તખતગઢ (તા. પ્રાંતિજ)

વિકિપીડિયામાંથી
તખતગઢ
—  ગામ  —
તખતગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°26′22″N 72°51′11″E / 23.439433°N 72.853131°E / 23.439433; 72.853131
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો પ્રાંતિજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

તખતગઢ (તા. પ્રાંતિજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. તખતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દૂરવાણી કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

તખતગઢ ગામને ૨૦૦૦ની સાલમાં ગોકુળીયું ગામ અને ૨૦૦૯-૨૦૧૦માં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મળ ગામ તરીકે પસંદગી કરવામાં આવી હતી. મીટર વડે પાણી વિતરણ કરવાની શરૂઆત રાજ્યમાં સૌ પ્રથમ તખતગઢ ગામથી થઇ હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Shukla, RakeshKumar (2020-02-10). "તખતગઢ,મીટરથી પાણી વિતરણ કરતું રાજ્યનું સૌપ્રથમ ગામ". divyabhaskar. મેળવેલ 2020-03-30.