોરીવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, બટાટા, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં એક પ્રાચીન વાવ (કુંડ) પણ આવેલી છે. ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, ચંપેશ્ચર મંદિર, જૈન મંદિર, ઠાકોરજીનું મદિર (જેની બાજુમાં કુંડ આવેલો છે), ગામની પાદરે જેશિંગબાપાનું મંદિર, ગાયત્રી મંદિર, હનુમાનજી મંદિર, અને કાળી માતાનું મંદિર આવેલું છે.

ગામમાં એક સરકારી દવાખાનું (હોસ્પિટલ), ઉત્તર ગુજરાત વીજ કંપનીનું સબ સ્ટેશન અને ઓફિસ, બેંકો, એટીએમ, સહકારી બેંક જેવી સરકારી/સહકારી સંસ્થાઓ આવેલી છે.