તણછા (તા.આમોદ)
| તણછા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 21°59′28″N 72°52′16″E / 21.991°N 72.871°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | ભરૂચ |
| તાલુકો | આમોદ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની
ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશો | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, |
તણછા (તા.આમોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ તાલુકાનું ગામ છે. તણછા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, કાળા–લીલા મગ, ચણા, તુવેર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામનુ કુલ ક્ષેત્રફળ ૯૧૯.૬૩ હેકટર છે જેમાં ખેતીની જમીન ૮૪૭.૬૬ હેકટર છે.[સંદર્ભ આપો] નજીક્નુ શહેર તાલુકા મથક આમોદ છે જે ૯ કીમીના અંતરે આવેલુ છે.
ગામમાં રામ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, વારાહી માતાજીનું મંદિર, ભાથુજી મહારાજ મંદિર, બળીયાદેવ મંદિર, સત્યનારાયણનું મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલાં છે. રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક રવિ સાહેબનો જન્મ પણ આ ગામમાં થયેલો.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |