લખાણ પર જાઓ

છાયણ (તા. સંતરામપુર)

વિકિપીડિયામાંથી
છાયણ
  ગામ  
છાયણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′22″N 73°53′34″E / 23.18947°N 73.8928°E / 23.18947; 73.8928
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો સંતરામપુર
વસ્તી ૧,૦૧૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, ઘઉં, ડાંગર

છાયણ (તા. સંતરામપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંતરામપુર તાલુકામાં આવેલું એક ગામ છે. છાયણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર ડાંગર, ઘઉં, જુવાર, ઘાસચારો તેમ જ વિવિધ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં સિંચાઈનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. ગામના લોકો ખેતરમાં સિંચાઈ કુવાના પાણી દ્વારા કરે છે. ગામમાં એક મોટું તળાવ અને કોતર પણ આવેલું છે. પરંતુ અનિયમિત વરસાદના કારણે ચોમાસા સિવાય મોટાભાગે ખાલી જ હોય છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દવાખાનું, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે. છાયણ ગામમાં નાનકડું બજાર પણ આવેલું છે. જેમાં કરિયાણું, શાકભાજી, કટલરી વગેરે મળી રહે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Chhayan Village Population - Santrampur - PanchMahal, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2021-05-16. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)