રાણીકુંડ (તા. ઉમરપાડા)

વિકિપીડિયામાંથી
રાણીકુંડ
—  ગામ  —
રાણીકુંડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°26′43″N 73°28′30″E / 21.445347°N 73.475052°E / 21.445347; 73.475052
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઉમરપાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, જુવાર, વરાઇ, નાગલી

રાણીકુંડ (ઉમરપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું ગામ છે. રાણીકુંડ ગામના લોકોના મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ જંગલ વિસ્તારમાં આવેલું ડુંગરાળ ભૂપૃષ્ઠ ધરાવતું ગામ છે. અહીં મુખ્યત્વે વસાવા, ચૌધરી ,કાથુડીયા જેવા આદિવાસી જાતિના લોકો રહે છે. ગામના લોકો ડાંગર, જુવાર, તુવેર વગેરે ધાન્યોની ખેતી કરે છે. ગામના કેટલાક લોકો જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની વસ્તુઓ (ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) મેળવી તેના વડે પણ જીવન ગુજારે છે.આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે.ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર વગેરે સવલતો પ્રાપ્ય છે. રાણીકુંડ જમીન માર્ગે તથા ગુજરાતની અનોખી કોસંબા - ઉમરપાડા નેરોગેજ રેલ્વે લાઇન દ્વારા જોડાયેલ છે. આ રેલ્વે માર્ગ દ્વારા રાણીકુંડ ગામ ઝંખવાવ અને ઉમરપાડા સાથે જોડાયેલ છે.