લખાણ પર જાઓ

ચોબારી (તા. ચોટીલા)

વિકિપીડિયામાંથી
ચોબારી
ગામ
ગામમાં આવેલ પ્રાચીન મંદિર
ગામમાં આવેલ પ્રાચીન મંદિર
ચોબારી is located in ગુજરાત
ચોબારી
ચોબારી
ચોબારી is located in India
ચોબારી
ચોબારી
અક્ષાંશ-રેખાંશ: 22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E / 22.423611; 71.195
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
તાલુકોચોટીલા
વસ્તી
 (૨૦૧૧)
  કુલ૨૨૫૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ચોબારી (તા. ચોટીલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. ચોબારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ચોબારી એ પૂર્વ કાઠિવાડ એજન્સીના ઝાલાવાડ પ્રાંતનો સ્વતંત્ર તાલુકો હતો. તે ભીમોરાના ખાચર (અટકના) કાઠીઓના શાસન હેઠળ હતું. ગાદીના વારસ વગર શાસક મૃત્યુ પામતા તે ભીમોરા હેઠળ આવ્યું હતું અને ચોટીલા થાણામાં આવતું હતું. ચોબારીના છેલ્લા ગરાસિયાઓ ઓઘડ અને જુઠા ખાચર હતા.[]

ઇ.સ. ૧૯૦૧માં ગામની વસ્તી ૨૮૬ હતી અને આવક ૪૫૫૬ રૂપિયા હતી (૧૯૦૩-૪, લગભગ બધી જ આવક મહેસુલમાંથી) જેમાંથી બ્રિટિશરો અને સુખડી રાજ્યને ૧૯૯ રૂપિયાનો કર ચૂકવાતો હતો. ૧૮૭૨ અને ૧૮૮૧માં વસ્તી અનુક્રમે ૨૯૬ અને ૨૬૦ વ્યક્તિઓની હતી.[]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

આ ગામમાં લોકમુખે ઓળખાતી પંચમુખી વાવ આવેલી છે. જો કે આ વાવ જોતાં એને ચાર મુખ જ છે. એટલે કે એમાં નીચે ઉતરવા માટે ચાર રસ્તા (ચોબારી) જ છે. []અહીં ભાદરવા વદ ૬ના રોજ મેળો ભરાય છે.[] અહીં તળાવના કાંઠે એક મંદિર તેમજ અન્ય એક વાવ પણ આવેલી છે.[] આ વાવ (S-GJ-203) અને તળાવ (S-GJ-204) રાજ્ય સંરક્ષિત સ્મારકો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). ખંડ  VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૪૦૫.
  2. સુરેન્દ્રનગર જીલ્લાના સ્મારકો[હંમેશ માટે મૃત કડી]
  3. સફાઈ અને મરામત ઝંખતી ચોબારીની પંચમુખી વાવ[હંમેશ માટે મૃત કડી]

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. ખંડ  VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૪૦૪–૪૦૫. માંથી લખાણ ધરાવે છે.