લખાણ પર જાઓ

આંબલીયાળ (તા. પાલનપુર)

વિકિપીડિયામાંથી
આંબલીયાળ
—  ગામ  —
આંબલીયાળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
સરપંચ ૫ટેલ મઘુબેન મોઘજીભાઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો, શાકભાજી

આંબલીયાળ (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[] આંબલીયાળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં ગામની બહાર એક ટીંબો છે. આ ટીંબા ઉ૫ર જૂના સમયમાં એક રાજા રાજ કરતો હતો તે વાંઝીયો હોવાના કારણે તેનું નામ વાંઝિયો ટીંબો કહેવામાં આવે છે. ત્યાં એક કાલીકા માનું મંદિર છે. જે ખૂબ જ જૂનુ હોવાનું મનાય છે. નવા મંદિર બનેલ છે પંચવટી ઉઘાન સાથે મંદિર નું કામ થયેલ છે . ગામમાં દર વર્ષે મહા મહિનાની અગિયારસના દિવસે રામદેવપીરનો મેળો ભરાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |accessdate= (મદદ)